આદર્શવાદથી નિરાશા સુધીની સફર Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આદર્શવાદથી નિરાશા સુધીની સફર

આદર્શવાદથી નિરાશા સુધીની સફર

એક સામાન્ય માણસ હતો, નામ હતું ગંગા પ્રસાદ. ગંગા પ્રસાદના હૃદયમાં એક મોટું સપનું હતું - પોતાના ગામમાં એક હોસ્પિટલ બનાવવાનું. તે ઈચ્છતો હતો કે ગરીબોને સારી સારવાર મળે, કોઈએ બીમારીમાં દુઃખ ન ભોગવવું પડે. ગામ લોકોને બીમારીનો ઈલાજ કરવા શહેર જવું ન પડે. મોંગા દાટ સહેરી ખર્ચા થી રાહત મળે. આવા વિચાર કરતો. ગંગા પ્રસાદ આદર્શવાદી હતો, તેનું જીવન સાદગી અને નિષ્ઠાથી ભરેલું હતું. તેણે જીવનભરની બચત એકઠી કરી અને પોતાના સપનાને હકીકતમાં ફેરવવાનું નક્કી કર્યું.

એક શુભ દિવસે, શંકરે હોસ્પિટલનું બાંધકામ શરૂ કર્યું. ગામના લોકો તેની પ્રશંસા કરતા, કારણ કે આવું સપનું જોવું એ પણ મોટી વાત હતી. પણ થોડા દિવસોમાં જ ગંગા પ્રસાદને ખબર પડી કે હોસ્પિટલ બનાવવાનો ખર્ચો તેના અંદાજ કરતાં ક્યાંય વધુ હતો. તેણે જીદગીમાં ક્યારેય બાંધકામ કે હોસ્પિટલનું કામ નહોતું કર્યું, એટલે બજેટ અને પ્લાનિંગનો અંદાજો ન રહ્યો. તેની બચત ઝડપથી ખૂટવા લાગી, અને હોસ્પિટલ અધૂરી અવસ્થામાં અટકી ગઈ.

ગંગા પ્રસાદ મુસીબતમાં મુકાયો. રાતોની ઊંઘ ઉડી ગઈ, પણ તેનો આદર્શવાદ હજી જીવતો હતો. તેણે નક્કી કર્યું કે બેંકમાંથી લોન લઈને હોસ્પિટલ પૂરી કરશે. ઘર, જમીન, બધું ગીરવે મૂકીને તેણે એક મોટી લોન લીધી. દિવસ-રાત મહેનત કરી, આખરે હોસ્પિટલ તૈયાર થઈ. ગામમાં ખુશીનો માહોલ છવાયો, પણ ગંગા પ્રસાદના માથે હવે લોનનું વિશાળ દેવું હતું.

હોસ્પિટલ ચાલવા લાગી, પણ દેવું ચૂકવવું એ ગંગા પ્રસાદ માટે પડકાર બની ગયું. તેનો આદર્શવાદ હજી પણ કહેતો હતો, "કોઈને દુઃખ ન આપવું, કોઈના ખોટા પૈસા ન લેવા, કોઈનો સંતાપ ન કરવો." પણ લોનનું દબાણ વધતું ગયું. બેંકના વ્યાજના હપ્તા, હોસ્પિટલનો ખર્ચો, અને ગામના લોકોની અપેક્ષાઓએ તેને ઘેરી લીધો.

આ દબાણે ગંગા પ્રસાદને બદલી નાખ્યો. જે માણસ નિષ્ઠાથી જીવતો હતો, તે હવે પરિસ્થિતિનો શિકાર બન્યો. લોન ચૂકવવા માટે તેણે એવા રસ્તા અપનાવવા શરૂ કર્યા, જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું નહોતું. જે દર્દી બે દિવસમાં સાજો થઈ શકે, તેને ગંગા પ્રસાદ અઠવાડિયું કે પખવાડિયું હોસ્પિટલમાં રાખવા લાગ્યો. નાની બીમારીમાં પણ ઓપરેશન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ જેવી મોંઘી તપાસોની સલાહ આપવા લાગ્યો. દર્દીઓના બિલ વધી ગયા, અને ગંગા પ્રસાદની હોસ્પિટલ ની આવક વધી પણ ક્યાં ભોગે?

ગામના લોકો, જે ગંગા પ્રસાદને એક આદર્શવાદી તરીકે જોતા હતા, હવે ફરિયાદ કરવા લાગ્યા. "ગંગા પ્રસાદ બદલાઈ ગયો છે," લોકો ગણગણવા લાગ્યા. "આ તો લોકોની લાચારીનો ફાયદો ઉઠાવે છે!" પણ હોસ્પિટલ નું  બાંધકામ ગંગા પ્રસાદે  પોતાના આદર્શો માટે શરૂ કર્યું હતું, પણ પરિસ્થિતિએ તેને રાક્ષસ બનાવી દીધો.

રાત્રે, એકલો બેસીને ગંગા પ્રસાદ વિચારતો, "મેં શું ખોટું કર્યું? હું તો ગરીબોની મદદ કરવા માગતો હતો!" પણ લોનનું દબાણ અને આર્થિક મુશ્કેલીઓએ તેના આદર્શોને ઝાંખા કરી દીધા. તેનું હૃદય ભારે થઈ ગયું, પણ હવે પાછું વળવાનો રસ્તો દેખાતો નહોતો.

સારા ઇરાદા પણ પરિસ્થિતિના દબાણ હેઠળ ખોટા રસ્તે લઈ જઈ શકે છે. ગંગા પ્રસાદની જેમ, ઘણા લોકો પોતાના સપનાઓથી શરૂઆત કરે છે, પણ જીવનની મજબૂરીઓ તેમની નૈતિકતાને પડકારે છે. આદર્શોને જાળવી રાખવા માટે આયોજન અને સંયમ જરૂરી છે, નહીં તો પરિસ્થિતિ આપણને એવા રસ્તે દોરી જઈ શકે છે, જ્યાં આપણે ક્યારેય જવા નથી માગતા.

निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः स्थिरा भवतु गच्छतु वा यथेष्टम्।

 अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥

ધૈર્યવાન માણસ કેટલું ધૈર્ય ધારણ કરે છે, તે વિશે અહીં કહેવાયું છે કે નીતિવાન લોકો, ભલે તેમની નિંદા થાય કે સ્તુતિ (પ્રશંસા), લક્ષ્મી (સંપત્તિ) તેમની પાસે સ્થિર રહે કે પૂરતી ચાલી જાય, તેમનું મૃત્યુ આજે થાય કે સમય પછી, આમાંથી કોઈ પણ પરિસ્થિતિ હોય, ધૈર્યવાન વ્યક્તિ ક્યારેય ન્યાયના માર્ગથી ડગે નહીં. તે આ માર્ગ પર ક્યારેય વિચલિત થતો નથી.