પ્રેમ, ધર્મ અને ન્યાયનો સંઘર્ષ હર્ષા દલવાડી તનુ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ, ધર્મ અને ન્યાયનો સંઘર્ષ

પ્રેમ, ધર્મ અને ન્યાયનો સંઘર્ષ

ગુજરાતના નાનકડા ગામમાં ભિમ દેસાઈ નામનો યુવાન રહેતો હતો. ભિમ એક નિષ્કપટ અને ધર્મપ્રેમી વ્યક્તિ હતો. તેના જીવનનો મુખ્ય હેતુ ધર્મ અને સત્યના માર્ગે ચાલવું હતું.

એક દિવસ, ભિમના મિત્ર મહેશે તેના ઘરે આવીને કહ્યું, "ભિમ, તું સાંભળ્યું છે? અયોધ્યામાં રામ મંદિરનો મહોત્સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. ચાલ, આપણે પણ ત્યાં જઈએ."

ભિમે ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો, "હા મહેશ, મને પણ આ અવસર ચૂકી જવાનો મન નથી. આ હમણા જ ચાલીએ."

ભિમ અને તેના મિત્રો અયોધ્યામાં પહોંચ્યા અને ઉત્સવનો આનંદ માણતા હતા. અયોધ્યામાં પહોચીને તેમણે ભગવાન રામના દર્શન કર્યા અને ત્યાંની ભવ્યતા અને શાંતિથી પ્રભાવિત થયા.

અહીં, ભિમની મુલાકાત રુચિકા નામની યુવતી સાથે થાય છે. રુચિકા તેની માતા-પિતાની સાથે મહોત્સવમાં હાજરી આપવા આવી હતી.
ભિમ અને રુચિકા મહોત્સવની રજતલેંટી રોશનીમાં એકબીજાને મળ્યા. ભીમે કાળજીપૂર્વક કહ્યું, "નમસ્તે, મારો નામ ભિમ છે. હું ગુજરાતથી આવ્યો છું."
રૂચિકાએ હસતા કહ્યું, "હું રુચિકા છું. અયોધ્યામાં જ રહેવું છું. તમારા માટે અહીંનું સમારોહ કેવો છે?"
ભિમે તેનાં તહેવારના આનંદની વાત કરતા કહ્યું, "મહોત્સવ અદ્ભુત છે. રામ મંદિરની ભવ્યતા અને આ તહેવારની ઉજવણીને જોઈને દિલ ખુશ થઈ ગયું."
તેના પછીના દિવસોમાં, ભિમ અને રુચિકા વચ્ચે મિત્રતા વધુ ઘનિષ્ઠ બની. તેઓએ સાથે સમય વિતાવવાની શરૂઆત કરી.
એક સાંજ, ભિમ અને રુચિકા મંદિરમાં બેઠા હતા. ભિમે રુચિકાની આંખોમાં ઊંડો નજર નાખતાં કહ્યું, "રૂચિકા, હું આજે કંઈક કહેવા માંગું છું. હું તારા વિના મારું જીવન કલ્પી શકતો નથી."
રૂચિકાએ હળવી મુસ્કાન સાથે જવાબ આપ્યો, "ભિમ, હું પણ તારા વિના નથી રહી શકતી. આપણે સાથે જીવન વિતાવવાનો નિર્ણય લઈએ."
પરંતુ તેમનો પ્રેમ ઘણાં લોકોને સહન ન થયો. કેટલાક કટ્ટરપંથી તત્વોએ તેમની નજર રુચિકા અને ભિમ પર રાખી હતી.
આ તત્વોના નેતા રમેશ પંડ્યા, એક જાહેર જીવનમાં નીતિપ્રેમી તરીકે ઓળખાતા નેતા હતા. ખરેખર, તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ગરકાવ હતા. ભીમ અને રુચિકાની પ્રેમકથા પંડ્યાના ગેરકાયદે ધંધાઓ માટે એક ખતરો બની હતી, અને તેઓએ આ સંબંધને તોડવાનો પ્રયત્ન શરૂ કર્યો.
ભીમને લવ જેહાદના આરોપ સાથે ફસાવવાની યોજના તૈયાર થઈ. પંડ્યા અને તેમના સાથીઓએ ભીમને પકડ્યો અને તેની હત્યા કરી નાંખી.
ભિમના મૃત્યુ પછી, રુચિકા દુ:ખમાં ગરકાવ થઈ ગઈ, પણ તે ન્યાય મેળવવા મક્કમ રહી.
તે ભિમની હત્યાના સત્યને બહાર લાવવાનું નક્કી કરે છે. તે શંકાસ્પદ તત્વોને છાની રહી. તેના ખૂણાઓ સુધી પહોંચી, તે દરેક ખૂણે તપાસ ચલાવતી ગઈ.
એક દિવસ, તે રમેશ પંડ્યા સુધી પહોંચે છે. પંડ્યાના ઘરમાં જ આ બધી ગતરાત્રીઓ અને અપરાધો થતા હતા. રૂચિકાએ રમેશ પંડ્યાના ઘરમાં દ્રગ્સ, અશ્લીલ ફોટા અને વિડિયો સહિતના પુરાવા શોધી કાઢ્યા.
એક રાતે, રુચિકા પંડ્યાના ઘરમાં ફરી રહી હતી, અને તેણે એક કાગળનું ટુકડો જોયો. તે ટુકડો એક ડાયરીનો ભાગ હતો, જેમાં પંડ્યાના અનેક ગૂનાહિત કાર્યો લખેલા હતા. રૂચિકાએ એ ટુકડો જપ્ત કર્યો અને તેને મિડિયા સુધી પહોંચાડ્યો.
રૂચિકાએ એક પત્રકાર પરિષદ બોલાવી. આ પરિષદમાં તે બધું જ ખુલ્લુ પાડી દે છે. "આ મારો પુરાવો છે," તે મંચ પર ઊભી રહીને કહેશે, "રમેશ પંડ્યા અને તેના સાથીઓએ ભીમને મારી નાખ્યા. આ દ્રગ્સ અને અશ્લીલ વિડિયો તેનાં અપરાધોને સાબિત કરે છે."
રમેશ પંડ્યા અને તેના સાથીઓની ધરપકડ કરાઇ અને તેમને કાયદાના કટઘરામાં લાવવામાં આવ્યા.
ભિમ અને રુચિકાની પ્રેમકથા રોમાંચ, સાહસ, પ્રેમ અને દગાનો અનોખો મિશ્રણ બની. તેમનું જીવન એક દાખલો બનીને, સમાજને ન્યાય અને સત્યના માર્ગે આગળ વધારવાની પ્રેરણા આપતું રહ્યું.
રૂચિકા આજે પણ ભીમની યાદોમાં જીવે છે, પણ તેણે ન્યાય માટેની લડતમાં પોતાના પ્રેમને અક્ષુણ રાખ્યો. "ભીમ, તું હંમેશાં મારા હૃદયમાં રહેશે," તે પોતે સાથે હંમેશાં કહે છે, "મારો પ્રેમ અને તારો ન્યાય, બંને અમર છે."

©️ હર્ષા દલવાડી તનુ