Meladi ma nu pragatya - 1 books and stories free download online pdf in Gujarati

મેલડી માં નું પ્રાગટય - 1

ભાગ - ૧
આશરે વર્ષો ના વર્ષો પહેલા અમર્યાદૈત નામ નો એક રાક્ષસ હતો જેનો પૃથ્વી પર ખૂબ હાહાકાર હતો , તેને લોકો નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું.દેવતાઓ, સાધુ સંતો , માણસો ને ત્રાસ આપતો હતો તેથી બધા દેવતાઓ ભેગા થઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના શરણો માં ગયા. પરંતુ એ દેવ એ દાનવ નું કહી કરી શકે તેમ નહોતા તેથી દેવતાઓ નવ દુર્ગા પાસે ગયા તેમનાં પર આવેલી આફત ની વાત કરી તેથી નવ દુર્ગા ભેગા મળી પૃથ્વી પર આવ્યા, અમર્યાદૈત ને નવ દુર્ગા એ લલકાર આપ્યો હે દાનવ તું દેવતા અને સાધુ સંતો પર અત્યાચાર કરવાનું બંધ કરી દે નહીંતર તારો વિનાશ કરી દઈશું. પરંતુ દાનવ એ દેવીઓ ને કીધું હે દેવી તમારા માં જો એ લોકો ને બચાવવા હોય તો મારી સામે યુદ્ધ કરો તેથી નવ દુર્ગા વારા ફરતી તેની સામે યુદ્ધ કર્યું અને અંતે દાનવ ધીમે ધીમે તેની શક્તિ નો નાશ થવા લાગ્યો તેથી તે એનો જીવ બચાવવા એક મરેલી ગાય ના શરીર માં ઘુસી ગયો ત્યાંથી ભાગી એક મેલા પાણી ના કુંડ માં ઘુસી ગયો , આ જોઈએ દેવીઓ એ કીધું આપડે આ કુંડ માં જઈસુ તો આપણે પણ મેલા પાણી ના લીધે મેલા થઈ જઈસુ , બધી દેવીઓ એ વિચાર કર્યો અને પોતાના અંગ માંથી મેલ ઉતાર્યા અને નામ વગર નાનમી બાળકી ને પ્રગટ કરી. એ બાળકી ને નવ દુર્ગા એ કીધું આ દાનવ નો સંહાર કરો , તરતજ નાની બાળકી કુંડ માં ઉતર્યા અને દાનવ નો નાશ કર્યો , જ્યારે એ બાળકી કુંડ માંથી બહાર આવી ત્યારે એને નવ દુર્ગા ને કીધું હે દેવી હું કોણ છું , મારુ ઠેકાણું સુ , મારુ નામ ઠામ આપો , ત્યારે નવ દુર્ગા એ કીધું હે નનામી બાળકી તારું નામ ઠામ તો અમે નથી જાણતા એમ કહીને અદ્રશ્ય થઈ ગયા , તેથી નાનમી બાળકી ગુસ્સસે ભરાયા તેથી તે પણ ત્યાંથી જતા રહ્યા પછી એક સમય એક શેઠ ગણો કે મોટા માણસ એને ધરતી ઉપર ના બધા માણસ ને જમવાનું આમંત્રણ આપ્યું તથા દેવી દેવતાઓ ને પણ આમંત્રણ આપ્યું , એમના જે નેવજ હોય એ બધું એક દિવસ રસ્તા પરથી નીકળતું હતું ત્યારે નનામી બાળકી ને થયું જો હું આ લોકો નું નેવજ જમી જઈશ અને એ લોકો ને ભોજન નહિ મળે તોજ એ લોકો મારા સામે આવશે તેથી નનામી બાળકી બધા દેવી દેવતાઓ ના ભાગ નું જમી લીધું તેથી દેવી દેવતાઓ ગુસ્સે ભરાયાં તેમને કીધું કોણ છે જેને અમારા ભાગ નું ભોજન જમી લીધું. દેવતાઓ એ તપાસ કરી તો એમને કીધું એક પર્વત ઉપર એક નનામી બાળકી છે.દેવીઓ ત્યાં ગયા અને નનામી બાળકી ને કીધું કોણ છે તું તે અમારા ભાગ નું નેવજ એટલે ભોજન કેમ આરોગ્યું. ત્યારે નનામી બાળકી એ કીધું મને પહેલા મારુ નામ ઠામ આપો પછી જ એનો જવાબ મળશે તેથી દેવીઓ ગુસ્સે થયા અને બાળકી ને કીધું યુદ્ધ માટે તૈયાર થઈ જા. નવ દુર્ગા ભેગા મળી બાળકી સામે યુદ્ધ ચાલુ કર્યું પરંતુ આતો નામ વગર ની નનામી બાળકી તેની પાસે તો આ નવ દુર્ગા એ આપેલી જ શક્તિ હતી. તેથી તેને નવ દુર્ગા ને પરાજય કરી ને નનામી બાળકી ગાયબ થઈ ગયા.. આ જોઈ નવ દુર્ગા માં પાર્વતી પાસે ગયા અને કીધું માં એક નનામી બાળકી છે જેને ૩૩ કરોડ દેવી દેવતાઓ નું ભોજન આરોગી લીધું છે..
પછી ની વાર્તા ભાગ ૨ મા......

બીજા રસપ્રદ વિકલ્પો