TRUE LOVE - 7 books and stories free download online pdf in Gujarati

TRUE LOVE - 7

1 - અત્યાર સુધી તમે ઘણી બધી પહેલિયા (કોયડા) સોલ કરી હશે. ચાલો આજે હું એક કોયડો પૂછું - "આ સંસારમાં એવું સુ છે જે આપણો બધાથી મોટો મિત્ર પણ છે અને બધાથી મોટો શત્રુ પણ છે."
સમજદાર હસે એ આગળ વાંચતા પહેલાજ જવાબ આપી દેશે. (સ્વયંને) તેનો જવાબ છે "સમય".
શા માટે સમય આપણો બધાથી મોટો મિત્ર અને શા માટે એજ આપણો શત્રુ? તેનો જવાબ છે "સમયનું સન્માન". જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે એ એના જીવનમાં બધા લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. બધા એની કળા ને ઓળખી શકે છે, એને મહત્વ આપે છે. અને જે વ્યક્તિ સમયનું મહત્વ ન ઓળખી શકે, જે સમયને ભૂલી જાય છે, આ સંસાર એને જ ભુલાવી નાખે છે. એટલા માટે સમયનું સન્માન કરો એને વ્યર્થ ના જવા દયો. કારણ... સારો સમય સંસાર તમારી વાસ્તવિકતા બતાવે છે અને ખરાબ સમય તમને બતાવશે કે આ સંસારની વાસ્તવિકતા શું છે.

🙏 ....રાધે....રાધે.... 🙏


2 - પ્રેમ" - અત્યાર ની જનરેશન કેવો પ્રેમ કરે છે.(જોકે એ કોઈ પ્રેમ કરતાં જ નથી. આ બધા જે bf-gf વાળા હોય એની વાત છે.) કોઈ છોકરો એમ કહે કે તું મારી નય તો બીજા કોઈની નય. આ પ્રેમ છે? કોઈ છોકરી હાથની નસ કાપી નાખે કે પછી બ્લેડ થી છેકા પાડી ને નામ લખે. આ પ્રેમ છે? છોકરો છોકરી ને લઈને ભાગી જાય. આ પ્રેમ છે? મે તુમ્હારે લિયે આસમન સે તારે તોડ કે લે આઉંગા. જા એક બાર તોડ આ. બસ ખાલી અમથી વાતો કરવાની, સામે વાળીને કે વાળાને કેમ impress કરવું એજ અને impress થય જાય પછી ન કરવાની વાતો કરવી અને ન કરવાનું કરવું. માફ કરજો કોઇને ખોટું લાગે તો.( જે હોય એવા એની વાત છે) અને આમ પણ સત્ય હંમેશા કડવું જ હોય.ખબર નય અત્યારની આ જનરેશન પ્રેમ ને શું સમજે છે? પ્રેમ ને કાઇક અલગ જ નામ આપી દીધું. ( અર્થ નો અનર્થ કરી નાખ્યો)
પ્રેમ સમજવો છે તો પેલા મનને સ્વચ્છ કરો. વિકારો થી ભરેલા મનને શુદ્ધ કરો. કારણ કે પ્રેમ એક પવિત્ર ભાવ છે, પવિત્ર સંબંધ છે.
સાચો પ્રેમ ન થાય તો કંઈ નય પણ તમે જે કરો એને ક્યારેય પ્રેમનું નામ ન આપો.(આશા કરું કે આ વાક્ય તમે સમજશો)
મારા વહલા મિત્રો બધા આ વાત નું ખોટું ન લગાડતા. મને એવું લાગ્યું કે આ વાત બધા જોડે કરવી જોઈએ એટલા માટે મે લખી છે.

🙏 ....રાધે....રાધે.... 🙏


3 - જીવ જન્મ લેય એની હારે જ જાગી ઉઠે છે કાઇક યાદો, મનની વાતો. મનની વાતો ખૂબ બળશાળી હોય પણ વિચિત્ર અનુભૂતિ કરાવે. હંમેશા આપણી સાથે રહે, આપણી હારે જે જે ઘટનાક્રમ થાય છે એ ક્યાંય ને ક્યાંય, કોઇને કોઇ સ્થાને "યાદ" સ્વરૂપે રહી જાય છે. પણ ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ કે આ યાદો આપણી છે તો એમાં આપણે શું રાખવું અને શું ન રાખવું એ આપણા પર નિર્ભર છે. આ જીવનમાં શું સાચવવું જોઈએ - સુખ, આનંદ ના ક્ષણ, એ ક્ષણ જ્યાં આપણા પર કોઈએ ઉપકાર કર્યો, એ ક્ષણ જ્યાં કોઈએ સારી મિત્રતા નિભાવી, એ ક્ષણ જ્યાં કોઇને આપણે સુખ આપ્યું છે. પણ આપણે શું યાદ રાખીએ છીએ - આપણા દુઃખ, પીડા, એ ક્ષણ જ્યાં આપણી હારે કોઈએ ખોટું કર્યું, એ ક્ષણ જ્યાં કોઈએ આપણું અપમાન કર્યું. અને આ બધી યાદો આપણને પ્રતિકાર લેવા માટે પ્રેરિત કરે. એટલા માટે આપણે શું ભૂલવું છે અને શું યાદ રાખવું છે એ આપણા પર નિર્ભર કરે છે.
" જીવન માં બધું ભૂલી જાજો પણ એક વાત યાદ રાખજો કે ભૂલવા વાળી વાતો યાદ છે એટલેજ વિવાદ છે."
એજ રીતે આપણા મનમાં positive અને negativa વિચારો નુ પણ હોય છે. આપણે કેવું વિચારવું એ આપણા ઉપર નિર્ભર કરે છે. ખરાબ વિચારો અને સારા વિચારો એ આપણા મનમાંથી જ આવતા હોય. ખરાબ વિચાર એ બીજા કોઈના મનમાંથી ઊડીને આપણા મનમાં ન આવે અને જો એ રીતે આવતા હોય તો એવી સંગત છોડી દેવી જોઈએ.
મનને વિકારોથી મુક્ત કરી દયો. પ્રેમ આપોઆપ(એની જાતે જ) જાગી ઊઠશે.

🙏 ....રાધે....રાધે.... 🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED