તાનસેન - 2 PUNIT SONANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તાનસેન - 2

આપણે આગળ ના ભાગ માં જોયું કે બાવીસ સંગીતકારો ની ટુકડી અકબર ના દરબાર માં જાય છે

હવે આગળ ........

અકબર ના હુકમ થી દરબાર યોજાય છે. અને તાનસેન અને બાવીસ સંગીતકારો ની ટુકડી વચ્ચે સ્પર્ધા થાય છે તેમાં તાનસેન નો વિજય થાય છે અકબર ના હુકમ થી બાવીસ લોકો ની ટુકડી ની હત્યાં કરી નાખવામાં આવે છે પરંતુ તે લોકો ની ટુકડી માં એક નાનું બાળક હોય છે તેને અકબર ના કહેવાથી છોડી દેવામાં આવે છે. પરંતુ તે બાળક લોકોને પૂછતાં પૂછતાં પોતે સંત હરિદાસ
ના આશ્રમ માં જાય છે અને ત્યાં સંગીત સાધના શીખવા લાગે છે

(દસ વર્ષ બાદ... )

તે સંગીત શીખી લે છે અને હરિદાસ દ્વારા તેણે દીક્ષા આપવા માં આવે છે અને તેનું નામ પડે છે "બૈજુ બાવરા " તે સંત હરિદાસ ના આશ્રમ માંથી નીકળી અને અકબર ના દરબાર માં જાય છે ત્યારે અકબર ના દરબાર માં લોકો ની અંદરો અંદર થતી વાતો થવા લાગે છે.

વ્યક્તિ 1: સાંભળ્યું ભાઈ લોકોને વચ્ચે વાતો થઇ રહી છે કે તાનસેન માં હવે પેહલા જેટલો હુન્નર રહયો નથી
વ્યક્તિ 2:હા ભાઈ સાંભળ્યું તો છે.

આ વાતો સંભાળી અકબર ને ગુસ્સો આવે છે અને પોતે તાનસેન ને પોતાના દરબાર માં બોલાવવા હુકમ ફરમાવે છે.

(અકબર ના દરબાર માં )

અકબર : તાનસેન તારા વિશે લોકો બહાર વાતો કરે છે કે તારામાં હવે પેહલા જેટલો હુન્નર રહયો નથી. પરંતુ હવે તારે લોકોને ના આ સવાલ નો જવાબ આપવાનો છે.

તાનસેન : કહો બાદશાહ શું કરું હૂ તમારા માટે.

અકબર :તારે લોકોને સામે દિપક રાગ ગાવાનો છે.

તાનસેન (મનમાં ): જો હૂ આ રાગ ગાઉ અને મને રાહ પૂર્ણ થતા ની સાથે negh મલ્હાર રાગ નો વરસાદ ના મળે તો હૂ બળી ને ખાખ થઇ જઈશ.

તાનસેન : માફ કરશો બાદશાહ પણ હૂ આ રાગ નઈ ગઈ શકું.

અકબર : કેમ? કેમ? તું ના ગઈ શકે તું મારો નવરત્ન માં નો સંગીતકાર છે. તું ગઈ શકે છે.

(આખરે અકબર ની જીદ સામે હરિ તાનસેન હા પાડે છે. )

તાનસેન : ઠીક છે પરંતુ મારે થોડાક સમય ક્યાંક જવું છે પરંતુ મારે આપની રજા મંઝૂરી ની જરૂર છે.

અકબર : ઠીક છે તું જય શકે છે પરંતુ તારે પાછા આવી ને દિપક રાગ ગાવાનો રહેશે.

તાનસેન :ઠીક છે.

(તાનસેન અકબર ની રજા લઇ ને પોતે વડનગર જાય છે પોતે જ્યાં તાના રીરી મેઘમાલહાર રાગ ગાતા હોઈ છે તે પોતે તાના રીરી ને બધી વાત કહી પોતે તાના રીરી ને સાથે આવવા કહે છે.)

તાનસેન :હૂ તમને પ્રાર્થના કરું છું કે તમે મારી સાથે અકબર ના દરબાર માં આવી અને મેઘમલ્હાર રાગ ગાઓ.

તાના -રીરી : માફ કરશો ગુરુજી પરંતુ અમે વચનબદ્ધ છીએ કે અમે ભગવાન શિવ સિવાય કોઈ અન્ય વ્યક્તિ માટે ગઈ નહિ શકીએ.

(તાનસેન ત્યાંથી નિરાશ થઇ ને ચાલ્યા જાય છે. )

તાનસેન પોતાના ઘરે એકદમ નિરાશ થઇ ને બેઠા હોય સીગે ત્યારે તેની દીકરી આવે સીગે અને પિતા બે આમ નિરાશ થયેલા જોઈને તે તાનસેન ને પૂછે છે.

તાનસેન ની દીકરી : શું થયું પિતાજી તમે આમ નિરાશ થઈને બેઠા છો?

તાનસેન : રહેવા દે બેટા તને નહિ સમજાય.

તાનસેન ની દીકરી : કહો તો પિતાજી શું થયું છે?

(તાનસેન બધી વાત પોતાની દીકરી ને કહે છે . આ વાતો સંભાળી તે પોતાના પિતા ને કહે છે કે )

તાનસેન ની દીકરી : પિતાજી તમે મને મેંઘમલ્હાર રાગ શીખવાડો હૂ તમને દિપક રાગ ના પૂર્ણ થયાં બાદ મેંઘ મલ્હાર રાગ ગાઈશ.

(આખરે દીકરી ની જીદ સામે હારી ને તે પોતે પોતાની દીકરી ને મેંઘમલ્હાર રાગ શીખવાડે છે. અને તાનસેન પોતાની દીકરી સાથે અકબર ના દરબાર માં જાય છે. )



**********------------*************-------------

શું થશે આગળ તે જાણવા માટે વાંચો આ વાર્તા નો આગળ નો ભાગ.