Jivan Manthan books and stories free download online pdf in Gujarati

જીવન મન્થન

જીવન એક નદીની ધારા જેવુ છે જે આમ જ પસાર થઈ જશે માત્રા ધન અને સુખ મેળવી લેવા માટે પણ જયારે તેને મેળવી લેશો ત્યારે તેને ભોગવવા માટે કદાચ તમે સક્ષમ ન હોય શકો માટે સમય નું મહત્વ સમજવું જરૂરી છે.જે ગયા પછી પાછો આવશે નહીં માટે તેનો સદ્ ઉપયોગ કરો ગયેલુ ધન ,સુખ પાછુ મેળવી શકાશે પણ સમય નહીં. આપણે જેવુ વાવશુ તેવુ જ લણશૂ માટે જીવન રૂપી આ ખેતર માં સત્કર્મ રૂપી બીજ વાવવાના જેને લીધે સાચા સુખ રૂપી પાક લણી શકીએ જય શ્રી કૃષ્ણ જીવન વિશે દરેક ની વિચાર શરણી અલગ અલગ હોય છે ખરેખર જીવન શું છે તે વિશે કોઈવાર વિચાર્યું છે?જીવન માત્ર ભૌતિક સુખ મેળવવુ છે આજે ધનવાન ને પણ ક્યાં સાચી શાંતિ છે . જીવન માં સાચુ સુખ શું છે? આ જગતમાં આપણને સુખ વિશે દરેક નો મત અલગ જોવા મળે છે. આજે ઘણી વખત પોતાના પાસે કેટલું છે તે વિશે વિચાકરવાના બદલે બીજા પાસે છે મારી પાસે નથી તે મેળવી લેવામા લાગી જાય છે આજના જીવન માં સન્તોષ રૂપી ધન જોવા મળતુ નથી જીવન ને સમજવા ની જરૂર છે ઘણા ના જીવન માં લાગણી નું મહત્વ જોવા મળે છે ઘણા લોકો માં બુધ્ધિ નુ કેટલાક ના જીવન માં ધન નુ તો ખરેખર જીવન શું છે? મનુષ્ય જીવન એ ખરેખર ઈશ્વરે આપેલી એક અણમોલ ભેટ છે તો તેની કિંમત સમજો તેને વેડફી ન નાખો. કેટલીક વખત એવું પણ થાય છે કે સમય વિતિ ગયા પછી ખબર પડે કે આ મે શું કર્યું માટે જીવન નું મહત્વ સમજો. જી અટલે જીજ્ઞાસા વ અટલે વિચારશીલ ન અટલે નવીનતા .આ જીવન જીવી તો બધા લે છે પણ તેને સમજવુ કઠિન છે જીવન નો સાચો ઘ્યેય શું છે તે વિશે પણ ઘણી વખત અજાણ હોય છે જ્યારે ખબર પડે ત્યારે જીવન જ પૂરૂ થવા આવ્યું હોય છે માટે સમય પર જાગવું જરૂરી છે નહિતર આ રીતે તે પૂરૂ થઈ જશે ઈશ્વર થી મળેલી આ ભેટ નો સદ્ ઉપયોગ કરી જીવન ને સાર્થક કરીએ આ જીવન ના પથ પર જતા જતા એવા કાર્યો કરી એ આપણ ગયા પછી પણ આપણ ને યાદ કરે. જીવન ની છેલ્લી અવસ્થા એ આપણી પરીક્ષા હોય છે જ્યા સુધી આપણ પાસે સમય છે શરીર માં તાકાત છે ત્યા સુધી તેનો સદ્ઉપીયોગ કરી લો.સમય કોઇ નો થયો નથી અને થવા નો નથી આજે તમારો કદાચ કાલે બીજા નો પણ આવી શકે. અહી રાજા પણ રન્ક બને છે માટે અભિમાન ન કરો જે સમય આજે તમારો છે કાલે ન પણ હોય.જીવન માં જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે એવા કાર્યો કરો જે તમને જીવન માં આગળ આવનારા સમય માં મદદરૂપ થાય કોઈ વાર જો સમય મળે તો વિચાર જો કે મે જીવન માં શું શું કર્યું જે કર્યું તે ખરેખર યોગ્ય હતું જે વીતી ગયું તે પાછું આવશે નહીં પણ જે બાકી છે તે વિશે વિચારી તો શકાય ને . જીવન નું મૂલ્ય સમજો તેને માત્ર પોતાના જે નાશવંત સુખ માટે વેડફી ન નાખો તે પાછું કદાચ ન પણ મળે જીવન ની છેલ્લી પરીક્ષા માં કદાચ કોઈ સાથે આપે કે ન પણ આપે પણ તમે કરેલા સત્કર્મ જરૂર સાથે આપશે મારા વિચાર અનુસાર એકવખત જીવન ને સમજવા નો પ્રયત્ન જરૂર કરજો એવું ન થાય કે આમ ને આમ જીવન યાત્રા પૂરી ન થઇ જાય જરા વિચાર જો.જય દ્વારકાધીશ.

બીજા રસપ્રદ વિકલ્પો