એક નમ્ર અપીલ... Pandya Kishan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

એક નમ્ર અપીલ...

બસ એક નમ્ર અપીલ...
વાલીઓને
આપણાં દેશમાં સામાન્યરીતે બાળકો પોતાનું લક્ષ્ય જાતે નક્કી કરી શકાતા નથી. કારણ કે પેઢીઓથી ચાલીઆવે છે કે બાળકો પોતાના વાલીઓના સૂચન મુજબ જ જીવતા આવે છે. પરિણામે તેમણે લક્ષ્યાંક નક્કી કરવાની જરૂર રહેતી નથી. પરિણામે તેમની જીવન ના લક્ષ્યાંક વિષે વિચારવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે.
બીજી તરફ એવું બને કે બાળક લક્ષ્યાંક નક્કી કરે અને આગળ વધવાનું નક્કી કરે , પરંતુ વર્ષોથી ચાલીઆવતી આ પ્રથામાં ફેરફાર વળી ને પસંદ પડે નહીં.
કારણ સામાન્ય છે – વાલીઓ એવું માનતા હોય કે તેઓ બાળકો ની સાપેક્ષમાં વધુ જાણે છે . જે સત્ય પણ છે , પરંતુ બધીજ બાબતો માં આ શરત લાગુ પડતી નથી.
દુનિયા પરિવર્તનશીલ છે . જે દુનિયા નો નિયમ છે. સામાન્ય રીતે બાળક અને વાલીઓની ઉમરમાં 22-35 વર્ષ નો ફરક હોય જેથી તેઓએ દુનિયા વધુ જોઈ એ સાચું છે. પરંતુ એને જોયેલી દુનિયને એટલાજ વર્ષ વિતીચૂક્યા છે . તેઓએ અનનુભાવેલી પરિસ્થિતિઓ માં ફેરફાર થઈ ચુક્યા છે. જેને તે સમજવા તૈયાર નથી.
કેટલાક વાલીઓ પોતાના અનુભવો સાથે હાલના સામનો તાલમેલ બેસાડીને પરિસ્થિતિઓ સમજવાનો પ્રયત્ન કરે છે . પરંતુ બાળકને સમજવામાં નિષ્ફળ જાય છે. અને બાળકોને માનસિક કેતલાક કિસ્સાઓમાં તો શારીરિક ત્રાસ આપીને પણ પોતાની વિચારધારા કે જે તે ઇચ્છતા હોય તે કરવવાનો પ્રયત્ન કરે છે.
મધ્યમ વર્ગ ના સંદર્ભે તમે એવું જાણ્યું હશે કે તેમના માટે સફળતા એટલે જે રીતે જીવનચાલે છે એમાં રૂકાવટ(નાનીમોટી મુશ્કેલી) ના આવે એટલે તે વ્યક્તિ સફળ થયગય કહેવાય,પરંતુ તેઓ એવુમાને છે કે અમે અમારાં જીવનમાં જે ન કરીશક્ય તે અમારાં બાળકો કરશે. તો તેઓના બાળકો જો કી અલગ વિચાર રજુકરે તો ટોકવાને બદલે પૂરો સહકાર આપશે. પરંતુ જે વાલીઓ પોતાની વિચારધારા બાળક પર થોપવામાં નિષ્ફળ રહયા હોય તેઓ સહકાર આપવાને બદલે લાગણીઓનો મારો ચલાવીને આવરોધ બને . અને સાબિત કરીદે કે અહી બાળક ખોટું થર્યું.

સંતાનોને
કેટલાક કિસ્સાઓમાં સંતાનો એવું માનતા હોય છે કે પોતે બધુજ જાણે-સમજે છે અને વળી ની વાતો સાંભળતા પણ ના હોય કે દરકારતા પણ ના હોય. આવા કિસ્સામાં વાલીઓ પોતે કશુજ કરીશકતાના હોય પોતે લાચારી અનુભવે છે. અને પોતાના બાળક ને સમજાવવાનો કોઈજ ઉપાય જડતો નથી. પરિણામે વાલીઓ કડકવાલણ અપનાવે એવુપણ બને પરંતુ તેની સફળતા ઓછી છે. જેમકે,
ધારો કે કોઈ કાર હાઇવે પર 200kmph ની ઝડપે ગતિ કરે છે ,અને ડ્રાઇવર ને માલૂમ પડે કે તે જુદા જ રસ્તે ચાલી નિકળ્યો છે.પરંતુ આ કારનું પ્રવેગક જામ થય ગયુ છે, અને બ્રેક લાગી શકે તેમ નથી. તો હવે આ કારને અકસ્માત થી બચાવવી અશક્ય લાગે છે. તો હવે તમને આ કિસ્સો કઇંક જાણીતો લાગ્યો હશે.... હવે બીજી કાર ને તેટલીજ જડપે દોડાવી ને તેની સાથે જૂની કાર ને સલગ્ન કરી અને નવી કાર ને બ્રેક મારતા ની સાથે જૂની નું ઇગનેશન બંધ કરતાં તે અટકી જશે અને તેનું નરમ્મત કરી અને રસ્તો બદલી શકાય.પરંતુ અચાનક બ્રેક મારતા અકસ્માતનો ભય રહે .
આમ વળી કડક વલણ ના આપનાવતા સંતાનોના લયમા લય મેળવી સમાધાન સરળતાથી મેળવીશકે તેમ છે. જીવન માં શાંતિ પૂર્વક વિચારીને ધાર્યા પૂર્વક કર્યા કરવામાં આવે તો બધુ સરળ છે.

એક સંતાન તરીકેના મારા અનુભવો હજુ તાજા છે અને સંતાનો સાથે હાલમાં અનુભવો હું કેળવિરહયો છુ.....

તમને યોગ્ય લાગે તો share અને like જરૂર કરજો. અને સૂચનો માટે comment પણ કરવા વિનંતી....