The true meaning of failure books and stories free download online pdf in Gujarati

નિષ્ફળતા નો સાચો અર્થ - સમય ને માન નિષ્ફળતા જ સફળતા સુધી પહોંચાડે છે.

     જીવન માં ઉતાર ચડાવ એટલે સારો સમય અને ખરાબ સમય આવે છે.જીવનમાં આવાનર આ પડકાર રૂપી પરીક્ષા ને પાર કરવો એ બહુ મોટો જીવનમંત્ર છે.
       હું કોઇ લેખક નથી પરંતુ એક નાનકડી  વાત કહું તો
હાલ કે જે પરિણામ સમય ચલે છે.રાજકીય અને પરિણામ નો સમય એ આવનાર સમય ની દિશા અને દશા નકી કરે છે.પરંતુ સફળતા એટલે પાસ થાઉં તો જેમ કે 10 કે 12 ના વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તો કૉલેજ અને અન્ય કોર્ષ ના એડમિશન માટે રસ્તા ખુલી જાય છે.પરંતુ જે નિષ્ફળ થયા .એમને નિરાશ થવા વગર જે માં પરિણામ સારું નથી તે પાસ કરવું અને વચગાળાના સમય નો ઉપયોગ કરી કોઈ હુન્નર શીખી લેવુ .પણ આજ નિર્ણય સમય જતાં એવું બને જે સફળ હતા એ કૉલેજ માં જ હશે .અથવા તો રેસુયમ લાઇ જોબ શોધતાં હશે.જયારે નિષ્ફળતા પામેલો વિદ્યાર્થી સ્વનિર્ભર અને બીજા ને રોજગરી આપી શકે એવા સ્થાને પહોંચી ગયો હશે. 
જીવનમાં અવારનવાર આવી નિષ્ફળતા ઓ અવિ જે જીવન અથવા જીદગી ના રસ ને ખાટો મીઠો અનુભવ કરાવતી હોઈ છે.
પણ સાચી સફળતા નો અહેસાસ નિષ્ફળતા થી જ મળે છે.જેમ લિલી દેખાતી કેરી  કાચી હોઈ ત્યારે જેટલી ખટાશ વધુ હોય તેટલી જ એ પરિપક્વ અથવા પાકી ગયા બાદ એટલીજ સાકાર જીવિ મીઠી હોઈ છે .કાચી કેરી એ સંઘર્ષ ના સમય માં લોકો પથ્થર મારે છે.એજ કેરી ને પરિપક્વ થાય ત્યારે સાચવી ને ઝેડ પ્લસ સિક્યુરીટી માં હોઈ તેમ દબાઈ ના જાય.તેમ લાઇ જવાય છે આ છે સમય નો તકાજો.
"નિષ્ફળતા જ સફળતા ની સીડી છે."
આપના ગુજરાત ના ધીરુભાઈ એ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જેમાં હાલ એમની સફળતા નેજ જોતા હોય છે.પરંતુ તેમના નિષ્ફળતા અને સંઘર્ષ ને જાણવું અને શીખવું બહુ જરૂરી છે.જેમકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશ માટે જે સંઘર્ષ કરી રહ્યા છે.જેમને પણ નિષ્ફળતા ઓ નો સામનો કરવો પડતો હોય છે.પરંતુ એમનું લક્ષ્ય બદલાતું નથી.અને એવા લોકો સંપૂર્ણ કર્મ માં જ માને છે.
ઉપરોક્ત બંને વ્યક્તિ ઓ ગુજરાતી છે ઊપરાંત સામાન્ય પરિવારમાંથી આવે છે
પરંતુ એમને કોઈ દિવસ નિષ્ફળતા નો ભાગ રહ્યો હશે પણ તેમને સફળતા સુધી પહોંચવા નિષ્ફળતા માંથી નીકળી જવાનો રસ્તો જ કાઢયો છે.
સંપૂર્ણ કથામાં સાર રૂપે એક જ વાત કહેવી રહી કે આવનાર જીવન માં નિષ્ફળ ના સમય ને પસાર થઈ જવા દેવો અને ના વિચારી શકો તો બધું સમય પર છોડી મુકત જીવન નો આનંદ લેવો .કેમકે નિષ્ફળતા પણ જીવનચક્ર નો એક ભાગ છે.જે હોઈ તો જ સફળતા નો તમે સંપૂર્ણ આનંદ લાઇ શકો અથવા અલગ કરી શકો.
આ આટલું લખવા પાછળ નો ઉદ્દશ્ય એજ છે કે જે નિષ્ફળતા જોઈ ને અથવા જીવનમાં આવતા જીવન માં ખોટા નિર્ણય લઈ લે છે અને જીવન ને ગેરમાર્ગે લઇ જાઉં તેમજ વ્યસન નો રવાડે ચડવું અને જીવન ને પૂર્ણ કરવા માટે આપઘાત જેવા પોચા નિર્ણય લે છે .પરંતુ એમના પરિવાર નો પણ એક વાર વિચાર કરવા માટે સમય નથી કાઢતા.
એક રસ્તો બંધ થઈ જાય તો ચિંતા ના કરવી બીજાં ઘણાં દ્વાર ખૂલી જાય છે.
એવા અનેક લોકો છે.જેમના જીવન માં આ મુજબ જ ચાલ્યું હશે.
............
મારા જીવન માં બહુવાર લખ્યું પરંતુ પ્રથમ વખત આ મુજબ કોઈ આવા ટોપીક ઉપર લખાણ લખ્યું છે
તો નાની મોટી ભૂલ ને સ્વીકારી લેવા વિનંતી.

બીજા રસપ્રદ વિકલ્પો