Dava vagar tandurast raho book and story is written by Suresh Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dava vagar tandurast raho is also popular in આરોગ્ય in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દવા વગર તંદુરસ્ત રહો - નવલકથા
Suresh Trivedi
દ્વારા
ગુજરાતી આરોગ્ય
‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત એટલી જાણીતી છે કે દરેક જણ તે જાણે છે. જોકે આ કહેવતના અર્થ મુજબ તંદુરસ્તીના નિયમોનું પાલન કરીને આ પહેલું સુખ મેળવવાના પ્રયત્નો બહુ ઓછા લોકો કરે છે એ જુદી વાત છે. પરંતુ જો સાચે જ પ્રયત્નો કરે અને દિલથી કરે, તો પછી સપનાના મહેલમાં રહેતા હોય એવો જીવનનો આનંદ જરૂર પ્રાપ્ત કરી શકે.
જીવનમાં સૌથી પહેલું, સૌથી મોટું અને સૌથી અગત્યનું સુખ પોતાની તંદુરસ્તી છે, એ હકીકત એટલી સર્વમાન્ય છે કે તેના વિષે વધુ ચર્ચા જરૂરી નથી. માણસ પાસે ગમે તેટલી દોલત, એશોઆરામ, માન-અકરામ, હોદ્દો, સત્તા, પ્રતિષ્ઠા, કુટુંબ, સગાંવહાલાં, મિત્રો, નોકરચાકર, અનુયાયીઓ, એવાં દુનિયાભરનાં સુખ અને સવલત હોય, પણ જો પોતે તંદુરસ્ત ના હોય, તો આમાંથી કોઈપણ સુખ તેને સારું લાગતું નથી. બીમાર વ્યક્તિ આમાંથી એક પણ સુખની ચીજનો સાચો અને પૂરેપૂરો આનંદ લઇ શકતો નથી. એટલે પહેલું સુખ તે જાતે નર્યા એ નિસંદેહ સત્ય હકીકત છે.
(૧) એક મહલ હો સપનોં કા: પહેલું સુખ તે... ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત એટલી જાણીતી છે કેદરેક જણ તે જાણે છે. જોકે આ કહેવતના અર્થ મુજબ તંદુરસ્તીના નિયમોનું પાલન કરીને આ પહેલું સુખ મેળવવાના પ્રયત્નો ...વધુ વાંચોઓછા લોકો કરે છે એ જુદી વાત છે. પરંતુ જો સાચે જ પ્રયત્નો કરે અને દિલથી કરે, તો પછી સપનાના મહેલમાં રહેતા હોય એવો જીવનનો આનંદ જરૂર પ્રાપ્ત કરી શકે. જીવનમાં સૌથી પહેલું, સૌથી મોટું અને સૌથી અગત્યનું સુખ પોતાની તંદુરસ્તી છે, એ હકીકત એટલી સર્વમાન્ય છે કે તેના વિષે વધુ ચર્ચા જરૂરી નથી. માણસ પાસે ગમે તેટલી
૨) જાને સે ઉસકે આયે બહાર: કબજિયાતનો ક.. તંદુરસ્તી વિષે લખવાનું શરુ કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં થોડી મૂંઝવણ થઇ. એટલે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુઆત કરીએ અને ...વધુ વાંચોપરથી વિષય મળ્યો કબજિયાત. પ્રિય સ્વજનના આગમનથી જીવનમાં બહાર એટલે કે પ્રેમ અને આનંદની ઋતુ, વસંત ઋતુ આવે છે અને તેના જવાથી આ વસંત જતી રહે છે. પરંતુ કેટલીક તકલીફ એવી હોય છે કે જેના જવાથી જીવનમાં વસંત આવે છે અને આ વાત કબજિયાતના દર્દી જેવુ બીજું કોઈ જાણતું હોતું નથી! ઘણા બધા લોકોને જેની તકલીફ હોય,