Raaino Parvat book and story is written by Ramanbhai Neelkanth in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Raaino Parvat is also popular in નાટક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાઈનો પર્વત - નવલકથા
Ramanbhai Neelkanth
દ્વારા
ગુજરાતી નાટક
સ્થળ: કિસલવાડી
[જાદુની તૈયારી કરતી જાલકા રાત્રે અંધારામાં પ્રવેશ કરે છે.]
જાલકા: (સ્વગત) મંત્રની સાધના કરવી એમાં મુશ્કેલી નથી, પણ, રાઈને તે વખતે આઘે કેમ રાખવો એ મુશ્કેલ છે. એ પાસે હોય તો બધો ખેલ બગડી જાય. એને કાંઈ સમજાવીને દૂર રાખવો પડશે. (બૂમ પડે છે) રાઈ ! રાઈ !
[રાઈ હાથમાં પુસ્તક લઈ પ્રવેશ કરે છે.]
રાઈ: જાલકા ! તેં મને બૂમ પાડી ? હું એ ઓરડીમાં દીવે વાંચતો હતો, ત્યાં મને ભણકારા પડ્યા.
જાલકા: વાંચવાનો તને વખત મળે છે, અને, બાગ સંભાળવાનો વખત મળતો નથી. આ વાડી સંભાળ વગર ખરાબ થઈ જશે. જો !
(વૈતાલીય)
કળિયો મુખ અર્ધું ખોલિને
અટકી આ જલ વીણ શોષથી;
ગુંચવે ઉગતી સુ-વેલિને,
તૃણ કાંટા વધિ આસપાસથી. ૧
રાઈ: ત્યારે તું મને પુસ્તકો શા માટે આણી આપે છે ? માળીઓએ પુસ્તકો કરતાં ઝાડ ઉપર વધારે લક્ષ આપવું જોઈએ એ કબૂલ કરું છું પણ, મેં તને ઘણી વાર કહ્યું
રમણભાઈ મહીપતરામ નીલકંઠ અર્પણજે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે,અધિકારિ તે મધુમક્ષિકા એ મધુતાણી પહેલી ઠરે;તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું,જીવનસખી ! તે તુજ વિના રે ! જાય કોને અર્પિયું ? નાટકનાં પાત્ર પુરુષવર્ગ પર્વતરાય ...વધુ વાંચોકનકપુરનો રાજાકલ્યાણકામ : પર્વતરાયનો પ્રધાનપુષ્પસેન : પર્વતરાયનો સેનાપતિશીતલસિંહ : પર્વતરાયનો એક સામંતદુર્ગેશ: પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)વંજૂલ : કલ્યાણકામનો આશ્રિતરાઈ : કિસલવાડીમાંનો માળીજગદીપદેવ : રત્નદીપદેવનો પુત્ર --૦૦૦-- સ્ત્રીવર્ગ લીલાવતી : પર્વતરાયની રાણીવીણાવતી : પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રીસાવિત્રી : કલ્યાણકામની પત્નીકમલા : પુષ્પસેનની પુત્રીમંજરી : લીલવતીની દાસીલેખા : વીણાવતીની દાસીજાલકા : કિસલવાડીમાંની માલણઅમૃતાદેવી : રત્નદીપદેવની રાણી --૦૦૦-- સિપાઈઓ, નોકરો,
અંક બીજો પ્રવેશ ૧ લો સ્થળ : કનક્પુરની કચેરી [કલ્યાણકામ અને પુષ્પસેન કચેરીમાં બેઠેલા પ્રવેશ કરે છે.] કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું? પુષ્પસેન: કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો ...વધુ વાંચોમંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ. કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે
અંક ત્રીજોપ્રવેશ ૧ લો સ્થળ : દુર્ગેશનું ઘર. [દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.] દુર્ગેશ : પ્રિય ! આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, ...વધુ વાંચોઅને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે. કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી. દુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી. કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો. દુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના
અંક ચોથો પ્રવેશ ૧ લો સ્થળ : રુદ્રનાથનું મંદીર. [જાલકા અને શીતલસિંહ પ્રવેશ કરે છે. ] શીતલસિંહ : આજે સવારે કલ્યાણકામે મને બોલાવીને કહ્યું કે પૂજારણને પૂછજો કે મહારાજની આજ્ઞા હોય તોઇ તેમને નગરમાં પ્રવેશ કરવાનું મુહૂર્ત રાજજોશી પાસે ...વધુ વાંચોકરાવીએ. જાલકા : રાઈને મુહૂર્તની દરકાર નથી, પણ પર્વતરાય-રૂપ ધરત રાઈ ને પણ પર્વતરાય પેઠે મુહૂર્ત અનુસાર પ્રવૃત્તિ કરવી પડશે. છ માસ પૂરા થાય છે, માટે તે પછીનું મુહૂર્ત જોવડાવી વેળાસર ખબર મોકલાવશો એટલે નગરમાં આવવાની સવારી વિશે મહારાજ સૂચના મોકલશે. શીતલસિંહ : રાઈએ કાલે રાતે બને તેટલા વહેલા ભોંયરામાં દાખલ થઈ જવું જોઈએ. સવારીનું મુહૂર્ત બહાર પડશે એટલે લોકો
અંક પાંચમો પ્રવેશ ૧ લો સ્થળ : કલ્યાણકામની હવેલી. [સાવિત્રી, કમલા, વંજુલ અને બીજાઓ રસ્તે પડતા રવેશમાં બેઠેલાં પ્રવેશ કરે છે. ઘણાં સ્ત્રી-પુરુષો રસ્તે બે બાજુએ ઊભાં છે. ] કમલા : સવારી અહીં આવી પહોંચતાં સુધી સૂર્ય રોકાય અને ...વધુ વાંચોનહિ એવી સિદ્ધિ વંજુલમિશ્ર, તમારા બ્રહ્મતેજ વડે કરો કે જેથી સવારી અહીં આવે ત્યારે મહારાજનું મોં બરાબર જોઈ શકાય. સાવિત્રી: રુદ્રનાથથી સવારી નીકળી ચૂકેલી છે એમ ખબર આવી છે, તેથી અંધારું થતાં પહેલાં સવારી આ ઠેકાણે આવશે ને વંજુલના બ્રહ્મતેજનોઇ ખપ નહિ પડે. વંજુલ : નહિ તોયે ક્યાં કમલાદેવીને અમારા બ્રહ્મતેજ અપ્ર શ્રદ્ધા છે! કોઈ દહાડો એમને ત્યાં ભોજન કે