Saahasni Safare book and story is written by Yeshwant Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saahasni Safare is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાહસની સફરે - નવલકથા
Yeshwant Mehta
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
બહેનીની ખાતર જીવલેણ જંગ ખેલતા વીરાની વાર્તા
આ એક અદ્દભુતરસની સાહસકથા છે. જહાજવટ, ચાંચિયા, બહારવટિયા, વણઝારા, ઠાકોરો, ગુપ્ત ભોંયરાં અને ઇલમી નજૂમીઓના જમાનાની આ કથા છે. એનાં મૂળિયાં અરેબિયન નાઇટ્સની અદ્દભુત કથાઓમાં પડેલાં છે અને એની રજૂઆત પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે તેવી હળવી શૈલીએ કરવામાં આવી છે. અને એના દૃષ્ટિવંત લેખકે સાચી લોકશાહી તથા માનવીમાત્રની સમતાના ઉચ્ચ આદર્શો સુધ્ધાં એમાં વણી લીધાં છે.
વાર્તા એક ગુજરાતી શાહસોદાગરની પુત્રીના ચાંચિયાઓ દ્વારા અપહરણની અને એને છોડાવવા નીકળનાર એના ભાઈની છે. બહેનીને છોડાવવા માટે વહાલેરો વીરલો કેવાં કેવાં જીવસટોસટનાં સાહસો ખેડે છે, એની આ વાર્તા દરેક વાચક એકીબેઠકે પૂરી કરશે જ એની અમને ખાતરી છે.
સાહસની સફરે યશવન્ત મહેતા (કિશોર સાહસકથા, ૧૯૬૮) બહેનીની ખાતર જીવલેણ જંગ ખેલતા વીરાની વાર્તા આ એક અદ્દભુતરસની સાહસકથા છે. જહાજવટ, ચાંચિયા, બહારવટિયા, વણઝારા, ઠાકોરો, ગુપ્ત ભોંયરાં અને ઇલમી નજૂમીઓના જમાનાની આ કથા છે. એનાં મૂળિયાં અરેબિયન નાઇટ્સની અદ્દભુત કથાઓમાં ...વધુ વાંચોછે અને એની રજૂઆત પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે તેવી હળવી શૈલીએ કરવામાં આવી છે. અને એના દૃષ્ટિવંત લેખકે સાચી લોકશાહી તથા માનવીમાત્રની સમતાના ઉચ્ચ આદર્શો સુધ્ધાં એમાં વણી લીધાં છે. વાર્તા એક ગુજરાતી શાહસોદાગરની પુત્રીના ચાંચિયાઓ દ્વારા અપહરણની અને એને છોડાવવા નીકળનાર એના ભાઈની છે. બહેનીને છોડાવવા માટે વહાલેરો વીરલો કેવાં કેવાં જીવસટોસટનાં સાહસો ખેડે છે, એની આ વાર્તા દરેક
સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : કાળા ઘોડાના કાળા અસવાર રૂપા ચાંચિયાઓના હાથમાં પડી છે. એની સખી સોના પણ પકડાઈ છે. ચાંચિયા એમને ગુલામ તરીકે વેચવાના છે. દૂર દખ્ખણના દેશમાં લઈ જવાના છે. એ બધી વાતો વીરસેને ...વધુ વાંચોજયસેનને કરી. શેઠ જયસેન બહાદુએ આદમી હતા. જુવાનીમાં એમણે સાતસાત સાગરની ખેડ કરી હતી. હજુ એમની ખુમારી ઓર જ હતી. એ ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘બેટા વીરસેન ! અમે રૂપાને છોડાવવા જઈશું.’ પણ વીરસેન કહે, ‘તમારાથી ન જવાય, પિતાજી ! તમારી મોટી ઉંમર થઈ. તમારે હવે શાંતિ અને આરામનું જીવન ગાળવું જોઈએ. રૂપાને છોડાવવા તો અમે જ જઈશું.’ શેઠ
સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : કાલુ સરદાર ન બનવાનું બની ગયું છે. કાળા ઘોડાના કાળા અસવારો છે. લાલ આંખોવાળા છે. ગુસ્સાથી ભરેલા છે. એમણે વીરસેનને કોઈ બીજો માણસ ધારી લીધો છે અને એને મોતની સજા કરી ...વધુ વાંચોવીરસેનના સંતાપનો પાર નથી. એ તો શેઠ જયસેનનો દીકરો છે. બહેની રૂપાને ચાંચિયા ઉપાડી ગયા છે. સાથે સખી સોના છે. પણ્યબંદરના ગુલામબજારમાં ચાંચિયાઓ ગુલામ તરીકે એ બંનેને વેચવાના છે. પોતે એમને છોડાવવા નીકળ્યો છે. સમયની કિંમત એક-એક ઘડીની લાખ-લાખ રૂપિયા જેટલી છે. કાળા અસવાર મળ્યા ત્યારે માનેલું કે થોડો વખત બગડશે. આપણા પૈસા લૂંટાશે. બીજો વાંધો નહિ આવે. આપણે આગળ
સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : મોતના મહેલમાં ઠાકોર શ્યામસિંહ. નાનકડું એનું રાજ. મોટો એનો મહેલ. પ્રજાને લૂંટે. લૂંટીને ધણ ભેગું કરે. એમાંથી મોટાં મહેલ બંધાવે. સાહ્યબી કરે. ગુલામો ખરીદે. એશઆરામથી રહે. જેવું નામ એવા ગુણ. રંગે ...વધુ વાંચોઊંચો. તગડો. હબસી જેવો લાગે. એને ઘેર મહેમાન પધાર્યા. લાટદેશના રાજા ગુમાનસિંહ પધાર્યા. ભાવથી આવકાર આપ્યો. જેવો પોતે નીચ છે, એવો જ ગુમાનસિંહ છે. દુનિયામાં સદા સરખેસરખા વચ્ચે દોસ્તી બંધાય. સારા માણસની દોસ્તી સારા સાથે બંધાય. બૂરાની બૂરા સાથે. પણ આ ગુમાનસિંહ કાંઇ સાચો ગુમાનસિંહ નથી. આ તો વીરસેન છે. એનો ચહેરોમહોરો ગુમાનસિંહ જેવો છે. ઉંમર ગુમાનસિંહ જેટલી જ છે.
સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : ઝકમન કબુડીબાબા બહેની રૂપા અને સખી સોનાને છોડાવવાની એક નાવી યુક્તિ વીરસેને ઘડી કાઢી. જઈને ઊભો રહ્યો એક હકીમને ઘેર. હકીમસાહેબે પૂછ્યું, ‘કોણ છો ? કેમ આવ્યા છો ?’ વીરસેન કહે, ...વધુ વાંચોમુસાફર છીએ અને આપની પાસે એક દવા બનાવડાવવા આવ્યા છીએ.’ હકીમ કહે, ‘બોલો, શા દરદની દવા જોઈએ છે ? હા, અમે અરબસ્તાન દેશના બડા હકીમ છીએ. બધાં દરદની દવા અમે જાણીએ છીએ. તમને શાનું દરદ છે ?’ વીરસેન કહે, ‘અમને કશું દરદ નથી. વળી અમે દરદની દવા લેવા આવ્યા નથી. અમારે બીજી જ જાતની વસ્તુ જોઈએ છે. જો આપ એ