Hu Gujarati 15 books and stories free download online pdf in Gujarati

Hu Gujarati 15

હુંુ ગુજરાતી - ૧૫

’’બચપન, જ્યાં નિર્દોશ સપનાઓ આકાર લે છે.’’

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧. એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.ભલે પધાર્યા - કંદર્પ પટેલ

૫.કૌતુક કથા - હર્ષ પંડયા

૬.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૭.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૮.ઝીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

૯.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

૧૦.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૧૧.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૧૨.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૧૩.બોલીવુડ બઝ - સિદ્ધાર્થ છાયા

૧૪.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧. ‘યુવાનો દ્વારા બચપન અને બચ્ચપન બંનેની જાળવણી’

ફેબ્રૂઆરીનો મધ્ય એટલે ઠંડીનો જવાનો અને ગરમીનો આવવાનો સમય. અમારા ગયા ‘પ્રેમ વિશેષાંક’ ને આપે જે અભૂતપૂર્વ સાથ આપ્યો એણે અમને ફેબ્રૂઆરીની શરૂઆતમાં જ ગ્રીષ્મ ૠતુનો ગરમાટો આપી દીધો હતો. પ્રેમ ના પ્રકાર ઘણાં હોય છે અને પ્રેમના સંબંધો પણ કેટલાય હોય છે. પણ જે પ્રેમનો સંબંધ કોઈ પણ અપેક્ષા વગર સાવ અજાણ્‌યા વ્યક્તિઓ વચ્ચે રચાય તો કેવું? વળી આ સંબંધ યુવા અને ઉભરી રહેલા નૌજવાનો અને ગરીબ બાળકો વચ્ચે રચાય તો? અદ્દભુત કહેવાય ને? બસ આવોજ એક સંબંધ રચાયો છે દ્ગર્ય્ં ‘બચપન’ અને અમુક બાળકો વચ્ચે.

‘બચપન’ સાથે કાર્યરત અને આપણા દિવાળી અંકમાં પોતાનું પ્રદાન આપી ચુકેલા શ્રી કંદર્પ પટેલે જયારે ‘હું ગુજરાતી’ ને આ સંસ્થા વિષે માહિતી આપી અને ખાસ કરીને જે રીતે આ સંસ્થા નાણાની વ્યવસ્થા ઉભી કરે છે અને સેવાભાવી કાર્ય કરે છે, ગરીબ બાળકોને નિશુલ્ક શિક્ષા આપવાનું એ માહિતી સાંભળીને જ ‘હું ગુજરાતી’ એ નક્કી કરી લીધું કે આ સંસ્થાનું કાર્ય જેટલા વધુ લોકો સુધી પહોંચે એટલા સુધી પહોંચાડવું છે અને આથીજ અમે શ્રી. કંદર્પ પટેલ, જે પોતે પણ એક ઉભરતા લેખક છે, એમને આપણી મહેમાન કોલમ ‘ભલે પધાર્યા’ માં ‘બચપન’ વિષે વધુ માહિતી આપવા જણાવ્યું અને આ જ લેખને આપણે અગ્રતા આપીને કવર સ્ટોરી પણ બનાવી. આશા છે, ‘બચપન’ ની પ્રવુત્તિ થી માહિતગાર થઈને આપણે સહુ ‘બચપન’ ને સાથ આપવાની આપણાથી બનતી તમામ કોશિશો કરશું.

અસ્તુ,

‘હું ગુજરાતી’ પરિવાર.

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨.‘ૐે। ખ્તેદ્ઘટ્ઠિૈંં ૦ે’

‘છટ્ઠ ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠ દ્ઘીદૃૈં જિ૫ંટ્ઠ હ્વૈંદ્ઘી દ્ભઅટ્ઠ।અ =ીદૃટ્ઠ દ્બ૫ી ર્ં ંદ્બી હદૃૈં ર્ટ૨ ાિૈં ૦ી. છીદ્બ દ્બટ્ઠહ=ી’ છટ્ઠ ટર્મ્ઙ્ઘ ૦ી ૭ૈં કટ્ઠ૨િ દૃટ્ઠઙ્મીજહટ્ઠ.

દૃટ્ઠં ’ જટ્ઠષ્ઠૈં ૦ી દ્ઘ. છટ્ઠદૃૈં જિ૫ છહી જદ્બન્કજ્ર૨ ુટ્ઠ૮ટ્ઠ છટ્ઠ’હી ખ્તેદ્ઘટ્ઠિૈંંર્છહી ખ્ત૫૪ેં૪ૈંદ્બટ્ઠ। દ્ઘ દ્બ૫ૈં ૦ી. છટ્ઠ’ી રીઙ્મૈં દૃટ્ઠિ ‘દ્બટ્ઠ।’ ટમ્ઙ્ઘ ખ્તેદ્ઘટ્ઠિૈંંદ્બટ્ઠ। દ્ઘ ર્હ્વન્અટ્ઠ રંટ્ઠહી ? અટ્ઠઙ્ઘ ર્ં ાર્િ દ્ઘટ્ઠિ.

છહી છી૩ઙ્મી દ્ઘ ૈદૃશ્દૃ દ્બટ્ઠં ાી દ્ઘી ુટ્ઠ૮ટ્ઠ ૪ૌં છટ્ઠ’ી ખ્તડઙ્મ ૈદૃશ્દૃહી ાઙ્મર્ટદ્બિટ્ઠ। દ્બટ્ઠ’ૈંછી ૦ૈંછી, છી ુટ્ઠ૮ટ્ઠહૈં ર્૪ડ્ઢૈં દૃટ્ઠર્ંહી ાઙ્મર્ટિ ાિૈંછી.

ઙઋદ્બૈં કીહ્વ/ેછટ્ઠિૈં છી૩ઙ્મી ૈદૃશ્દૃ દ્બટ્ઠં ુટ્ઠ૮ટ્ઠ ૈઙ્ઘદૃજ રીઙ્મટ્ઠ એહીર્જીાછી ઋખ્ હદૃીસ્હ્વહિી ૈદૃશ્દૃ દ્બટ્ઠં ુટ્ઠ૮ટ્ઠ ૈઙ્ઘદૃજ િંૈાંી દ્બટ્ઠદ્ગઅ ાર્અઇ રર્ં ’ હ્વટ્ઠ।ય્ઙ્મટ્ઠઙ્ઘીટદ્બટ્ઠ। દ્બટ્ઠં હ્વી ૈદૃટ્ઠ૪ૈંર્છ ટરૈંઙ્ઘ ૪અટ્ઠ ીંહૈં અટ્ઠઙ્ઘદ્બટ્ઠ। ઙઋ કીહ્વ/ેછટ્ઠિૈંહી ૦ૈં ૈદૃશ્દૃ દ્બટ્ઠં ુટ્ઠ૮ટ્ઠ ૈઙ્ઘદૃજહૈં દ્બટ્ઠદ્ગઅંટ્ઠ દ્બ૫ૈં. દ્ભઙ્ઘટ્ઠષ્ઠ ુટ્ઠ૮ટ્ઠ દ્બટ્ઠ૩ી છટ્ઠ રીઙ્મૈં ટરટ્ઠઙ્ઘં રટી.

‘ખ્તેદ્ઘટ્ઠિૈંં’ ખ્તેદ્ઘટ્ઠિંહૈં દ્બટ્ઠંર્ં ર્જં /૪દ્બદૃટ્ઠિ જદ્બટ્ઠદ્ઘદ્બટ્ઠ। જી૪ટ્ઠૈં ાદૃિટ્ઠહે। ૭ીઅ દ્ઘઈહદ્બેૈહ ૭ૈં રીદ્બષ્ઠ।ુટ્ઠષ્ઠટ્ઠઅઇહી ુટ્ઠખ્તી =અ ૦ી. ઋઝદ્બૈં જઙ્ઘૈંદ્બટ્ઠ। ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠહી ઙ્મટ્ઠડ્ઢ ઙ્મડ્ઢટ્ઠદૃૈં ાન્ક*’ુૈદ્ભં ટ્ઠટ્ઠિ ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠહી દૃ૨ે જે।ઙ્ઘિ છહી જિ/ષ્ઠેિ હ્વહટ્ઠદૃદૃટ્ઠદ્બટ્ઠ। છટ્ઠૌદૃ હિૈજ।ર દ્બરીંટ્ઠ ર્હ દ્બર્‌દૃર્હ કટ્ઠર્૫ ૦ી. ઙ્મખ્તુખ્ત છી દ્ઘ જદ્બઅી િ૬ેહટ્ઠ૪ઙ્ઘટ્ઠજ, ૈ/ંદ્બ, દ્બેદ્ભંટ્ઠહ।ઙ્ઘ દ્ઘીદૃટ્ઠ ૌદૃદૃર્િછી ખ્તેદ્ઘટ્ઠિૈંં ૌદૃંટ્ઠહી ુૈદ્ભંજિ૪ૈં ંર્હ્વિ૫ ાિૈં ઋદ્બૈં જઙ્ઘૈંદ્બટ્ઠ। ૭ૈં દૃન્ઙ્મુી ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠહી ખ્તહ્વિટ્ઠ છટ્ઠઁઅટ્ઠ।..

છી ૦ૈં ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠહી હદ્બઇઙ્ઘ છહી ઙ્ઘઙ્મંટ્ઠિદ્બ દ્ઘીદૃટ્ઠ જે૨ટ્ઠર્િા દ્બ%અટ્ઠ।, ૌદૃ ઙ્ઘઙ્મીં ર્ં ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠહી ર્દ્બૂટ્ઠિહે। જી૪ટ્ઠહ છટ્ઠફએ।.

દ્ભૈદૃ ાઙ્મટ્ઠૈં, ાટ્ઠદ્ગં હટ્ઠહટ્ઠઙ્મટ્ઠઙ્મ, હ્વ. દ્ભ. ઈંર્ટ્ઠાિ દ્ઘીદૃટ્ઠ જટ્ઠૈર્‌અટ્ઠાટ્ઠર્િ ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠદ્બટ્ઠ। હટ્ઠદૃૈંદ્ગઅ જટ્ઠ૪ી છટ્ઠફઅટ્ઠ।, ુટ્ઠ૮ટ્ઠદ્બટ્ઠ। દૃઈષ્ઠટ્ઠૈિા ા/ટ્ઠ।ૈં છટ્ઠદૃૈં ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠ દૃ૨ે જિ૫, જરદ્ઘ છહી ર્ઙ્મરુય્અ ૪મ.

છટ્ઠડટ્ઠઙ્ઘૈં ૦ૈં ૭ૈં જેિીટ =ીટૈં, રિૈંદ્ગુ ઙ્ઘદૃી, ખ્તેઙ્મટ્ઠદ્બ દ્બર।દ્બઙ્ઘ ટીૂ, ષ્ઠૈંહે ર્દ્બઙ્ઘૈં, છટ્ઠૈઙ્ઘઙ્મ દ્બદ્ગજેિૈં છહી હ્વૈં= ૬’ટ્ઠ। ૌદૃ૭ી*ઈં છહી જટ્ઠૈર્‌આટ્ઠર્િ દ્બેદ્ભં ખ્તેદ્ઘટ્ઠિૈંં ઙ્મચહી છટ્ઠફઅટ્ઠ।. ઉટ્ઠટ્ઠ૮ટ્ઠ છહી જટ્ઠૈર્‌અદ્બટ્ઠ। હર્દૃ દૃ૫ટ્ઠ।ા છટ્ઠફર્અ.

’ જટ્ઠ૪ી જટ્ઠ૪ી ખ્તેદ્ઘટ્ઠિૈંં ૃિ છ।ખ્ત/ી+ ુટ્ઠ૮ટ્ઠહે। રટ્ઠદૃૈાંિ’ ’ ૪એ।. છ।ખ્ત/ી+ ુટ્ઠ૮ટ્ઠ દ્ઘ ૈદૃાટ્ઠજઙ્મ૯ૈં દ્બટ્ઠજ્રઅદ્બ ખ્ત’ટ્ઠદૃટ્ઠ ઙ્મટ્ઠય્એ।. ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠહૈં ૃી૯ટ્ઠ ૪મ. દ્બરરૂઙ્ઘ છ।ટી છટ્ઠદ્ઘી ’ છી ૈદૃષ્ઠટ્ઠિ૨ટ્ઠટ્ઠિ હ્વઙ્ઘઙ્મૈં ટાટ્ઠૈંં હ૪ૈં છી છટ્ઠ’ૈં ાદ્બહૈજહ્વૈં ૦ી.

ખ્તેદ્ઘટ્ઠિૈંં જદ્બટ્ઠદ્ઘ છી દૃટ્ઠં ુેઙ્મૈં ખ્તર્અ ાી ‘દ્ઘીહૈં ુટ્ઠ૮ટ્ઠ ુેઙ્મટ્ઠઅ છીહૈં જ।જીા કટ્ઠદૃ૩ ર્રદૃૈં દ્ઘઘિૈં દ્ઘ ૦ી. રટ્ઠ, છ।ખ્ત/ી+ દ્ઘઘિૈં દ્ઘ ૦ી. ’ દ્બટ્ઠં ુટ્ઠ૮ટ્ઠ ’ છી૩ઙ્મૈં દ્ઘ દ્બર્‌દૃહૈં ૦ી દ્ઘી૩ઙ્મૈં જરદ્ઘંટ્ઠ૪ૈં છટ્ઠ’ટ્ઠ ૈદૃષ્ઠટ્ઠર્િહી દ્બટ્ઠં દૃીખ્ત દ્બ૫ી ૦ી છી૩ઙ્મે। જરદ્ઘ છહઅ ુટ્ઠ૮ટ્ઠ હ્વટ્ઠહ્વીં ારૈં હ ટાટ્ઠઅ.

’ રદૃી કિૈં હદૃા/ટ્ઠ।ૈંહે। જદ્ઘઇહ ૪એ। ૦ી. ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠહી ઙ્મેઁં ૪ૈંં હ્વષ્ઠટ્ઠદૃદૃટ્ઠ હ્વષ્ઠટ્ઠદૃદૃટ્ઠ છહી જટ્ઠૈર્‌અહી ૈદ્ઘદૃ।ં ટ્ઠિૂદૃટ્ઠહે। એદૃટ્ઠર્હછી હ્વૈંડ્ઢે। ડડ્ઢઁએ। ૦ી. દ્ઘી /ટ।જહૈંઅ ૦ી. દૃ૫ૈં ૩ીાર્હર્ઙ્મ+ છહી ર્જૈટઅઙ્મ ૈદ્બૈડ્ઢઅટ્ઠહી ાટ્ઠિ’ી ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠ દૃ૨ે ડડ્ઢૈં છહી ફઅટ્ઠા હ્વહૈં ૦ી. ખ્તેદ્ઘટ્ઠિૈંં જટ્ઠૈર્‌અ ૈિ૮ઙ્ઘહટ્ઠ। છ૪ટ્ઠખ્ત /અ્‌ર્હ છહી ખ્તેદ્ઘટ્ઠિૈંંર્છહૈં ફઐદ્ભંખ્તં જદ્બદ્ઘઙ્ઘટ્ઠિૈંહટ્ઠ। ૈિ’ટ્ઠદ્બ જીદૃઘ ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠદ્બટ્ઠ। ઙ્મૂટ્ઠેં। છહી દૃ।ષ્ઠટ્ઠેં ૪એ। ૦ી. દ્ઘી જાટ્ઠટ્ઠિ્‌દ્બા છૈુખ્તદ્બ ૦ી. ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠ એદૃટ્ઠર્હ જે૨ૈં ર્ર।ષ્ઠૈંં ાદૃિટ્ઠહટ્ઠ છૈુખ્તદ્બ જટ્ઠ૪ી ેજીાંહૈં હ્વિ, દૃટ્ઠ।ષ્ઠી ખ્તેદ્ઘટ્ઠિં, ખ્તેદ્ઘટ્ઠિૈંં ૈઙ્મ૩િીષ્ઠિ કીૈજી૩દૃઙ્મ દ્ઘીદૃટ્ઠ ાટ્ઠઅઇા/ર્દ્બ ર્અ=અ ૦ી. ખ્તેદ્ઘટ્ઠિૈંંદ્બટ્ઠ। હ્વહીઙ્મૈં દૃીહ્વજટ્ઠચ૩, ખ્તેદ્ઘટ્ઠિૈંં ર્જહ્લ૩દૃીહિી ાટ્ઠિ’ી ’ ખ્તેદ્ઘટ્ઠિૈંં ુટ્ઠ૮ટ્ઠ ‘ૈદ્ઘદ્ગજ રીિંટ્ઠ, છ।ખ્ત/ી+ ર્હ્વઙ્મંટ્ઠ। એદૃટ્ઠર્હ જે૨ૈં ર્ર।ષ્ઠૈં ષ્ઠેૌં ૦ી. દ્બેં૨ઇદ્ગઅ જટ્ઠૈર્‌આટ્ઠિ ૭ૈં ખ્તે’દૃ।ં ટટ્ઠરહૈં દૃટ્ઠં અટ્ઠઙ્ઘ છટ્ઠદૃી ૦ી. ૈદૃર્શ્દૃા૮ ુદૃહદ્બટ્ઠ। ર્અ=અીઙ્મટ્ઠ છીા ાટ્ઠઅઇા/દ્બદ્બટ્ઠ। છીદ્બ’ી ારીઙ્મે। ાી ‘દ્ઘીહી છ।ખ્ત/ી+ હ છટ્ઠદૃડ્ઢદૃટ્ઠ હ્વઙ્ઘઙ્મ ર્૯ુ હ ર્રઅ છીદૃટ્ઠ છીા ખ્તેદ્ઘટ્ઠિૈંંહૈં રે। ર્ટ૨દ્બટ્ઠ। ૦ે।,’ છટ્ઠહ।ઙ્ઘ જટ્ઠ૪ી ારૈંટ ાી હ્વૈં= ૈઙ્ઘદૃજી કીજહ્વેા િ “ખ્તે’દૃ।ં ટટ્ઠરહૈં ર્ટ૨ દ્બટ્ઠટ્ઠિ િ ેિૈં ૪ટ્ઠઅ ૦ી” છીદૃટ્ઠ જી૩ી૩જ દૃટ્ઠ।ષ્ઠદૃટ્ઠ દ્બ૫ીઙ્મટ્ઠ। રંટ્ઠ।. છટ્ઠદ્ઘ ર્ં છટ્ઠ’ે। જટ્ઠકન્અ ૦ી ાી “ખ્તેત્નદ્ઘે” હી હ્વઙ્ઘઙ્મી છટ્ઠદ્ઘર્હ એદૃટ્ઠહ ખ્તદૃઇ૪ૈં “રે। ખ્તેદ્ઘટ્ઠિૈંં” ારીર્ં ૪ર્અ ૦ી. છહી છી દૃટ્ઠંહટ્ઠ। જ।ેં’ઇ ર્ખ્તંદૃિ જટ્ઠ૪ી દ્બટ્ઠિૈં દ્બટ્ઠં ુટ્ઠ૮ટ્ઠ ખ્તેદ્ઘટ્ઠિૈંંહી છીા જઙ્મટ્ઠદ્બ.

-ર્ખ્તટ્ઠઙ્મૈં હ્વેષ્ઠ

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

ભલે પધાર્યા

લેખકઃ કંદર્પ પટેલ

“બચપન - અમે નાનકડાં સપનાઓને પોષીયે છીએ”

૩ વર્ષ પહેલા શરૂ થયેલો નાનો છોડ આજે વટવૃક્ષ બનવા તરફ જઈ રહ્યો છે, તે દ્ગર્ય્ં એટલે બચપન.

વિદ્યાનગર એટલે રાત-દિવસ વિદ્યાર્થીઓની ચહેલ-પહેલથી ધમધમતું શહેર. વલ્લભ વિદ્યાનગરમાં મોડર્ન યંગ બ્લડ અલગ-અલગ જગ્યાએથી પોતાના એજ્યુકેશન માટે આવતા હોય છે. આ કહાણીની શરૂઆત આવા જ યુવાનોથી થઈ.

એન્જીનીયરીંગ કોલેજમાં ભણતા ૭ યુવાનો મોડી સાંજે ચા ના ઠેલા પર જાય છે. ત્યાં એક ૮-૧૦ વર્ષનો નાનો છોકરો તેમને ફાટેલી ચડડી-ગંજી અને ખભા પર ગંદા લાલ ખેસથી એક હાથમાં ચાની કીટલી અને બીજા હાથમાં પ્લાસ્ટિક કપ લઈને આવે છે. આ દ્રશ્ય સામાન્ય લોકો માટે સામાન્ય જ લાગે...! પરંતુ, આ વિદ્યાર્થીઓના હૃદયમાં મશીનરીના અભ્યાસ સાથે માનવતાનું કોમળ માનસ પણ હતું. અને, તેમને એ બાળકને પૂછ્‌યું, “કેમ, અહી આ કામ કરે છે?” ત્યારે જવાબ મળ્યો, “કરવું પડે છે સાહેબ...! મને પણ તમે જયારે શાળા-કોલેજોમાં બેગ લઈને ભણવા જાવ છો ત્યારે ભણવાની ઈચ્છા થાય છે. પરંતુ, પરિસ્થિતિ એ મને આ કામ કરવા મજબુર કર્યો છે. અહી ૨ ટાઈમ જમવાનું મળી જાય છે અને મારો દિવસ નીકળી જાય છે.” આ નાનકડા હૃદયના કેટલા અરમાનો હશે. કેટકેટલી ઈચ્છાઓ હશે, કેટલાયે સપનાઓ હશે...!અને ત્યારે, આ ટેકનીકલ ફિલ્ડના સ્ટુડન્ટ આ બાળકને પોતાની પોકેટમનીમાંથી ભણાવવાનો અને ખર્ચો ઉઠાવવાનો નિર્ણય લે છે. પરંતુ આ બાળક જેવા કેટલાયે નિર્દોષ પુષ્પો હશે, જેના દિલનો રામ પણ બળતો હશે પોતાના ફૂલને ઠોકરો ખાતો જોઈને..! અને ૩ વર્ષ પહેલા આ વિદ્યાર્થીઓ ખુબ નોબલ કાર્ય માટે પોતાના કદમ માંડે છે. અને બાળમજૂરી કરતા બાળકોને ભણાવવાનો નિર્ધાર કરે છે.

આજે, ૩ વર્ષ પછી પણ આ કાર્ય એટલું સારી રીતે કાર્યરત છે. અને, એ કોમળ સુમનોના ગુલદસ્તામાં ઉત્તરોતર વધારો થતો ગયો અને જાણે આજે ‘બચપન’નો બગીચો બની ગયો. હાલમાં ‘બચપન’ ૩ અલગ-અલગ પ્રવૃત્તિઓ પર સંકેદ્રીતપણે કાર્ય કરે છે.

૧) આધાર : ૫૦+ જેટલા વિદ્યાર્થીઓનો સંપૂર્ણપણે ખર્ચો ઉઠાવીને તેમને આગળ ભણાવવાની જવાબદારી સાથે આગળ વધી રહ્યા છે. તેમના માટે શહેરની સારામાં સારી સ્કુલોમાં એડમિશનથી માંડીને તેમના કપડા, ટ્‌યુશન ફી અને બુક્સની જવાબદારી ‘બચપન’ ઉઠાવી રહ્યું છે.

૨) પાઠશાલા : ‘બચપન’ની ટીમ ૬૦૦+ જેટલા વિદ્યાર્થીઓને રોજ ભણાવવા માટે જાય છે. આ ટીમના દરેક લોકો પોતે પણ સ્ટુડન્ટ જ છે. પોતાની કોલેજનો સમય પૂરો થયા પછી તેઓ રોજ ૨ કલાક માટે સ્લમ વિસ્તારમાં રહેતા અને એજ્યુકેશનથી વંચિત રહી ગયેલા બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે. ઉપરાંત, શનિવારના દિવસે અલગ-અલગ પ્રવૃત્તિઓ દ્વારા બાળકની અંદર રહેલા ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે.

૩) એબીસીડી : આ પ્રોજેક્ટ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને વાંચન માટે પ્રેરણા આપે છે. ‘બચપન’ની ટીમ ના સહિયારા પ્રયાસથી અલગ-અલગ વિષયો પર આધારિત એવી પ્રેરણાદાયી પુસ્તકોની એક લાઈબ્રેરી બનાવી છે. જેમાં વિદ્યાર્થી પુસ્તકોનું વાંચન કરીને કલ્પનાના રંગોની પૂર્ત્િા પોતાના માનસપટ પર રચે છે. એક સારો વાચક જ સારો વ્યક્તિ બની શકે. વિદ્યાર્થીઓને લઘુતાગ્રંથીથી પીડાયા વિના જ પોતાના સપનાઓને સાકાર કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહે છે.

ઉપરાંત, દરેક ઉત્સવમાં ‘બચપન’ની ટીમના ૨૦૦ જેટલા વોલ્યુન્ટીઅર્સ દરેક બાળકો સાથે જ ઉજવીને હૃદયની ખુશી અનુભવે છે. હોળીમાં બાળકો સાથે રંગબેરંગી રંગોથી રંગાઈને ‘બચપન’ની ટીમ જીવનની સાર્થકતાની લાગણીને જીવી જાણે છે. દિવાળીમાં દરેક બાળકને કપડાની જોડી અને પેંડાનું બોક્સ દર વર્ષે આપીને થોડું પુણ્‌ય પોતાના જીવનમાં ઉમેરે છે. ક્રિસમસના દિવસે ‘બચપન’ની ટીમનો દરેક સભ્ય પોતે જ સાન્તાક્લોઝ બનીને બાળકોની ઈચ્છાઓને પૂરી કરે છે. ઉપરાંત વિજ્જ્ઞાન મેળો, સ્પોર્ટ્‌સ ડે, એજ્યુકેશનલ અવેરનેસ પ્રોગ્રામ, બ્લડ ડોનેશન કેમ્પ અને વાષ્ર્િાકોત્સવની ઉજવણી કરીને એક સામાન્ય શાળા કરતા અનેકગણી ખુશી ભગવાનના રમકડાઓમાં ઉમેરે છે.

વલ્લભ વિદ્યાનગર, આણંદ, નડિયાદમાં જુદા જુદા ૮ સ્થળો પર ‘બચપન’ની સંપૂર્ણ ટીમ કાર્યરત છે. સંપૂર્ણ ખર્ચ દર ૩ મહીને કેમ્પેઈન દ્વારા મળેલી સહાયથી થાય છે. ઉપરાંત, કોઈ મોટા વ્યક્તિ પાસેથી દાન-ધર્માદો લઈને કાર્ય થતું નથી. પોતાના ફાલતું સમયમાં આવું ઉમદા કાર્ય કરવાની હિંમત ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા જ ચલાવવામાં આવે છે આ દ્ગર્ય્ં. નિઃસ્વાર્થતાનો ઉત્તમ નમુનો એટલે ‘બચપન’. આજનું વર્તમાન આવતીકાલના દેશના ભવિષ્યની દોર હાથમાં ઝાલીને ચાલે છે, આ કાર્ય જ ઉમદા અને પ્રેરણાદાયી છે.

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગાંધીઃ ટેસ્ટ મેં બેસ્ટ, વાંચન મેં શ્રેષ્ઠ

ગાંધી આજકાલનો નહીં, પણ બહુ જ વ્યવસ્થિત રીતે ચગવેલો અને ચોળેલો વિષય છે.એના નામે કંઈ કેટલાય તરી ગયા અને ચરી પણ ગયા. ગાંધીજી વિષે જેટલા પુસ્તકો અને પી.એચ.ડી. થયા છે એમાં મૂળ ગાંધી ક્યાંક ખોવાયો છે. સાથે એ કબુલ પણ કરવું પડશે કે ગાંધી અને કૃષ્ણ હજીય જનમાનસને પોતાની અસરો પહોંચાડી રહ્યા છે. આ વખતે કૌતુક કથામાં ગાંધીજીને જ કી-બોર્ડ હવાલે કરીએ છીએ...

* હંમેશા બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબુદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે.

* જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જ જોઈએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય. તેવો અસંતોષ હોવો જ જોઈએ.

* (અંગ્રેજ) (અને એ બહાને આપણી ;) ) પાર્લામેન્ટનું કામ એવું સરળ હોવું જોઈએ કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય. તેને બદલે આટલું તો સૌ કબુલ કરે છે કે પાર્લામેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે. સૌ પોતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. મોટા સવાલોની ચર્ચા જયારે પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા ઝોલા ખાય છે. તે પાર્લામેન્ટમાં મેમ્બરો એવા બરાડા પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે.

* એક છાપાવાળો એક આગેવાન અંગ્રેજને પ્રમાણિક ગણશે, બીજો છાપાવાળો તેને અપ્રમાણિક ગણશે. આવા જે દેશમાં છાપાં છે તે દેશના માણસોના કેવા બેહાલ હોવા જોઈએ?

* હિન્દુસ્તાન અંગ્રેજોએ લીધું નથી, આપણે તેમને આપ્યું છે. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. તમારી કંપની બહાદુર કોને બનાવી? કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઈને કોણ મોહાઈ જતા? ઈતિહાસ પુરાવો આપે છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલ્દી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે?

* કુરાને શરીફમાં એવા સેંકડો વચનો છે કે જે હિન્દુને માન્ય હોય; ભગવદગીતામાં એવું લખેલું છે કે તેની સામે મુસલમાનને કંઈ જ કહેવાપણું ન રહે. કુરાને શરીફમાં કેટલુક મારાથી ન સમજાય અથવા મને પસંદ ન આવે તેથી શું મારે તેને માનનારનો તિરસ્કાર કરવો? કજીયો બે માણસથી જ થાય. મારે કજીયો જ નહીં કરવો હોય તો મુસલમાન શું કરે? અને મુસલમાનને નહીં કરવો હોય તો હું શું કરવાનો હતો? સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાને વચમાં પડવા ન દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.

* પ્રશ્નઃ અંગ્રેજો (અત્યારે રાજકારણીઓ) બંને કોમને બનવા દેશે ખરા? ગાંધીજીઃ આ સવાલ બીકણ માણસનો છે. એ સવાલ આપણી હલકાઈ બતાવે છે. બે ભાઈને બનાડવું હોય તો તેમાં કોણ ભંગ પાડી શકે છે? બેમાંથી એક પાકા હૈયાના હોઈશું તો ત્રીજો ફાવી શકે તેમ નથી, હું એમ કહેવા નથી માંગતો કે હિંદુ-મુસલમાન કોઈ દહાડો લડશે જ નહીં. બે ભાઈ ભેળા રહે ત્યારે તકરાર થાય છે. કોઈ વેળા આપણાં માથા ફૂટશે, તેમ થવાની જરૂર હોય નહીં, પણ બધા માણસો સરખી મતિના નથી હોઈ શકતા. એકબીજા આવેશમાં આવે ત્યારે ઘણીવાર સાહસકામ કરે છે. તે આપણે સહન કરવા પડશે. પણ આપણે તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહીં લઈ જીએ. બે જણ લડયા, બંનેના કે એકના માથા ફૂટ્‌યા પછી તેમાં ત્રીજો માણસ શો ન્યાય કરનાર હતો? લડશે તે ઘવાશે પણ ખરા. શરીરેશરીર અફળાય ત્યારે તેની નિશાની રહે જ. તેમાં ન્યાય શો હોઈ શકે?

* આજકાલ છાપાવાળા દેશદ્રોહી થઈ પડયા છે. જો તેઓ દેશ માટે કામ કરતા હોય તો સમજીને ખરા રીપોર્ટ કરવા જોઈએ. બધા ખરાબ છે એ કહેવું ખોટું તો ખરૂં, પણ એમાંના ઘણાખરા નાલાયક છે.

* “દોલત અને ખુદાને અણબનાવ છે.ગરીબના ઘરમાં જ ખુદા વસે છે.” આમ અંગ્રેજી પ્રજા મોઢેથી બોલે છતાં વહેવારમાં પૈસાને સર્વોપરી પદ આપે છે, પ્રજાના પૈસાદાર માણસની ગણતરી કરી પ્રજાને સુખી માને છે ને અર્થશાસ્ત્રીઓ પૈસો જલદીથી કેમ કમાવો તેના કાયદા ઘડે છે કે જે શીખીને પ્રજા પૈસો મેળવે. ખરૂં અર્થશાસ્ત્ર તો ન્યાયબુદ્‌ધિનું છે. દરેક સ્થિતિમાં રહી ન્યાય કેમ કરવો, નીતિ કેમ જાળવવી એ શાસ્ત્ર જે પ્રજા શીખે છે તે જ સુખી થાય. બાકી તો ફાંફાં છે ને વિનાશકાળે વિપરીત બુદ્‌ધિ જેવું બને છે. પ્રજાને ગમે તેમ કરી પૈસાદાર થતાં શીખવવું તે વિપરીત બુદ્‌ધિ શીખવવા જેવું છે.

પાપીની કાગવાણીઃ

હું હિંસક ગાંધીવાદી છું.

* ચંદ્રકાંત બક્ષી(ઈટીવી ના ‘સંવાદ’ કાર્યક્રમમાં)

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

૬. “તમે શું કરશો?- ‘હટકે’ આઈડિયાને પહેલા ‘હીટ કરશો કે ‘હોટ’?”

ધારો કે તમે એક એન્ટરટેઈનમેંટ પ્રોમોશન (દેસી ભાષામાં ‘ઈવેન્ટ મૅનેજમેન્ટ’) કંપનીના ચીફ માર્કેટિંગ મૅનેજર છો. તમારી કંપની ઈન્ટરનેટના વ્યાપને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ્‌સ સ્વીકારે છે. ઈનૉવેશન અને ક્રિએટીવીટી જેવા ફેક્ટર્સ તમારી કંપનીના લોકોના લોહીમાં વહે છે. હવે એક દિવસ અચાનક જ તમારા બોસ તમને એકલાને કૉન્ફરન્સ રૂમમાં બોલાવી એક અગત્યના સમાચાર આપે છે.ઃ

“દુનિયાની એક ઘણી મશહૂર કંપની નવા જ બનનાર થીમ-પાર્કનું ટોટલ પ્રોમોશન કરવાનો કોન્ટ્રક્ટ આપણને આપી રહી છે. તમે આ થીમ-પાર્ક તૈયાર થાય અને એનું ઓપનિંગ થાય એ પહેલા જ એવું કાંઈક કરી બતાવો કે ખુબ જ ઓછા (બલ્કે નહીંવત્) એડવર્ટાઈઝીંગ બજેટમાં પણ એનું નામ-જાહેરાત આખી દુનિયામાં ફેલાઈ જાય. આ પ્રોજેક્ટને સફળ બનાવવાની સંપૂર્ણ જવાબદારી હું તમને સોંપુ છું.

ઓલ ધ બેસ્ટ.”

તમારી શું હાલત થાય? માર્કેટિંગના લીડર તરીકે તમે એવું શું કરી શકો કે ખુબજ ઓછા ખર્ચે, ઓછી જાહેરાતના બજેટમાં આ કામ સફળ થાય?

જે પણ થાય તે થવાનું. આપણે ટૅન્શન ન’ઈ લેવાનું. જેને આવું કામ મળ્યું એ છોકરીએ પણ ન લીધું, બલ્કે એણે તો બીજાઓને સોંપી ઊંલટું સાબિત કરી આપ્યું કે દરેક મોટા કામમાં એક નાનકડો ઉકેલ સમાયેલો હોય છે. જરૂર છે એને અંદર સર્ચ કરી બહાર નીકાળવાનો. હીટ કરી હોટ કરવાનો યા તો હોટ કરી હીટ કરવાનોપમરજી તમારી!

સિન્ડી ગોર્ડન એનું નામ. નવ વર્ષ પહેલા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એની નવીસવી કારકિર્દીની શરૂઆત. નાની-મોટી બ્રાન્ડેડ વસ્તુઓનું અવનવું પ્રોમોશન કરતા રહેવાનું, ડીઝની-વલ્ડૅ જેવા ખેરખાંની સાથે સતત હરીફાઈમાં ઉતરતા રહેવાનું વાતાવરણ. રોજબરોજ એક નવી ચેલેન્જનો સામનો કરવાની જવાબદારી.

ઉફ્ફ્ફ્!!!! હવે એવા વખતમાં એક દિવસ એને પણ આવી જ એક પરિસ્થિતિનો સામનો કરવો પડે જ્યારે એની સામે આખી દુનિયાને પોતાની જાદુઈ સૃષ્ટિ દ્વારા મોહી લેનાર હેરી પોટરના થીમ-પાર્ક ને પ્રોમોટ કરવાની પ્રોપોઝલ આવે ત્યારે શું હાલત થાય?પ.

તોયે એક ચપળ બિઝનેસ વીરાંગનાની જેમ સિન્ડીબેને એવું શું કર્યું કે થોડાંજ કલાકોમાં (દિવસો નહિ) એની અ(સામાન્ય) પ્રોમોશન ટેક્નિકનો જાદુ ઈન્ટરનેટ પર હેરી પોટરના મગલની જેમ આખી દુનિયામાં ફરી વળ્યો. અને એ પણ જાહેરાતનો ખર્ચ કર્યા વગર!પ જો એ ચાહતે તો કોઈ મોટી ઁ.ઇ (ઁેહ્વઙ્મૈષ્ઠ ઇીઙ્મટ્ઠર્ૈંહજ) કંપનીને મળી આઈડિયાઝનો ખડકલો કરી શકી હોત. અમેરિકાના મોટા અખબારોમાં મુખ્ય પાનાં પર મોટી કિંમતની નાનકડી જાહેરાત આપીને વાત ફેલાવી શકી હોત. પણ એ બધું બાજુ પર મૂકી તેણીએ એક અલગ રસ્તો અખત્યાર કર્યો.

સિન્ડીએ થોડીવાર તો મનોમંથન કર્યું કે એવું શું કરવુ કે પોતાને મળેલી જવાબદારીની વાત બહાર જાય નહિ ને જે વાત એને દુનિયામાં ફેલાવવી છે એ અંદર પણ રહે નહિ. દિમાગના થયેલા દહીંનાં થોડાં વલોણા પછી એની મદદે આપણી ગુજ્જુ સ્ટાઈલ વાળી ‘ઓટલા પરિષદ’ના તુક્કાનુ માખણ તરી આવ્યું. (આખરે સ્ત્રી ખરીને).

ઈન્ટરનેટના બ્લોગ-બજારમાં આમ તો એ પોતાનું નાનકડું સ્થાન ક્યારનીયે બનાવી ચુકી હતી. એટલે એણે અલગ-અલગ શહેરોમાંથી એવા ફક્ત ૭ જણાને પસંદ કર્યા જે એની વાતને ધ્યાનપૂર્વક સાંભળી શકે અને વાતને વાઈરસની જેમ ફેલાવી પણ શકે.

આ ૭ બ્લોગર્સ એવા હતાં જે હેરી પોટરની જાદુઈ દુનિયામાં ચારેબાજુથી જોડાયેલા હતાં. એમની સાઈટસ પર હજારો-લાખો એવા વાંચકો (આપડે ‘ફેન’ કો’ને બાપુ!) આવતા (અને હજુયે આવે છે હોં!) જેમને માટે હેરી પોટર એક સુપર હીરો હોય અને એના વિશે જોડાયેલી દરેક વાતમાં દરરોજ કાંઈક ને કાંઈક નવું જાણવા તલ-પાપડ રહેતા હોય. સિન્ડીબેને એ બધાંને એની નાનકડી ઈ-મેઈલ આમંત્રણ-પત્રિકામાં એક મોટી વાત લખી.

“દોસ્ત, હેરી પોટરનાં થીમ-પાર્ક વિશે મારે તમને એક વિશેષ સમાચાર આપવા છે. વાત ઘણી ખાનગી છે. તારીખ-વાર આ મુજબ છે. તૈયાર રહેજો.”

આ ૭ જણાને તો જાણે અમેરિકાના પ્રેસિડેન્ટનું તેડું આવ્યું હોય એમ લાગ્યું. એ લોકો માટે આ વાત ખાસ કરતા પણ કંઈક વિશેષ બની ગઈ. કેમ કે આ ‘થીમ-પાર્ક’ વિશે એમણે પહેલી વાર સાંભળ્યું અને એ વિશે વધુ જણાવવા એમને જાણે એક ખાસ મહેમાન તરીકે ઈન્વાઈટ કરવામાં આવ્યા હતાં! આ ખાસ મીટીંગ ‘વેબિનાર’ (ઈન્ટરનેટના માધ્યમમાં થતો સેમિનાર) હતી. (એમ જ કો’ને કે દરેકને પોતાના ઓટલા પર જ બેસી રહેવાનું હતું!). જ્યાં આ જમાત એકબીજાના કોમ્પ્યુટરથી લાઈવ જોડાવાની હતી.

નિયત સમયે (૩૧મી મે ૨૦૦૭) સિન્ડીએ આ ૭ જણની પેનલને ‘સિન્ડિકેટ’ કરીને થીમ-પાર્ક વિશે પ્રસ્તાવનારૂપ માહિતી આપી. સૌને વિશ્વાસ બેસે એ માટે થીમ-પાર્કના વાઈસ-પ્રૅસિડેન્ટ મી. સ્કોટ ટ્રોબ્રીજ દ્વારા જ એમની સામે ટૂંકમાં થીમ-પાર્કને લગતા વિચારો, પ્લાન્સ, આયોજનના વાઈરસ ફેલાવી દેવામાં આવ્યા. કારણ કે સિન્ડી એક જ બેઠકમાં બધી જ માહિતીઓ આપી દે એટલી મૂર્ખ પણ ન હતી. એ જોવા પણ માંગતી હતી કે એની આટલી માહિતીની પણ શું અસર સર્જાય છે. બીજી માહિતી પછી કેમ, કેવી રીતે આપવી એ કામ આ વેબિ‘નાર’ પર નિર્ભર હતુ!

હવે આ તરફ ૭ સમુરાઈ બ્લોગર્સ તો માહિતીઓનો નાનકડો બોમ્બ લઈને એમાં રહેલા વાઈરસનો વરસાદ ફેલાવવા મરણીયા બની ગયા. કેમ કે એમને એ દેખાઈ ચુક્યું હતું કે એમની બ્લોગ-સાઈટ પર અનિયંત્રિત ટ્રાફિક જામ થવાનો હતો. અને થયું પણ એમ જ. થોડાં જ કલાકોમાં એમના ચક્રો ગતિમાન થઈ ગયા. પોતાના ‘હેરી’ દોસ્તો, સગા-વ્હાલાઓ, બ્લોગ-રીડર્સ પર ઈ-મેઈલથી, ટીઝર્સથી, લેખોથી આ ખબરનો મારો ચલાવી દીધો. તમાશાને તેડુ થોડું હોય!?!?પ

જયારે બીજી તરફ થીમ-પાર્ક બનાવનાર મુખ્ય કંપની યુનિવર્સલ રીઝોર્ટ પણ શાણી નીકળી. એ પણ આ ત્રાટકનાર આઈડિયા-વાઈરસની અસલી અસરનું પ્રતિબિંબ બતાવવા પોતાની સાઈટ પર સમાચારને સમર્થન આપવા પુરતી માહિતીનો મસાલો ભરી તૈયાર થઈ ચુકી હતી. આ બધાં બ્લોગ-વિઝીટર્સનાં મેટ્રીક્સ-એનાલિસીસ દ્વારા આંકડો બહાર આવ્યો. અઠવાડિયામાં તો લગભગ ૩૫૦ મિલિયન (૩૫૦,૦૦૦૦૦૦) લોકોને આ ‘ખાનગી સમાચાર’ની ખબર વાયુ-વેગે પહોંચી ચુકી હતી.

“ગાંડાઓના ગામ ના હોય અલ્યા! એ તો જગેજગ ફેલાયેલા હોય.” એની સિન્ડીને પણ ખબર હોવી જોઈએ. ૧૮મી જુન ૨૦૧૦ ના દિવસે જ્યારે આ થીમ-પાર્ક ઓરલાન્ડોમાં લાખો લોકોની સામે ખરેખર ખુલીને ઊંભો હતો ત્યારે એક નાનકડા વિચાર-વાઈરસની આટલી જબરદસ્ત અસર થશે એવું સિન્ડીને માનવામાંપપ..આવતુ જ હોય ને પ્રભુ!

સિન્ડીના ઓટલા પરિષદનો આ તુક્કો ખરેખર હીટ ગયો. કેમકે એણે હેરી પોટરના ‘ફેન્સ’ને સૌથી પહેલું મહત્વ આપ્યું. એને ખબર હતી કે ઈન્ટરનેટ પર સામાન્ય વાંચન વાંચતા રહેતા સામાન્ય રીડર્સ કરતા ખાસ વાંચન વાંચતા ખાસ વિષયના વહાલાં રીડર્સને ડાઈરેકટ કોન્ટેક્ટ કરવામાં વધુ સમજદારી છે. એ જ લોકો એના વિચાર-વસ્તુને ને ‘હોટ’ કરી ‘હીટ’ શકે છે. (આ ખાસ પેરેગ્રાફ પણ ખાસ કરીને વાંચજો દોસ્તો!)

“ના હોય યાર! શું વાત કરો છો?પઆવું ખરેખર થયું?” તમને મનમાં થતું હશે. પણ દોસ્તોપએવું થયું અને હજુ એનાથીયે જોરદાર ઘટનાઓ બની છે, બનવાની છેપબનતી રહેશે. દિલમાં હામ હોય..દિમાગમા આઈડીયાનો જામ હોય પછી શું કામ ના હોય?!?!?!? વિચારનો વેપાર કાંઈ આમ જ થાય છે?

જો સિન્ડી ગોર્ડન કરી શકતી હોય તો ઓટલા પરિષદના માસ્ટર ગુજરાતીઓ આપણે કેમ નહિ? છે એવું કોઈ જેમણે એના જેવું યા એને પણ બાજુ પર મૂકી દે એવું કોઈ વૈચારિક સાહસ કર્યું હોય?!?!?! જો હા હોય તો બોસ! નેક્સ્ટ સ્ટોરી તમારીપપાક્કી!

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૭. અમેરિકાઃ પિઝ્‌ઝા, હેમ્બર્ગર અને કોકોકોલાના દેશમાં આપનું સ્વાગત છે!

યુનાઈટેડ સ્ટેટ્‌સ ની રાંધણકળા તેનો ઈતિહાસ દર્શાવે છે. અમેરિકાના યુરોપિયન વસાહતીકરણએ આ દેશને સંખ્યાબંધ સામગ્રીઓનો પરિચય આપ્યો. કૂકિંગની વિવિધ શૈલીઓ ૧૯ મી અને ૨૦ મી સદી પણ સારી રીતે વિસ્તરી, ઘણા વિદેશી દેશો તરફથી ઈમિગ્રન્ટ્‌સના ધસારાએ આ દેશના ક્વીઝીનમાં એક સમૃદ્ધ વિવિધતા વિકસાવી.

શરૂઆતમાં મૂળ અમેરિકનો અમેરિકન ભોજનમાં સંખ્યાબંધ પદ્ધતિઓ આધારે રસોઈ કરતા જે આગળ જતા યુરોપિયન પદ્ધતિઓ સાથે ભેળવવામાં આવી છે. જયારે વર્જીનીયા, મેસેચ્યુસેટ્‌સ, અથવા ઉત્તર અમેરિકાના પૂર્વીય સાગરકાંઠાના પ્રદેશને વસાહતીઓ આવ્યા ત્યારે તેમની રસોઈ પદ્ધતિ અગાઉની બ્રિટિશ રસોઈપદ્ધતિ જેવી જ હતી.

૧૮ મી અને ૧૯ મી સદી દરમિયાન, અમેરિકનોએ ઘણા નવા ખોરાક ‘વિકસાવ્યા’. આ પ્રોગ્રેસિવ એરા (૧૮૯૦-૧૯૨૦) દરમિયાન ખોરાક ઉત્પાદન અને પ્રસ્તુતિ વધુ ઔદ્યોગ્િાક બન્યું. અમેરિકન રસોઈની એક લાક્ષણિકતા એ છે કે તે એક કરતા વધુ પ્રાદેશિક વાનગીઓના ફ્યુઝનથી એક નવી જ વાનગી બનાવે છે. જેમકે હેમ્બર્ગર અને હોટડોગ, કે જે મૂળ જર્મન વાનગીઓ છે તેમાં વિશ્વયુદ્ધ બાદ અમેરિકી રંગ લાગ્યો. આવું જ ઈટાલિયન પિઝ્‌ઝા જોડે પણ થયું. આજે અમેરિકન પિઝ્‌ઝા એ મૂળ ઈટાલિયન પિઝ્‌ઝા કરતા સ્વાદમાં ઘણી અલગ વાનગી છે.

ત્યારબાદ ૧૯૭૦માં જુલિયા ચાઈલ્ડ અને ગ્રેહામ કેરના આવવાથી સેલિબ્રિટી શેફનો જમાનો ચાલુ થયો. ફૂડ નેટવર્ક ચેનલના આવ્યા બાદ આવા અનેક સેલિબ્રિટી શેફ સામે આવ્યા.

૧૯૮૦ દરમિયાન, અપસ્કેલ રેસ્ટોરાં એ વાનગીઓનું મિશ્રણ કરવાની એક શૈલી વિકસાવી જે રસોઈની અમેરિકનાઈઝ્‌ડ શૈલીઓને વિદેશી તત્વો સાથે ભેળવીને રજુ કરતા. જે ન્યુ અમેરિકન ક્વીઝીન તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂ અમેરિકન રાંધણકળા પકવવાની અને સોસનો નવીન રીતે ઉપયોગ કરે છે. મૂળ ફ્રેન્ચ, નુવેલે અને મૂળ અમેરિકન ક્વીઝીનમાં એશિયન, લેટિન અમેરિકન, મેડીટરેનિયન અને અન્ય ક્વીઝીનની વાનગીઓ તથા તત્વો ઉમેરવામાં આવ્યા છે.

ડોનાટ્‌સ અને કપકેક એ પારંપરિક વાનગીઓ હોવા છતાં ઈ.સ. ૨૦૦૦ પછી ટ્રેન્ડી ફૂડ તરીકે ઓળખવા લાગ્યા.

આજે આપણે બે અમેરિકન વાનગીઓનો પરિચય કરીશું : ચાઉડર અને હેમ્બર્ગર. ચાઉડર એ વેજીટેબલ્સ અથવા મીટ માંથી બનતો અત્યંત ક્રીમી સૂપ છે જયારે હેમ્બર્ગર એ બધાને મનપસંદ અત્યંત ચીઝી બર્ગર છે.

કોર્ન એન્ડ પોટેટો પાઉડર

સામગ્રી

૧ ટેબલસ્પૂન તેલ

૧ ૧/૨ કપ સમારેલા લીલા કેપ્સીકમ

૧ કપ લીલી ડુંગળી સમારેલી (આશરે ૧ ઝૂડી)

૨ કપ મકાઈ દાણા

૧ ૧/૪ કપ પાણી

૧ ચમચી સીઝનીંગ (ઓરેગાનો, બેઝીલ, થાઈમ વગેરે)

૧/૮ ચમચી ખાંડેલા લાલ મરચાં

૫૦૦ ગ્રામ બટાકા, ૧/૨ ઈંચના ટુકડામાં સમારેલા

૧ કપ ક્રીમ

૧/૪ કપ સમારેલી કોથમીર

૩/૪ ચમચી મીઠું

૧/૨ કપ છીણેલું ચીઝ

રીતઃ

૧. એક પેનમાં તેલ લો. તેમાં કેપ્સીકમ અને ૩/૪ કપ લીલી ડુંગળી લો અને લગભગ ૪ મિનીટ સુધી સાંતળો.

૨. તેમાં મકાઈના દાણા, પાણી, સીઝનીંગ, લાલ મરચા અને બટાકા નાખી તેને ઉકાળવા દો.

૩. ઉભરો આવે એટલે ધીમા તાપે લગભગ ૧૦ મિનીટ સુધી અથવા તો બટાકા નરમ થાય ત્યાં સુધી ખદખદવા દો.

૪. ત્યારબાદ આંચ પરથી દૂર કરી, તેમાં ક્રીમ, મીઠું અને કોથમીર ઉમેરો.

૫. સૂપને બાઉલમાં કાઢી, ઉપરથી ચીઝ અને લીલી ડુંગળી ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

વેજીટેરિયન હેમ્બર્ગર

સામગ્રી

૪૦૦ખ્ત કાબુલી ચણા

૩૪૦ખ્ત મકાઈ ના દાણા

અડધી ઝૂડી કોથમીર

ઘ ચમચી પૅપ્રિકા

ઘ ચમચી ખાંડેલા ધાણા

ઘ ચમચી ખાંડેલુ જીરૂં

૧ લીંબુની ઝેસ્ટ (છીણેલી છાલ)

૩ ચમચી મેંદો

મીઠું

તેલ

૧ નાની લેટ્‌યુસ

૨ મોટા પાકેલાં ટમેટાં

ટામેટા કેચઅપ

૪ બર્ગર બન

રીતઃ

૧. કાબુલી ચણા અને મકાઈના દાનને ફૂડ પ્રોસેસરમાં લો. લગભગ અડધી કોથમીરને, ડાળખી સાથે તેમાં ઉમેરો. તેમાં મસાલા, લોટ, લેમન ઝેસ્ટ અને મીઠું ઉમેરો. મિશ્રણ સ્મૂધ થાય ત્યાંસુધી ફૂડ પ્રોસેસરમાં ફેરવો.

૨. મિશ્રણના ચાર સરખા ભાગ કરી તેને પેટીસનો શેપ આપો. ફ્રીજમાં લગભગ ૩૦ મિનીટ માટે સેટ થવા દો.

૩. એક મોટા ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ થવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં પેટીસને ગોલ્ડન બ્રૂન તાલી લો.

૪. હવે બર્ગર બનને વચ્ચે થી અડધો કરી તેના નીચેના ભાગ પર કેચપ લગાવો. તેના પર પેટીસ મૂકો. તેના પર લેટ્‌યુસ લીફ, ટામેટાની સ્લાઈસ અને થોડા કોથમીરના પાન મૂકી બનને ઢાંકી દો.

૫. કેચપ અને મસ્ટર્ડ સોસ સાથે સર્વ કરો.

ઝીંદગી રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

૮. પ્રેમની પરિભાષા-ઈમરોઝ

“જિંદગીની બધી મુશ્કેલીઓ નાનું સત્ય અને ઈમરોઝનો સાથ મોટું સત્ય.”-આ શબ્દો છે ભારત અને પાકિસ્તાનની લોકલાડીલી અને ખ્યાતનામ લેખિકા અમૃતા પ્રીતમના.

અમૃતાજી પોતાના સાહિત્યિક યોગદાન માટે ઈતિહાસમાં અમર થઈ જ ગયા છે, પણ દોસ્તી અને પ્રેમની દુનિયામાં પણ એમની લાગણીઓ અને સંબંધોએ નવો ચીલો ચીતર્યો છે.

અમૃતાજી જે ઈમરોઝને પોતાના જીવનનું સૌથી મોટું સત્ય ગણે છે એ ઈમરોઝ નાં તો એમના પતિ છે કે ના તો એમના પ્રેમી! અને છતાં અમૃતાજી પોતાની જિંદગીના છેલ્લા ચાલીસ વર્ષો ઈમરોઝ સાથે જીવ્યા છે. આજીવન પ્રીતમ સિંઘ સાથે લગ્નના બંધનમાં કાયદેસર બંધાયેલા રહેલા અમૃતા દિલથી સાહિર લુધિયાનવી સાથે વણાયેલા હતા, અને છતાં ઈમરોઝ એમના જીવનનો એક એવો છાયડો હતો કે જે તેઓ મરતા સુધી જીવ્યા. આજે મારે અમૃતજીના ભાવ પ્રદેશમાં નહિ પણ ઈમરોઝના મહોબ્બત-મહેલમાં મહેમાનગતિ લેવી છે અને તમને સૌને એક નવી પ્રકારના પ્રેમની વાર્તા કહેવી છે.

વાત છે એક એવા ઘરની જેમાં બે મિત્રો એક પરિવારની જેમ રહે છે. ઈમરોઝના જ શબ્દોમાં કહીએ તો “અમૃતા, નાં બીજું કાઈ પણ નહિ! બીજું કોઈ પણ નહિ.તમે મારા દીકરી છો અને હું તમારો પુત્ર છું.” કેટલી પરિપક્વતા, પવિત્રતા અને હિંમત જોઈએ સંબંધોને આ રીતે વિસ્તારવા માટે? અમૃતાના બાળકો કંદલા અને નવરાઝને પિતાથી વિશેષ પ્રેમ, મિત્રથી વિશેષ હુંફ આપવી, એમને શાળાએ લેવા મુકવા જવા,એક પિતાની બધી ફરજો પૂરી કરવી - એ પણ મિત્ર સંબંધે! કેટલું જટિલ છતાં કેટલું સરળ અને કેટલું શાશ્વત?

ઈમરોઝ એટલે પ્રેમને પળે-પળમાં જીવી જનાર અને કેનવાસ પર બખૂબી ઉતારી જનાર ખ્યાતનામ ચિત્રકાર. પોતાની પ્રસિદ્‌ધિ અને પ્રોફેશનને પરે જીને ઈમરોઝે પોતાની આખી જિંદગી અમૃતામય થઈને વિતાવી છે. ઈમરોઝ ૧૯૫૭માં અમૃતાને પહેલી વાર મળ્યા હતા. અમૃતા પોતાના એક પુસ્તકના કવરપેજ માટે કોઈ સારા કલાકારની તલાશમાં હતી અને એક મિત્ર થકી તેઓ ઈમરોઝને મળ્યા. ઈમરોઝએ પહેલી મુલાકાતને યાદ કરતા કહે છે કે અમૃતાને પહેલી વાર જોઈને જ મારૂં દિલ કહી ઉઠ્‌યું હતું કે-“અમૃતા એ પ્રકારની સ્ત્રી છે જેની સાથે હું મારી આખી જીંદગી જીવવા ઈચ્છું છું. અને મેં ખરેખર એ જ કર્યું.”

ઈમરોઝ પ્યાર-ઈશ્ક-મહોબ્બત-લવ જેવા શબ્દોથી પર રહીને પણ પ્રેમની પરિભાષા ખરા અર્થમાં જીવી ગયા.રોજ સવારે અમૃતા પોતાના ઘરના બગીચામાં ઝાડ-પાનને પાણી પાતા અને એ સમયે ઈમરોઝ એમની સાથે-સાથે રહીને એમને ન્યુઝ પેપર વાંચી સંભળાવતા. એક બીજાથી કંટાળ્યા વગર, સાથે જીવવાની, નાની નાની પળોને એક-બીજાની ઉષ્માથી જીવંત બનાવવાની-ખારા અર્થમાં સહજીવનને જીવી જવાની અભૂતપૂર્વ ઘટના એટલે ઈમરોઝ અને અમૃતા.

અમૃતાજી પોતાના ઈમરોઝ સાથેના સહજીવન વિષે કહેતા કે-“જિંદગી, ઈમરોઝના સાથમાં, કોઈ સમતલ વસ્તુ નથી. તે અતિની ઊંંચાઈઓ અને નીચાણોથી ભરેલી છે. એમાં બે વ્યક્તિત્વ મળે છે અને અથડાય છે-નદીઓનાં પાણીની જેમ મળે છે અને બે ભેખડોની જેમ અથડાય છે. પણ ચૌદ વર્ષ(રામ વનવાસ જેટલા વર્ષ)ના અનુભવ પછી કહી શકું છું કે આ રસ્તાનું નીચાણ નાનું સત્ય છે અને આ રસ્તાની ઊંંચાઈઓ મોટું સત્ય છે.”

અમૃતાજી ઈમરોઝના સ્વભાવ-લાગણીઓ બખૂબી સમઝે છે અને કહે છે કે-“ઈમરોઝનું વ્યક્તિત્વ નદીના પ્રવાહ જેવું છે. જેમ નદી એક સીમા સ્વીકારે છે, પણ નહેર જેવી પાળ બાંધેલી સીમા નહિ. ઈચ્છે તો પોતાના પ્રવાહનો રાહ પણ બદલી શકે છે. ઈમરોઝ માટે કોઈ સંબંધ એ બંધન નથી ત્યાં સુધી જ સંબંધ છે. સંબંધો ઘણું ખરૂં પોતાના સ્વાભાવિક સ્વતંત્ર રૂપમાં નથી હોતા.ક્યારેક એમની લગામ કાયદાના હાથમાં હોય છે, તો ક્યારેક સામાજિક કર્તવ્યના. પણ ઈમરોઝનાં જ શબ્દોમાં કહીએ તો-જો રસ્તો આપણો છે તો રીત-રસમની શી જરૂર છે?- દરેક કાયદો રીત રસમ હોય છે. ઈમરોઝને આ રીત રસમ પોતાના રસ્તાની બેઈજ્જતી લાગે છે.”

ઈમરોઝ અમૃતા કરતા લગભગ છ વર્ષ નાના હતા અને છતાં તેઓ બંને એક-બીજાને સમઝી-માણી-જીવી શકતા હતા. ઈમરોઝ રમૂજમાં અમૃતાને કહેતા-“અમૃતા, હું તમારૂં શીર્ષાસન, તમે મારા પ્રાણાયામ!”

અમૃતા સ્વભાવે થોડા ભૂલકણા. તેઓ મનમાં ઘણી વસ્તુ આમ-તેમ અભરાઈ,માળીયે, કબાટમાં મુકીને ભૂલી જતા. અને જે અનાયાસે મળી પણ આવતી. ઘણી વાર પૈસાની તંગી હોય ત્યારે અમૃતાના કોઈને કોઈ બેંક એકાઉન્ટમાંથી (જે તેઓ ભૂલી ગયા હોય) રૂપિયા મળી પણ આવતા. વસ્તુ-પૈસા અનાયાસે મળી આવતા પ્રસંગ સચવાઈ જતો અને ઈમરોઝ પ્રેમથી ટકોર કરતા-“અમૃતા, તમે મારો પણ થોડોક ભાગ બચાવીને ક્યાંક જરૂર રાખ્યો હશે, જેથી તે નવા જન્મમાં કામ લાગે!”

અમૃતા ઘણીવાર નવરાશની પળોમાં પાસે બેઠેલા ઈમરોઝની પીઠ પર આંગળીથી કૈક લખતી અને જાણે-અજાણ્‌યે પોતાના પ્રેમ સાહિરનું નામ પણ લખતી. ઈમરોઝ ક્યારેય આ વાતથી પણ વ્યથિત નાં થતા અને કહેતા-“જે રીતે સાહિર અમૃતાના છે, એજ રીતે મારી પીઠ પણ અમૃતાની છે. તો એને ગમે એ લખે, મને શું કરવા વાંધો હોય?”

અમૃતા જિંદગીના છેલ્લા પડાવ પર ખુબ બીમાર રહ્યા ત્યારે પણ ઈમરોઝ અડીખમ તેમની સાથે જ હતા. અમૃતાએ છેલા શ્વાસ ઈમરોઝની પાસે લીધા અને ઈમરોઝ શોક નહિ પણ હાશ અનુભવ્યા કે-“મારી અમૃતા પીડાથી મુક્ત થઈ!”

ઈમરોઝ સાચા અર્થમાં પ્રેમના સમાનર્થી થઈને જીવ્યા અને અમૃતાજી એમના માટે કૈક એવુજ અદ્‌ભુત લખતા ગયા...

“મેં તેનું ફિર મિલાંગી,

કીથ્થે? કિસ તરહ? પતા નહિ!

શાયદ તેરે તખીય્‌લ ડી ચીનાગ બનકે,

તેરે કેનવાસ તે ઉતરાંગી

ય ખોરે તેરી કેનવાસ દે ઉત્તે,

ઈક રહસ્મયી લકીર બનકે,

ખામોશ તેનું તક્દી રવંગી..

મેં તેનું ફિર મિલાંગી...”

ઈહખ્તઙ્મૈજર ્‌ટ્ઠિહજઙ્મટ્ઠર્ૈંહઃ

ૈં ુૈઙ્મઙ્મ દ્બીીં ર્એ અીં ટ્ઠખ્તટ્ઠૈહ

ર્રુ ટ્ઠહઙ્ઘ ુરીિી? ૈં ાર્હુ ર્હં.

ઁીરિટ્ઠજ ૈં ુૈઙ્મઙ્મ હ્વીર્ષ્ઠદ્બી ટ્ઠ

કૈખ્તદ્બીહંર્ ક ર્એિ ૈદ્બટ્ઠખ્તૈહટ્ઠર્ૈંહ

ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠઅહ્વી, જિીટ્ઠઙ્ઘૈહખ્ત દ્બઅજીઙ્મક

ૈહ ટ્ઠ દ્બઅજીંર્િૈેજ ઙ્મૈહી

ર્

હ ર્એિ ષ્ઠટ્ઠહદૃટ્ઠજ,

ૈં ુૈઙ્મઙ્મ ાીી ખ્તટ્ઠડૈહખ્ત ટ્ઠં ર્એ....

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૯. “સફળતાનો મૂળમંત્ર : કામમાં ધ્યાન રાખવું”

મહાન લેખક અને વિચારક માર્ક ટ્‌વેઈનનું એક ખૂબ જ પ્રચલિત વાક્ય છે કે, જ્યારે કોઈ પણ વ્યક્તિની મનની સર્જનશક્તિ જ આઉટ ઓફ ફોકસ હોય તો માત્ર આંખો પર આધાર રાખવાનો કોઈ અર્થ સરતો નથી. બલકે કાર્યની નિષ્ફળતા માટે આંખોને દોષ પણ આપવો પણ યોગ્ય નથી. ટ્‌વેઈનનું આ સૂત્ર દરેક નોકરિયાતે નોકરીના સ્થળે હંમેશાં મનમાં રમતું રાખવું જોઈએ. નોકરીના સ્થળે આંખ, કાન ખુલ્લા રાખવા જોઈએ તો જ કારકિર્દીને પાંખો મળે તેવું તમે ઘણી વખત વાચ્યું સાંભળ્યું હશે. આંખ કાન ખુલ્લા રાખવા સાથે તમે એક્ચ્યુઅલી જે હેતુથી એટલે કે આર્થ્િાક ઉપાર્જનના મુખ્ય આદેશથી દિવસ રાત એક કરીને નોકરી કરી રહ્યા છો, એ ઓફિસમાં કરતા કાર્યમાં તમારૂં ચિત્ત ચોંટવું કે ધ્યાન કેન્દ્‌રિત કરવું જરૂરી છે. જો તમારો જીવ તમારા કામમાં ન લાગતો હોય તો કાલે માત્ર એક દિવસ તમને સોંપાયેલું કાર્ય ગમાડવાનું શરૂ કરો તો તમને અહેસાસ થશે કે તમારા કાર્યમાં જીવ ચોંટાડવો એ એવરેસ્ટ સર કરવા જેવું અઘરૂં નથી.

શિક્ષણની પ્રવૃત્તિ પૂરી થયા પછી જિંદગીમાં અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે કર્યા વિના તમારી સામાજિક ક્ષેત્રે પણ ગણના ઘટે છે. અહીં સીધો ઈશારો આર્થ્િાક ઉપાર્જનનો છે. જોકે આજના કોર્પોરેટ યુગમાં માત્ર આર્થ્િાક ઉપાર્જન માટે ૧૦ થી ૫વાગ્યા સુધીની નોકરી કરીને મહિને પગાર મેળવી લીધો એટલે ભયો ભયો જેવી સરળ વ્યાવસાયિક જિંદગી રહી નથી. નોકરિયાત અને નોકરીદાતા બંનેની અપેક્ષાઓનો ગ્રાફ ખૂબ જ ઊંંચો જી રહ્યો છે. નોકરિયાતને સતત બઢતી અને વ્યાવસાયિક ક્ષેત્રે નામના મળે તેવી ખેવના હોય છે તો સામે પક્ષે નોકરીદાતા કંપનીની અપેક્ષા પણ પોતાની કંપનીના કર્મચારી પાસેથી એવી હોય છે કે તેઓ રોજ પોતાના કાર્યમાં ઉર્ધ્વ ગતિ તરફ આગળ વધે. મલ્ટિનેશનલ કંપનીની પદ્ધતિની વાત કરીએ તો આજે આ કંપનીઓની અપેક્ષા હોય છે કે તેમનો કર્મચારી વ્યાવસાયિક રીતે સબ બંદર કા વ્યાપારી જેવો હોય. આવા સમયે સૌથી વધુ અગત્યનું છે, નોકરિયાત જે કાર્ય કરે તેમાં તેનું ચિત્ત પરોવવું.

કામને ગમતું કરો

અહીં આપણે શિક્ષણકાળનું ઉદાહરણ લઈએ. આપણી શિક્ષણ પદ્ધતિ મુજબ જોઈએ તો એસ.એસ.સી. સુધીના શિક્ષણના વિષયો મોટેભાગે એકસરખાં જ હોય છે. એક ધોરણમાં પાસ થયા પછી જ આગળના ધોરણમાં વિદ્યાર્થીને પ્રવેશ મળે છે. હવે ધોરણ નવ કે દસમાં આવતા બધા જ વિષયોમાં વિદ્યાર્થીને રસ પડે કે ન પડે તોય તે ભણવા ફરજિયાત હોય. જે તે વિષય ન ગમે તે વાતે જો વિદ્યાર્થીનું નાકનું ટીંચકું ચડી જાય તો વિદ્યાર્થી આગળના ધોરણમાં કઈ રીતે જી શકે. વિદ્યાર્થીકાળમાં જ એ વિષયો ન ભણવા હોય તો પણ તેમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ ભણે છે. બલકે વિષયમાં ગતાગમ ન પડે તો પણ તે વિષયને લગતા પ્રશ્નો શીખવાનો પ્રયત્ન કરે છે. વ્યાવસાયિક જીવનમાં પણ ઘણા તબક્કે આવું જ બનવાની શક્યતાઓ છે. ભણતા, નોકરી મેળવ્યા પછી, નોકરીમાં બઢતી મળતાં ઊંંચું પદ મેળવ્યા પછી કે કંપનીના મેનેજર બન્યા પછી, બિઝનેસ ડિલ વખતે કે અંગત જિંદગીમાં એવા ઘણા વિષયો અને પ્રશ્નો હશે કે તમે તેને હવામાં ફંગોળી દેવા માટે પ્રયત્ન કરશો, પણ ગુરૂત્ત્વાકર્ષણના નિયમની જેમ જ આવા પ્રશ્નો અવકાશમાં ફંગોળાઈને ફરી તમારા માથે ટકોરા દેશે. તો જ્યારે પણ તમારા અંગત કે વ્યાવસાયિક જીવનમાં અણગણતા પ્રશ્નો ઊંભા થાય ત્યારે પહેલાં એ વિષય, પ્રોજેક્ટ કે પ્રશ્નોને ગમતા કરો. તેમાં રસ લેવાનો પ્રયત્ન કરો. જે પ્રશ્નો કે પ્રોજેક્ટ પ્રત્યે અણગમો હોય તેના ઉકેલ વિચારો, બલકે વિવિધ ઉકેલ વિચારો અને તેને અમલમાં મૂકો. તમે જો એ પ્રશ્નો વિશે વિચાર કરશો તો એ પ્રત્યે આપોઆપ જ રસ ઊંભો થતો તમે જોઈ શકશો.

પોતાનામાં રહેલી ક્ષમતા ઓળખો

તમે હેનરી ફોર્ડનું નામ તો સાંભળ્યું જ હશે. વિશ્વ પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની ફોર્ડના ફાઉન્ડર હેનરી ફોર્ડનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. મૂળે તેમનો પરિવાર આયરલેન્ડવાસી હતો, પણ સંબંધીઓ અમેરિકામાં વસ્યા હોવાથી હેનરીના માતા - પિતા પરિવાર સહિત અમેરિકા આવીને વસ્યા હતા. અહીં પણ તેઓએ કૃષ્િાઉદ્યોગ વિકસાવ્યો હતો. ૧૫ વર્ષની ઉંમર સુધી હેનરીએ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું અને ખેતીના કામમાં પણ માતા - પિતાની મદદ કરતા. જોકે તેમને યંત્રો પ્રત્યે ભારે આકર્ષણ રહેતું. પિતાની કમરજી હોવાથી પિતાથી છૂપી રીતે રાત્રે ઘડિયાળ, ખેતીના સાધનો જેવા યંત્રો ખોલીને તેનું યાંત્રિકીકરણ જોતાં. ક્યારેક પડોશીની કોઈ ચીજ ખરાબ થઈ જાય તો હેનરી એ ચીજને રિપેર કરી આપતાં. ૧૬ વર્ષની ઉંમરે જ હેનરીને સમજાઈ ગયું કે તેમને યાંત્રિક વિદ્યામાં રસ પડે છે તેથી પોતાના રસના વિષયનું કામ કરવા માટે ઘર છોડીને ચાલ્યા ગયા. ડેટ્રોઈટના કારખાનામાં કામ કર્યું ત્યાંથી પાછા ઘરે ફર્યા અને પોતાના ખેતરની જગ્યામાં મશીન મરમ્મતનું કારખાનું ખોલ્યું. કારખાનામાં ગેસ એન્જિન અને ભારે કામ કરનારી મશીન બનાવવાની યોજના બનાવી, જોકે તેમાં ઝાઝી સફળતા ન મળી છતાં હાર ન માનતા તેઓ પાછા ડેટ્રોઈટ ગયા. ૧૮૯૦માં તેમણે એડિસન ઈલેક્ટ્રીક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું અને પેટ્રોલથી ચાલનારી ગાડી બનાવી અને એ પછી ડેટ્રોઈટ ઓટોમોબાઈલ કંપનીમાં તેમણે રેસ કાર બનાવી. રેસ કારના લીધે તેમનું નામ થયું એ પછી તેમણે ૧૯૦૩માં ફોર્ડ મોટર કંપની સ્થાપી. હેનરી ફોર્ડના જીવન પરથી શીખવા જેવું છે કે જીવનમાં જરૂરી હોય તેવું દરેક પ્રકારનું શિક્ષણ લેવું જોઈએ, પણ પોતાનામાં રહેલી ક્ષમતાને ઓળખવી જોઈએ અને પોતાને રસ હોય તેવા જ ક્ષેત્રની નોકરીની પસંદગી કરવી જોઈએ.

ચોટલી બાંધીને કામે વળગો

ચોટલી બાંધીને કામે વળગી જાઓ. વડવાઓએ આ કહેવત અમથી નથી કહી. માન્યતા મુજબ, પ્રાચીન કાળમાં શિષ્યોની ચોટલી જેને શિખા કહેવામાં આવે છે તે લાંબી રહેતી. વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે ત્યારે તેની બેઠક સાથે તે ચોટલીને પાછળથી બાંધી દેવામાં આવતી. ખુરશી સાથે બાંધી હોવાથી ભણતી વખતે શિષ્ય જરા પણ હલે તો ચોટલી ખેંચાય તેથી તે અભ્યાસ પૂરો કર્યા વગર ખસી શકે નહીં. શક્ય છે કે આ વાયકા સાચી હોય, પણ આજના સમયમાં હવે તમારી અદૃશ્ય ચોટલીને જાતેજ બાંધીને કોઈ પણ કાર્યમાં સોએ સો ટકા ધ્યાન આપવા પ્રયત્ન કરવો પડશે તો જ તમે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકશો. વ્યાવસાયિક જીવન હોય કે પછી અંગત જીવન કોઈ પણ કામમાં ધ્યાન આપવા માટે અને તે કાર્યનું સોએ સો ટકા પરિણામ મેળવવા માટે તમારે પોતેજ કાર્યમાં ફોકસ કરવું પડશે.

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

૧૦. “પોસ્ટરવૉર, ઍડવૉર અને એવું બધું....”

જેટ એરવેઝની બેંગ્લોર-મુંબઈ ફ્લાઈટમાં લખાયેલો આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં દિલ્હીની આવામે પોતાના હકની મહોર મારી દીધી હશે. એક તરફ ‘એકે-૪૯’ અને બીજી તરફ ‘ઉમ્મીદની કિરણ’ - કોની સત્તા આવશે? જનતાએ મારેલી મહોર ‘તીર’ હશે કે ‘તુક્કો’? રાજ કરનારી પાર્ટી ‘મૈં’ના મખમલી મસ્કાબાજોની પાર્ટી હશે કે ‘આપ’નો આગાઝ કરનારી - યે તો વક્ત હી બતાયેગા! ચૂંટણી અને લગતા બનાવોનું એક અલગ દ્રષ્ટિથી અવલોકન કરીએ તો ધ્યાનમાં આવશે કે પબ્લિકને વશ કરવા દરેક ચૂંટણીમાં અવનવા નૂસખાઓ અને વાતોના વડાં થાય છે. ચૂંટણી પહેલાં નેતાઓ શું-ક્યાં-કેમ-કેવી રીતે ‘થઈ શકે’ એ સમજાવે અને ચૂંટણી પછી એ જ નેતાઓ શું-ક્યાં-કેમ-કેવી રીતે ‘ન થઈ શકે’ એ સમજાવીને લોકોના મન મનાવે છે. ઘણી વાર એવું બને કે લોકોએ કહેલા વાક્યો કે પાર્ટીઓના મીડિયામાં પ્રકાશિત પોસ્ટરો-કાર્ટૂનો અખબારોની હેડલાઈન બને છે અને વિવાદોના મધપૂડા છેડે છે. કોઈ સાદા પ્લેન-વેનિલા-ફ્લેવર જેવા પ્રચાર સામાન્યપણે જાહેરજનતાના ધ્યાનમાં કદાચ ન આવે પણ કોઈ વિવાદાસ્પદ, વાંધાસ્પદ અને હાસ્યાસ્પદ ઘટનાઓ બને ત્યારે આખો દેશ તેના તરફ ધ્યાન આપે છે. રાઈ જેવડી ટચૂકડી વાતનું વતેસર થાય અને આવા કિસ્સાઓમાં ‘એવેલેન્ચ ઈફેક્ટ’ ધ્યાનમાં આવે છે. ધારો કે એક બરફનો ડુંગર છે જેની ટોચ પરથી બરફનો એકાદો નાનો ગાંગડો દળદળ કરતો નીચે આવે છે. ડુંગરની સપાટી પરથી દળતો એ નાનો ગાંગડો જ્યાં લગી નીચે પહોંચે ત્યાં તો એ મોટો- જબરો-જાયન્ટ સ્નોબોલ બની જાય છે. આને જ કહેવાય એવેલેન્ચ ઈફેક્ટ!

દિલ્હીની ચૂંટણી પણ આવા જ એક દૌર માંથી પસાર થઈ. આ વખતની દિલ્હીની ચૂંટણીમાં પોસ્ટર, જાહેરખબર (ઍડ) કે કાર્ટૂન જેવા અદેખાઈના ઓઝારોથી દરેક પાર્ટી વિરોધી પક્ષને વેતરવામાં લાગી પડી હતી. પાર્ટીઓ પોતાના વિરોધી પક્ષને નીચા દેખાડવામાં ચાર ચાસણી ચડે એવા મહેણા મારવાની મજા લઈ રહ્યાં હતાં. દિલ્હી ચૂંટણીના કારણે ‘પોસ્ટરવૉર’ શબ્દ હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. કેચી વનલાઈનર્સ હંમેશાથી જ આપણા ઍડમીડિયામાં છવાયેલા રહ્યાં છે. મને લાગે છે કે ’વૉર’ શબ્દ આપણા ‘વાર’ (હુમલો) શબ્દ પરથી બન્યો હશે, અને એટલે જ પોતાના હરીફ અને દુશ્મનો પર વાર કરવામાં આ ‘પોસ્ટરવૉર’ અને ‘ઍડવૉર’ શબ્દો વપરાતા હશે. થયું એવું કે ‘આપ’ના પ્રમુખ નેતાને ચીતરતા બે-ત્રણ પોસ્ટર ભાજપે જાહેરજનતા સામે મૂક્યાં. એકમાં ‘આપ’ના પ્રમુખને પોતાના બાળકોની કસમ ખાતા અને કોંગ્રેસ રૂપક પોતાની પત્નીનો પાલવ પકડેલા દેખાડવામાં આવ્યા. એ જ ચિત્રમાં લોકપાલ બિલ ફેમ ‘અણ્‌ણા હઝારે’ને હાર ચડાવેલાં ફોટામાં દર્શાવવામાં આવેલા. હજી આ પોસ્ટરનો ઉભરો શમે એ પહેલાં જ બીજું એક પોસ્ટર બહાર કાઢ્‌યું જેમાં ‘આપ’ના પ્રમુખ ‘એક બંગલા બને ન્યારા’ના સપનાં જોતાં બતાવ્યા. ત્રીજા પોસ્ટરમાં તો ભાજપે ‘આપ’ પક્ષ અને પ્રમુખના જ્જ્ઞાતિ કે ગોત્રની ટીકા કરી એવાં સમાચારો પણ વહેતાં થયા હતાં.

જો કે આવા યુદ્ધો દેશ-વિદેશમાં વર્ષોથી થતાં આવ્યાં છે. ક્યારેક સમય મળે ત્યારે યુટ્‌યુબની વેબસાઈટ પર ‘ઓડી’ કંપનીની કારની એક ઍડ જોઈ લેજો. એમાં વિશ્વની ચાર બેસ્ટ કાર-બ્રાન્ડસની લાક્ષણિકતાને ધ્યાનમાં લઈને ‘ઓડી’ કંપનીએ પોતાની જાહેરાત બહાર પાડી. એ ઍડમાં એવું દર્શાવવામાં આવેલું કે ડીઝાઈન, કમ્ફર્ટ, સેફ્ટી અને સ્પોર્ટનેસ આવા ચાર ગુણો ધરાવતી દુનિયાની ચાર કારની બ્રાન્ડસ છે. ચારેય બ્રાન્ડસને ચાર અલગ અલગ વર્તુળમાં દર્શાવ્યા. દરેક વર્તુળમાં જે તે કંપનીની પોતાની બેસ્ટ ઓફર મૂકવામાં આવી અને છેલ્લે એ ચારેય વર્તુળોને ભેગા કરીને ‘ઓડી’એ પોતાના લોગોમાં રૂપાંતર કર્યું. મતલબ કે ચાર ટોપ બ્રાંડની કારના ગુણો આ એક જ કારમાં છે. છે ને માસ્ટર સ્ટ્રોક! સન ૧૮૮૬માં આવેલી બ્રાંડ પેપ્સી અને સન ૧૯૦૩માં આવેલી કોકા-કોલા પોતાના પ્રથમ દિવસથી જ એકબીજાના દુશ્મન રહ્યાં છે. જાહેરાતોમાં બંને કંપનીઓએ વૈશ્વિક સ્તરે પોતાની છાપ ઉપસાવવા અનેકાનેક પ્રયત્નો કર્યા છે. ૧૯૯૬ના ક્રિકેટ વર્લ્ડકપ વખતે કોકા-કોલા અને પેપ્સી વચ્ચે ખરાખરીનો જંગ જામેલો. જેમતેમ કરીને કોકા-કોલા કંપનીએ ઓફિશિયલ સ્પોન્સરશીપનું ટેન્ડર જીત્યું પણ પોતે ‘કોકા-કોલા ઓફિશિયલ સ્પોન્સરર’ એવી કોઈ જાહેરાત બહાર પાડે એ પહેલાં જ પેપ્સીએ ‘નથીંગ ઓફિશિયલ અબાઉટ ઈટ’વાળી ટેગલાઈન સાથે અડધો ડઝન કરતાં પણ વધું અને ફિલ્મસ્ટારો અને ક્રિકેટરોને લઈને ઠેરઠેર જાહેરાતો મૂકે દીધી. એ વર્લ્ડકપમાં કોકા-કોલાએ ચૂકવેલા ધન કરતાં અડધા એમાઉન્ટમાં જ પેપ્સી છવાઈ ગયું. પ્રિન્ટ મીડિયામાં બીજી એક ઍડ આવી હતી જેમાં એક બિલ્ડીંગના ગેટ પર પોસ્ટર લાગેલું ‘કોકા-કોલા સેકંડ ફ્લોર’ (એટલે કોકા-કોલાની વિતરકની સંસ્થા બિલ્ડીંગના બીજી માળે છે). તરત જ પેપ્સીએ એ પોસ્ટરની નીચે પોતાનું પોસ્ટર લગાડયું - પેપ્સી એવરીવ્હેર (એટલે પેપ્સી ફક્ત બીજા માળે નહીં પણ અત્ર તત્ર સર્વત્ર છે). આ બંને ઠંડાપીણાના આ પ્રચારયુદ્ધને કારણે વિશ્વમાં ‘કોલાવૉર’ નામનો અંગ્રેજી શબ્દ પ્રચલિત થયો છે. અખબારોમાં પણ આવી દુશ્મની અને ખરાખરીનો જંગ ચાલતો જ હોય છે. થોડાં સમય પહેલાં ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’ નામના પ્રચલિત અંગ્રેજી દૈનિકે ‘વેક અપ!’ (જાગો!!) નામની કેમ્પેઈન શરૂ કરી જેમાં એમણે બીજા અખબારો, જે ચવાયેલા-બોરીંગ-લોકોને ઊંંઘાડી દે એવા સમાચારપત્રોથી સાવધ રહેવાનું સૂચન કર્યું હતું. એના જવાબમાં અંગ્રેજી દૈનિક ‘ધ હિન્દુ’’ એ ‘સ્ટે અહેડ ઓફ ટાઈમ્સ’ (ટાઈમ્સ કરતાં આગળ રહો!) એવું સૂત્ર ધરાવતી કેમ્પેઈન જમાવીને ખૂન કા બદલા ખૂન જેવી રમત રમી. થોડાં વર્ષો પહેલાં ‘જેટ એરવેઝ’ વિમાનસેવાએ એક હોર્ડીંગ બહાર પાડયું. એમાં લખ્યું હતુંઃ ઉી રટ્ઠદૃી ષ્ઠરટ્ઠહખ્તીઙ્ઘ! (અમે બદલી ગયાં છીએ). એમનો કહેવાનો અર્થ એ હતો કે ભૂતકાળમાં તમને અમારી ફ્લાઈટમાં કોઈ માઠો અનુભવ થયો હોય તો એ ભૂલી જાઓ, હવે અમે બદલી ગયા છે. આવું હોર્ડીંગ જેવું બહાર પડયું એવું તરત જ ‘કિંગફિશર એરલાઈન્સ’ વાળાઓએ એ જ હોર્ડીંગની ઉપર પોતાનું હોર્ડીંગ મૂક્યું - ઉી દ્બટ્ઠઙ્ઘી ંરીદ્બ ષ્ઠરટ્ઠહખ્તી! (અમે તેઓને બદલાવ્યા કે બદલવા મજબૂર કર્યાં). કિંગફિશરનું આ હોર્ડીંગ એવું કહેવા માંગતું હતું કે અમારી સાથે હરિફાઈમાં રહેવા માટે ‘જેટ’વાળાઓએ બદલવું પડયું.

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૧૨માં જાહેરખબરોનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. એ ચૂંટણીમાં થતાં ઍડવૉરને અમેરિકાના એક અખબારે ‘કોલાવૉર’ સાથે સરખાવ્યું હતું. એ વખતે થયેલું પ્રચારયુદ્ધ પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. આવો નાખીએ એક નજર એ ઍડવૉર પરઃ ભાજપે ચૂંટણીના આગાઝ થતાં જ ગુજરાતી પોપ સિંગર પાસે ‘ભાઈ ભાઈ’ ગીત ગવડાવીને ધૂમ મચાવી દીધી. સામે પક્ષે કોંગ્રેસે એ જ તાલ અને સૂરમાં “ભાઈ છે ફેંકુ, ભાજપ છે ફેંકુ” ગીત બજારમાં મૂક્યું અને ભાજપનું ટાંઈટાંઈફિશ કરવાની તૈયારી બતાવી. તરત જ ભાજપે ગામઠી શૈલીમાં મુખ્યમંત્રી ન.મો. ના ગુણગાન ગાયા અને ‘હું મોદીનો માણસ છું’ એવું સૂત્ર લોકોમાં પ્રચલિત કર્યું. કોંગ્રેસ કાંઈ હાર માને એમ નહોતી - મોદીના માણસ જેવા વ્યક્તિવાદની સામે કોંગ્રેસે ગુજરાતના ખમીર અને ગૌરવ લેવા ‘ગુજરાતના માણસ બનો’ એવી જાહેરખબર બહાર પાડી. ‘ગુજરાતને સરકારનો હળહળતો અન્યાય’ - યાદ છે ને આ ચોટદાર વાક્ય? સંપત્તિ અને સ્ત્રોતના મામલે કેન્દ્ર સરકારે ગુજરાત સાથે કેવો અન્યાય કર્યો છે એ આ સૂત્ર દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યું. સામે ‘ઈંટ કા જવાબ પથ્થર’થી આપવા માટે કોંગ્રેસે તુલિકા દ્વારા પોતાનું બ્રહ્‌માસ્ત્ર છોડયું. ‘આવો, દિશા પણ બદલીએ અને દશા પણ બદલીએ’ જેવી ટેગલાઈન સાથે લગભગ ૨૩ જેટલી જાહેરાતો મૂકવામાં આવી. આ જાહેરખબરોમાં તુલિકાના હાવભાવ અને સચોટ બોલકાપણું લોકોના હ્ય્દયમાં વસી ગયું. એ વખતે તુલિકાની તુલનામાં કોંગ્રેસના દરેક ઉમેદવાર ફીકા લાગતાં હતાં. જો કે તુલિકા સામે પણ ભાજપે ‘કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ’ જેવો હુકમનો એક્કો બહાર પાડયો જ હતો.

જો કે ચૂંટણી આવે ત્યારે હોર્ડીંગની હોડ અને ઍડનો આતંક તો રહેવાનો જ પણ દૂરદ્રષ્ટિ ધરાવતાં નેતાઓ ખૂબ જ પહેલાથી રાજનીતિની શતરંજમાં પોતાના પ્યાદાં ગોઠવવાના શરૂ કરી દે છે. ‘એક સે બઢકર એક’ અને ‘હમ કીસી સે કમ નહીં’ - આ માનસિકતા ધરાવતાં આપણા નેતાઓ પોતાના શબ્દો દ્વારા પણ ક્યારેક જંગ છેડી દે છે. દર અઠવાડિયે કોઈ ને કોઈ નેતા અભદ્ર અને અવિવેકી નિવેદનો કરે છે અને તેની ચર્ચામાં આપણું આખું અઠવાડિયું નીકળી જાય છે. કોઈ નેતા દેશના વિકાસ કે ગરીબી અંગે, અર્થતંત્રની સબળાઈ-નબળાઈ વિશે કે લોકશાહીના વિકાસ વિશે નિવેદન કરે તો લગભગ કોઈ તેની નોંધ લેતું નથી. દેશના અને પ્રજાના મહત્ત્વના મુદ્દાઓ ચર્ચવાની કોઈ હિંમત કરે તો એને વેદિયા અને વેવલા ગણવામાં આવે છે. હકીકત એ છે કે ચૂંટણી વખતે કરેલા અવાસ્તવિક વાયદાઓ અને લોકોના મનમાં થયેલાં વચનોના વાવેતર બાદ લણવાના સમયે લમણે હાથ દઈને હેન્ડીકેપ બની જતાં નેતાઓ હંમેશાથી ભારતને મળતાં આવ્યાં છે. જો કે દરેક આવનાર નેતાની કામ કરવાની ઢબ અલગ હોઈ શકે પણ છેવટે જનતા જનાર્દનને એ કઈ રીતે સાજે છે અને દેશના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે એ મહત્ત્વનું છે. નો ડાઉટ, ઈટ્‌સ અ કોમ્પીટીટીવ વર્લ્ડ! પણ સ્પર્ધકપણું એની હદમાં હોવું જોઈએ અને તંદુરસ્ત સ્પર્ધા જેવી મજા ક્યાંય નથી! દિશા-લક્ષ્ય-ઉદ્દેશ-ધ્યેય જેવા પ્રવાહી શબ્દોઅને લોહીમાં અને જીવનમાં વહેતા રાખીને જ સફળતાના રસ્તે ચાલી શકાય છે.

પડઘોઃ

તમને જરૂર છે ટેકાની ભાઈ મારા અમને જરૂર છે કેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની!

છ મહિના ચાલે તો ગંગાજી નાહ્યાં, આ વર્ષોની વાતાયું મેલો

સાત પઢી નિરાંતે બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો

ફાઈલોના પારેવાં ઘૂ ઘૂ કરે છે હવે ચોકમાં દાણા તો નાખો

ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે પણ આપણા પચાસ ટકા રાખો

દોવા દે ત્યાં લગી જ આરતીયું ઊંતરે છે કાળી ડિબાંગ ભેંસની, હાલો પથ્થારી ફેરવીએ દેશની!

(કવિ ‘કૃષ્ણ દવે’ના એક કટાક્ષકાવ્યનો અંશ)

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

૧૧. “પાણી પહેલાં પાળ!”

ભૂપતભાઈ ભજનિક. ડાયરાને ડોલાવી દે એવા. એમાંય ‘સગાં સગાં ના કરીએ સંસારમાં, સગાં સગાં ના કરીએ’ એ ભજન ન ગાય ત્યાં સુધી તો એ ભજનની ફરમાએશ થયા કરે. એ ભજન ગાય ત્યારે જ ડાયરો લેખે લાગ્યો કહેવાય! ભૂપતભાઈ અને એ ભજન જાણે એકબીજાં વગર અધૂરા!

ડાયરાનો એક કાર્યક્રમ નક્કી થયો હતો જેમાં ભૂપતભાઈએ પણ ભાગ લેવાનો હતો. પરંતુ, એ દિવસે સવારમાં જ એમણે આયોજકને ફોન કર્યો કે ‘હું આજે કાર્યક્રમમાં નહીં આવી શકું.’

‘એમ કાંઈ ચાલે? તમારી તો મેઈન આઈટમ છે.’ આયોજકે કહ્યું.

‘બરાબર છે, પણ ચાલે એવું નથી. બીજી ગોઠવણ કરી લેજો.’

‘ગોઠવણ ક્યાંથી થાય? સગાં સગાં ના કરીએ...એ આઈટમમાં તો તમારી જ માસ્ટરી છે. તમારા વગર તો ડાયરામાં રંગ થોડો આવે?’

‘એ બધી વાત બરાબર છે. પણ આજના કાર્યક્રમ માટે તો મને માફ કરવો જ પડશે.’

‘પણ કફર શું થઈ છે એ તો કહો.’

‘વાત જાણે એમ છે કે મારા એક્દમ નજીકના સગાને ત્યાં જાવાનું થયું છે.’

‘લે. ન જાવ તો નહીં ચાલે?’

‘ચાલે એવું જ નથી. મારા સગા મામાની દીકરી પરણે છે. છેલ્લો જ પ્રસંગ છે. નહીં જાઉં તો વેવાર તૂટી જાશે.’

‘અરે પણ વહેલાસર કહ્યું હોત તો કાર્યક્રમની તારીખ ફેરવી નાખતને?’

‘મને પણ, હમણા જ ફોન આવ્યો ત્યારે ખબર પડી. એમણે કંકોત્રી મોકલી હશે પણ મળી નથી. બહુ જ આગ્રહ છે. ટાળી શકાય એમ નથી.’

‘ભલા માણસ તમેય શું સગાં સગાં કરો છો?’

‘ સંસારમાં રહેવું છે ભાઈ, સગાં સગાં કરવું પડે છે?’ ભૂપતભાઈએ ઠાવકા થઈને જવાબ આપ્યો.

... તો વાત આમ છે! મંચ પર ઉછળી ઉછળીને ‘સગાં સગાં ના કરીએ સંસારમાં, સગાં સગાં ના કરીએ’ એવું ગાનારને પણ મંચ પરથી ઉતર્યા પછી તો સગાં સગાં કરવું પડે છે! મંચ પરથી ઉપદેશ આપવો એ અલગ વાત છે અને વાસ્તવિક જિંદગીમાં એ રીતે વર્તવું એ અલગ વાત છે! ભૂપતભાઈ ભજનિકને જે વાત લાગુ પડે છે એ વાત કેટલાક સાહિત્યકારો, વિદ્વાનો, કલાકારો, વક્તાઓ, ચિંતકો, સમાજસુધારકો, સાધુઓ, સંતો, મહાત્માઓ, સ્વામીઓ, નેતાઓ વગેરે સહુને પણ લાગુ પડે છે!

કોઈ લેખક સ્વમાનનો મહિમા ગાતી હોય એવી નવલકથા લખે પરંતુ એ નવલકથાની પ્રસ્તાવના માટે એણે કોઈ પ્રસિદ્ધ સાહિત્યકારને રાજી કરવા પડે! નવલકથાના વિમોચન માટે અનુભવી વિદ્વાનોને આમંત્રિત કરવા પડે! વેચાણ માટે એણે વેપારીઓ સાથે સોદાબાજી કરવી પડે! આ બધું કરવા માટે એણે પોતાના સ્વમાનને અળગું પણ કરવું પડે! જનોઈ ધારણ કરનારો માણસ મદિરાપાન કરતી વખતે જનોઈને થોડી વાર માટે અળગી કરી દે એમ!

ખુમારીની કવિતાઓ લખનાર કોઈ કવિ વાસ્તવિક જીવનમાં વખત આવ્યે કોઈને સલામી પણ મારી લેતો હોય! કવિતા ગમે એટલી જોરદાર હોય પણ કવિતા પ્રગટ કરવાનું તો સંપાદકના હાથમાંને? સંપાદક હોય રાજી તો કવિની કલ્પના રહે તાજી! નહીં તો કવિની કવિતા જાણે પીળાં તે પાંદડાંની ભાજી! સંપાદક સિવાય પ્રકાશક, વિવેચક, આલોચક વગેરે પણ કવિની ખુમારીના પરિક્ષક તરીકેનો ભાગ ભજવતા હોય છે.

વ્રત, કથા, પૂજા, પાઠ વગેરે વિધિઓનો સખત શબ્દોમાં વિરોધ કરનાર ક્રાંતિકારી લેખક કયારેક પરિવારના અગ્રહન્રે માન આપીને મને કે કમને પોતાની જ ઘેર ડાહ્યોડમારો થઈને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરતો હોય! આવી બાબતોનો ક્યારે વિરોધ કરવો અને ક્યારે અમલ કરવો એ એની અનુકૂળતા પર આધારિત છે.

ને હવે તો બધું જ વ્યવસાયને ધોરણે જ થાય છે. વ્યવસાયી સમાજસુધારક કે ચિંતકની જવાબદારી કેટલી? નક્કી કરેલું વળતર મેળવીને, નક્કી કરેલા સમય સુધી, નક્કી કરેલા વિષયની સારી સારી વાતો દાખલા દલીલ સહિત શ્રોતાઓને કરવી! પોતે જે વાતો કહી હોય એ વાતો પોતાના જીવનમાં અમલમાં મૂકવા માટે એ બંધાયેલો નથી. કારણ કે એ માટે એને કોઈ વળતર મળતું નથી!

ફરસાણના ધંધા સાથે સંકળાયેલા મારા એક સંબંધી એક વૈદરાજ પાસે દવા લેવા ગયા. વૈદરાજે દવાની સાથે સાથે સલાહ પણ આપી કે : ‘તળેલો ખોરાક ઝેર બરાબર છે. ઓછો કરો.’ પછી ઉમેરો કર્યો કેઃ ‘ફરી બતાવવા આવો ત્યારે તમારી દુકાનની કચોરી પણ લેતા અવાજો.’ મારા સંબંધીએ દલીલ કરી કેઃ ‘તમે તો તળેલા ખોરાકને ઝેર માનો છોને?’ વૈદરાજનો જવાબ હતો કેઃ ‘તળેલો ખોરાક ઝેર ખરો; પણ તમારા માટે મારા માટે નહીં.’

સલાહ, શિખામણ, ઉપદેશ, સૂચનો વગેરે આપનાર માટે નહીં પણ સાંભળનારા માટે હોય છે. કારણ કે આપનારે તો એ બધું સાંભળનારને આપી દીધું. પછી એના પર એનો હક ન રહે! પછી તો હક સાંભળનારનો રહે. સાંભળનારે યોગ્ય લાગે તો એ હક ભોગવવો જોઈએ. ઘણા ઉદાર મનના લોકો આવો હક જતો કરતા હોય છે!

આ વાત ગુરૂઓ માટે પણ લાગુ પડે છે. ગુરૂ શિષ્યને ક્રોધ ન કરવાનું કહે પણ પોતે જ દુર્વાસાની ર્ઝ્રંઁરૂ-ઁછજી્‌ઈ હોય એમ પણ બને! બધા ગુરૂઓ એવા નથી હોતા કે પહેલાં પોતે ગોળ ખાવાનું બંધ કરે અને પછી બીજાને કાનમાં ફૂંક મારે! એક ઉક્તિ છે કેઃ ‘ગુરૂ કહે તેમ કરો. ગુરૂ કરે તેમ નહીં.’ પાણી પહેલાં પાળ બાંધી લેવા માટે જ ગુરૂઓ દ્વારા આવી ઉક્તિનો પ્રચાર થયો હશે?

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

૧૨. “મજા ની વાતો”

આજે થોડાક બાળક બની જીએ. કોઈ લોજીક વગર, કોઈ જજમેન્ટ લીધા વગર, કોઈ ભૂત ભવિષ્ય ના વિચાર વગર, કોઈ સારા નરસા ના સિક્કા માર્યા વગર કોઈના ઓપીનીયન ની પરવા કર્યા વગર બસ મજા ની વાતો કરીએ અને વાગોળીએ. અને તે પણ કોઈ પણ જાત ના ઈલેક્ટ્રોનિક મીડિયા ની કાખઘોડી લીધા વગર જ. યસ આપણે સ્વીકારે જ છૂટકો કે આપણે માટે બધા ફન ના ફંડા ઈલેક્ટ્રોનિક ડીવાઈસ વગર નિરાધાર છે. અને કદાચ આપણે પણ..... ઠીક છે ફેસબુક અને વોટ્‌સેપ ની પણ મજા છે. વેલ હાલો જલસા માં ડૂબકીઓ મારવા.

એ ય ને મમ્મી ના ખોળા માં માથું રાખી ને પડયા રહેવાનું. અહિયાં કોઈ સેન્સર બોર્ડ નથી કે તમારી ઉમર કેટલી છે કે તમારૂં સામાજિક સ્ટેટસ શું છે એની રોકટોક કે ન આર્થ્િાક સ્થિતિ વચ્ચે આવે. બસ મસાલાની વાસ વાળી સાડી ની સોડમ અને થાક, જવાબદારીઓ કે તાણ ની રેખાઓ છતાં બાળક માટે સતત નીતરતી માં...

સવારે ઉઠતી વખતે પ્રાતઃ સંધ્યા માં ભલે ત્રણ ત્રણ કટકા ગાળો આપીએ પણ જરા બારી ખોલીએ ને જે ઉજાસ આવે, કેસરિયું આકાશ અને ઉડતા પક્ષીઓ, ક્યાંક સાઈડ માં એમજ ઉગી નીકળેલા છોડવા પર ખીલી ઉઠેલા ટચૂકડા ફૂલો કે શાળા એ જતા ફૂલો આ હા હા... દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા.

શિયાળા માં ન્હાઈને થર થર કરતા બાથરૂમ માંથી નીકળીએ ને પછી ગેલેરી માં સનબાથ. નેચરલ હીટ. ક્યા બાત હો ગઈ. ગોઆ નો બાઘા બીચ યાદ આવી ગયો. અને સામે ઉનાળા ની મોડી સાંજ માં રખડવા જવા ની મજા. પરસેવે નહાઈ જતા હોઈએ ને શીતળ પવન મળે તો ઓટોમેટીક ટાઈટાનીક નો કેટ વિન્સ્લેટ પોઝ આવી જાય વિધાઉટ એની રીટેક. અને ઉનાળામાં ‘યે રાતે યે મોસમ નદીકા કિનારા યે ચંચલ હવા’ નો લુત્ફ પણ ઉઠાવી શકાય. નદી ઓલ્વેઝ અવેલેબલ ઓપ્શન નથી ગુજરાત માં પણ બાકી નું બધું ચોક્કસ મળે.

“મુજે જો ચીઝ પસંદ હૈ ઉસકા મઝા સિર્ફ રાત કો આતા હૈ...” વાળા ડાયલોગ માં વિદ્યા બહેન સાવ ખોટા નથી. ચાંદો દિવસે દેખાય? તો પછી? ટમટમતા તારા અને ઉજળી ચાંદની. શીતળતા તો રાત ના સ્વભાવ માં છે. રાત નો સ્વભાવ મીસ્ટીરીયસ પણ ખરો સ્ત્રીઓ જેવો. અને એ જ એની મજા છે. કોઈ પણ આકૃતિ ભળાય તો ખરી પણ સ્પષ્ટ દર્શન ન થવા દે એટલે આપણે એનો તાગ મેળવવા આપણા મગજ અને હૃદય પર જોર આપવાનું. દરેક પગલે ચાન્સ રહે. ડેન્જરસ ખરૂં પણ ખેડયા પછી ચસ્કો લાગી જાય. અને આવું કરવાથી આપણે આપણી જાત થી વધુ નજીક આવીએ અને વધુ પોતાને ઓળખીએ. જો આપણે એ અંધારા થી ભય લાગે તો આપણો સ્વભાવ નીરૂ અને અને અધુરી દેખાતી આકૃતિઓ જોવાનો આહલાદ મળે તો આપણે પ્રેમી માણસ. અને ઓલા ડીસ્કવરી ચેનલ ના મેન એન્ડ વાઈલ્ડ વાળા બેર ગ્રીલ્સ ની જેમ ફંફોસવા, રખડવા, જોખમો ખેડી ને મજા લેતા હોઈએ તો આપણે સાહસિક માણસ. અને આપણે આમાંથી કોઈ પણ જાત ની ફીલિંગ જ ન આવતી હોય તો આપણે માણસ કે કેમ એ જ વિચારવું પડે.

વેલ, રાત નો સ્વભાવ આમ આલ્કોહોલિક પણ ખરો. ક્યારેક કોક વિરાન રોડ પર ફક્ત ચાંદની અને તારલીયે મઢેલા અફાટ આકાશ ની નીચે હવા ના સુસવાટા ને વૃક્ષો ને સરસરાટ નો ધ્વનિ સાંભળતા સાંભળતા હાલ્યા જવાનો એક્ચુઅલી નશો ચડે છે. “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” .... ની એડ માં દેખાતું સફેદ રણ કદી જોયું છે? ફોટા પડાવવા નું ટેન્શન મૂકી ને રાતે બસ શાંતિ થી ચાંદની માં હીરા જેમ ઝગારા મારતા જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી શ્વેત ઝળહળતા મીઠાં ના ક્રિસ્ટલ્સ નો નજારો જોયો હોય તો સાચે જ મૂક થઈ જવાય. રીયલી સ્પીચ લેસ.

રાત ની વાત માં ઘુસતા જશું તો ખોવાઈ જશું.. મજા નો રઝળપાટ નો વ્યાપ તો હજી ક્યાય ક્યાય ફેલાયલો છે. પણ એ પતંગ્િાયા જેવો છે પકડાય નહિ પણ એને ઉડતો જોવાનો જ ઉમંગ છે. જેમ આઈસ્ક્રીમ જીભ પર એક ઘડીમાં ઓગળી જાય જેમ દરિયા માં ફીણો જગાવતો ઘેઘુર અવાજ વાળો શક્તિશાળી મોજું આપણા પગ ને પલાળે, ચહેરા પર છાલક ઉડાડે અને ગલગલીયા કરતો રેતી ઉસેડી ને ખેંચતો ને પાછો હાલ્યો જાય, જેમ તેજ નો લીસોટો કરતી ઉલ્કા આકાશમાંથી દોડી જાય જેમ હૃદય ને સ્પર્શતો કોઈ ગઝલ નો શેર સોંસરવો હાલ્યો જાય જેમ કાન માં પડેલો કોઈ કોઈ સુંદર સ્વર અને સુર ભલે શબ્દો ન સમજાય પણ કાન માંથી સુંદરતા પીવડાવતા ચાલ્યા જાય એમ મજા તો બસ આવે ને ચાલી જાય.

વરસાદ ના ફોરાં ઝીલવાની ને નવી નવી ફૂટેલી કુંપળો ની પૂછા કરવાની મજા, ફૂલો તો રાજી ના રેડ પડયા હોય. નાની મોટી લતાઓ વીંટળાતી આવે ને ચડતી આવે. ને કોક ને આધારન મળે ને જમીન પર ફેલાય ઈ યે ગાલીચા જેવી મસ્ત દેખાય. વેલ દેખાવ ની વાત છે ગાલીચા પર બેસવાનો અખતરો કરવો હોય તો પોતાના ખર્ચે ને જોખમે. નાનકડા ભરાયલા ખાબોચિયા પર ટીપા પડે ને જે નાના નાના વમળો બનાવે ને ભૂંસે એ તો દેખતે હી બનતા હૈ. કાળું ભમ્મર આકાશ કામ કરવા ન દે એ ત્રાસ. આવામાં નોકરીએ જવું કે નિશાળ માં ભણવું કોને ગમે? અને વરસાદ વરસી ને ખમૈયા કરે ત્યારે આપને બાળક ન હોઈએ તો પણ જે બાળકો હોય એના સાથે હોડીઓ બનાવીને તારવાની કેવી મજા. ચોમાસા ભેગા વધુ રહેશું તો પ્રેમ માં પડી જાશું.

તો પછી મસાલા તુલસી એલચી વાળી ચાય, ગરમા ગરમ રોટલી ના ફૂલકા, મેથી ના ગોટા કે ક્રિસ્પી ઢોસા, ધુમાડા નીકળતા સીઝ્‌લર્સ અને દમ આલુ નો કાઈ વાંક?

ગરબા ની રાત જામે ને ગરબા રમતા રમતા ને થાક ચડવાને બદલે ઉત્સાહ, ઉન્માદ વધે બસ જાણે સાચા અર્થમાં જી ને સુરજ ને કેજો ઉગે નહિ કાલો .... થઈ જાય એને તો મજા નહિ પણ ટેસડો કહેવાય.

આ બધા ની ખાસિયત શું છે ખબર છે? કે એમાં કાઈ કરવાનું નથી, કોઈ ફોર્સ નથી કોઈ દબાણ નથી કોઈ બનાવટ નથી, કોઈ ફાયદો નથી કે નથી કોઈ નુકસાન.... કાઈ છે તો એ છે સાહજિકતા. બસ જે સહજ છે એ જ છે મજા. સહજ છે એ જ છે પ્રકૃતિ,એ જ છે ભક્તિ અને કદાચ એ જ હશે ઈશ્વર. નહીતો કોમ્પ્લીકેટેડ ભજનો શીખવા નરસિંહ કે મીરાં કઈ યુનીવર્સીટી માં ગયા હતા?

અને હા સમી સાંજે શરીર નું માંડ માંડ બેલેન્સ સાચવી ને, ધૂંધળી થઈ ગયેલી નજર અને કાન સુધી અસ્પષ્ટ પહોચતા અવાજ, અને દુખતી પીઠ અને ઘૂંટણ છતાં બસ હાથ માં હાથ નાખી ને ચાલ્યા જતા કપલ ને જોવાની કે અનુભવવાની તક કદી મળી છે? જે દિવસે મળે તે દિવસે દુનિયા ના પરમ આનંદ એટલેકે પ્રેમ નો અર્થ વગર શબ્દો એ સમજાઈ જશે. અને કદાચ એ દ્રશ્ય એક અનુભૂતિ કે એક યાદગીરી થી વધી ને એક સપનું બની જાય.....

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૩. ‘ઓહ રીવ્યુ, આહ રીવ્યુ!

અત્યારનાં સમયમાં જે કોઈ પણ ફિલ્મ રીલીઝ થાય છે એના પ્રમોશન માટે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો કેટલીય તકેદારી લેતા હોય છે. જો તમે અમદાવાદના નિવાસી હોવ કે ઈવન સુરતમાં પણ રહેતા હોવ તો તમને ખ્યાલ હશે જ કે મોટાભાગની ફિલ્મો ના પ્રમોશન માટે કાયમ ફિલ્મના કલાકારો આ બંને શહેરોમાં આવતાંજ હોય છે. કેટકેટલી મહેનત કરીને એક તો આ બધા ભેગા મળીને ફિલ્મો બનાવે અને એનું પ્રમોશન કરવા દેશનો ખૂણેખૂણો ફરી વળે અને જેવી ફિલ્મ શુક્રવારે સવારે નવ વાગે રીલીઝ થાય કે સાડા અગ્િાયાર-બારવાગે કોઈ ફેસબુકી વિરલો પોતાનું સ્ટેટ્‌સ અપડેટ કરે... “બકવાસ..ના જોશો!” અમુક વળી પાછા એવા હોય જે હજી થીયેટરની બહારજ નીકળ્યા હોય અને હજીય કન્ફયુઝનમાં જ હોય કે એમને ફિલ્મ કેવી લાગી છે, પણ બધાંથી પહેલા રીવ્યુ આપવાની ચળમાં તરતજ ફેસબુક પર સ્ટેટ્‌સ અપડેટ કરી દે કે “એકવાર જોવા જેવું”. ભગવાન તારૂં ભલું કરે?? (પણ કરશે નહીં!) એકવાર જોવા જેવું એટલે? લોકો ફિલ્મ જોવા જાય ત્યારે એવું વિચારીને જાય કે ‘એક કામ કરૂં? આ ફિલ્મ હું એટલીસ્ટ બે વાર તો જોઈશ જ...ના ના ત્રણ વાર”?

ઘણીવાર કેટલીય ફિલ્મો આવા અળવીતરા રીવ્યુકારોને લીધે સારૂં સ્ટાર્ટ લઈ નથી શકતી. કદાચ તમને આ વધુ પડતું લાગે, પણ આ બાબત સત્ય છે. આમ થવા પાછળ જેટલો વાંક પેલા રીવ્યુકારનો છે એટલોજ વાંક એનું માનીને ફિલ્મ જોવા ન જનારા વર્ગનો પણ છે. તો પછી માનવું કોનું? આજે જયારે ટીકીટો અને થીયેટરમાં મળતાં ખાણીપીણીની વસ્તુઓના ભાવ આસમાનથી પણ ઊંંચા જતાં હોય ત્યારે ખોટા પૈસા પડી જાય એવું શું કામ કરવું? વાત તમારી મુદ્દાની છે અને એવું પણ નથી હોતું કે બધીજ ફિલ્મો સારી જ હોય છે, પણ એવા વ્યક્તિનો રીવ્યુ માનવો જોઈએ જે સતત એકધારો અને નિષ્પક્ષ રીવ્યુ આપતો હોય. તો પછી આવો નિષ્પક્ષ વ્યક્તિ શોધવો કેવી રીતે? જુવો, જે વ્યક્તિના રીવ્યુ વાંચી-સાંભળીને તમે ફિલ્મ જોવા ગયા હોવ અને ફિલ્મમાં જોઈને તમને એના મત થી અલગ મત ધરાવતા થાવ એવી ઘટના જો ત્રણથી ચાર વાર બને તો પછી એ વ્યક્તિનો રીવ્યુ માનવાનો બંધ જ કરી દયો. કોઈ એવા વ્યક્તિનો રીવ્યુ જે કોઈએક કલાકારનો અનહદ ચાહક છે પછી તે અદાકાર હોય કે અદાકારા, એના એ ખાસમખાસ અદાકાર કે અદાકારાની ફિલ્મોના કાયમ વખાણ કરતો હોય અને એ અદાકારની સીધી સ્પર્ધા જે અદાકાર સાથે હોય એની ફિલ્મોને કાયમ નીચી આંકતો હોય એવા વ્યક્તિઓના રીવ્યુ તો મનાય જ નહીં, કારણકે એ વ્યક્તિ રીવ્યુ નથી આપતો પોતાની પસંદગી-નાપસંદગી તમારા પર થોપી રહ્યો છે.

આ ઉપરાંત એવા રીવ્યુકારનો રીવ્યુ પણ ન માનવો જે એવું અભિમાન લઈ ને ફરતો હોય છે કે “આપણે કીધું એ ફાયનલ!” કારણકે ફિલ્મ જોવી એ અંગત પસંદગીની વાત છે. ‘શોલે’ જેવી મહાન ફિલ્મને પણ રીવ્યુકારોને થર્ડકલાસ ગણાવી હતી, પણ બીજા વીકથી ફિલ્મ સ્વયંભૂ અને માઉથ પબ્લીસીટીથી ઉપડી હતી અને પાંચ વર્ષ સુધી સિનેમા ઘરોમાં ચીપકી ગઈ હતી. ડીટ્ટો ‘ક્વીન’ સાથે પણ થયું. જે રીવ્યુકાર પોતાના ફિલ્મ પ્રત્યેના જ્જ્ઞાનને સામાન્ય દર્શકોના જ્જ્ઞાનથી ઉપર માનતો હોય એના રીવ્યુ પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર નથી. કારણકે એ કાં તો તમને એમ કહી રહ્યો છે કે, “બોસ, આવી ફિલ્મો જોવાનો તારો ક્લાસ નહીં.” અથવા તો જયારે લોકો ફિલ્મોમાં ફેફસાં ફાડીને હસી રહ્યા હોય અથવા તો નિર્દોષ આનંદ મેળવી રહ્યા હોય ત્યારેજ એ લખે કે “આવી તુચ્છ ફિલ્મો જોઈને જેને મજા આવતી હોય એ લોકોની બુદ્‌ધિમત્તા નું સ્તર બહુ નીચું હોય છે.” ભગવાન તારૂં ફરીથી ભલું કરે? (અને ફરીથી નહીં કરે!) પણ તું કોણ અમારા માનસિક સ્તરને માપવા વાળો? તને તારા રીવ્યુના પૈસા મળતાં હોય તો ફિલ્મ જોવી કે ન જોવી એવું નક્કી કરીને બાકીનું અમારા પર છોડી દે ને ભૈશાબ!

તો પછી કોનું માનવું? સાચું કહું તો કોઈનું નહીં. ઉપર આપણે વાત થઈ એ મુજબ, ફિલ્મ જોવી, ગમવી કે ન ગમવી એ અંગત ચોઈસ નો મામલો છે. અરે ભાઈ, જયારે પોતાના હાથની પાંચ આંગળીઓ પણ સરખી નથી, તો પછી બે જુદાજુદા મગજ ધરાવતી વ્યક્તિઓના વિચાર કેમ મળે? હવે જો પૈસાનો જ સવાલ હોય તો પછી એમાં તો ભઈ એવું છે કે શોખ હોય તો એને પૂરો કરવા પૈસા તો ગમે ત્યાંથી પેદા થઈ જાય. તમને ગુટકા, મસાલા ખાવાનો કે સિગરેટ પીવાનો જો શોખ છે તો તમે કેવા ગમેતે રીતે એના પૈસાની વ્યવસ્થા ઉભી કરી દયો છો? એટલે પૈસાનું બહાનું એટલું યોગ્ય નથી. ક્યાંકથી પૈસા બચાવો અને જો બધી ફિલ્મો જોવાનું પસંદ ન હોય તો મહીને એટલીસ્ટ બે ફિલ્મો તો જોવો જ. હવે જો રીવ્યુકારની વાત માનીને જ જો ફિલ્મ જોવા જવું હોય તો પછી ઉપર કહેલા કોઈપણ લક્ષણો જે રીવ્યુકારના રીવ્યુમાં ન દેખાય ફક્ત એને જ ફોલો કરો. પણ તોય એ બાબતની નોંધ જરૂર લેજો કે એ રીવ્યુકાર પણ એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે, આથી મનને ગમે તેમ જ કરવું.

૧૪.૦૨.૧૫, શનિવાર (વેલેન્ટાઈન્સ ડે)

અમદાવાદ.

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૪. વર્લ્ડકપ અને પાન નો ગલ્લો

પાન નો ગલ્લો એ એવી જગ્યા છે જ્યાં રાજનીતિ થી માંડીને સોસાયટી થી માંડીને ક્રિકેટ સુધીના દરેક બાબત નાં એક્સપર્ટ એક જગ્યાએ ભેગા થતા હોય છે મોટાભાગ નાં ભેગા થતા લોકો એકબીજા ને એવું જતાવવાનો પ્રત્યન કરતા હોય છે કે તેઓ ની કેટલી ઓળખાણ છે અને પાનવાળો તેમને કેવો સારી રીતે ઓળખે છે . જેને પાનવાળો સારી રીતે ઓળખતો હોય, જે કારમાં પાન ખાવા આયો હોય એ વધારે બુદ્‌ધિશાળી અને એક્સપર્ટ ગણાય છે. આવા એક્સપર્ટ નાં પણ પ્રકારો હોય છે

ત્રણ પ્રકાર ના માણસો પાનના ગલ્લે વર્લ્ડકપ ની ચર્ચા કરતા હોય છે

(૧.) સાદો માણસ જે પાનના ગલ્લે ચોકલેટ લેવા માટે આયો હોય છે અને ટી.વી પર વર્લ્ડકપ મેચ ચાલતી જોઈને પુછે છે કે ’’ અલ્યા આ તો પેલા શાહરૂખ ખાન ની ટીમ નો માણસ છે ને ??? ’’’ એ મનુષ્ય ને ક્રિકેટ જોડે કોઈ લેવાદેવા હોતી નથી પણ બાવા બન્યા હે તો હિન્દી બોલના પડેગા એમ કરીને ક્રિકેટ ની ચર્ચામાં માથું મારવા નું શરૂ કરી દે છે. આ મનુષ્ય લીલા કપડા વાળા આફ્રિકા વાળા છે અને બ્લુ કપડા વાળા ભારત નાં છે એવીરીતે ઓળખાણ ધરાવતો હોય છે , ઘણીવાર યાર આપડું સ્કોર બોર્ડ ફરે છે સામી ની ટીમે તો એક સ્કોર કરીને મૂકી દીધો એ મૂકી દીધો પછી સ્કોર બોર્ડ ફરતું જ નથી. રિપ્લે માં ફરીવાર ચોગ્ગો માર્યો એ તો અમ્પાયરે ગણ્‌યો જ નહિ જેવું ક્રિકેટ ની આલિયા ભટ્ટ જેવા ગુણી લોકો હોય છે .

(૨.) ક્રીકેટ એક્સપર્ટ માણસ જે પાનના ગલ્લે પોતાની એક્સપર્ટ કોમેન્ટરી સંભળાવાના હેતુ થી આવેલો હોય છે જે ભગત ની ધાણાદાળ અને પાણીનુ પાઉચ થી વિશેશ કાઈ ખરીદતો નથી ""અલ્યા ફ્રન્ટફુટ પર રમવુ જોઈતુ તુ તો એલ.બી.ડબલ્યુ ના થાય બેક ફુટ પર રમો ને એમા આ જ હાલ થાય " હવે જો જો હો યોર્કર કરશે , અરે યાર સ્લોબાઉંન્સર આમ નાં રમાય એના માટે બેકફૂટ પર જીને લેગ માં રમવું પડે. આજકાલ નાં ક્રિકેટર માં કોઈ દમ જ નથી રહ્યો બધા પૈસા માટે રમે છે દેશભક્તિ જેવું તો કાઈ છે જ નહિ . ધોનીને તો ફિલ્ડીગ ગોઠવતા પણ નથી આવડતી સ્લીપ અને ગલી વચ્ચે તો અમદાવાદ અને વડોદરા જેટલું અંતર રાખ્યું છે પછી ચોગ્ગા જ પડે ને . આ મનુષ્ય ને ક્રિકેટ માં ભારતીય ટીમ ની ભૂલો સિવાય કશું દેખાતું નથી અને કદાચ આપણે જીતી જીએ તો આ તો નસીબ સારા છે જીતી ગયા બાકી કેપ્ટનશીપ સાવ બેકાર હતી. આવતી મેચ માં ધ્યાન રાખવું પડશે . અને લેગ બિફોર ધી વિકેટ માં આજકાલ નાં અમ્પાયર ને કઈ ખબર નથી પડતી . આવા મનુષ્યો પરમ જ્જ્ઞાની હોય છે ક્રિકેટ ની શોધ થી માંડીને દરેક નાની બાબતો માં સલાહ સૂચન આપ્યા કરે છે પણ ગલ્લા ની બહાર કોઈ એમને સાંભળતું હોતું નથી .

(૩.) અને ત્રીજો સટોડીયો જે ગલ્લે જે પડયુ હોય એ બધુ જ ખાય છે અને જીતે તો બીજાને પણ ખવડાવે છે એનુ એક જ વાક્ય હોય છે "" અલ્યા ભાવ શુ ચાલે છે ?? ખાઉ કે ઉભો રહુ ??? એમને કોઈ જીતે હારે એનાથી કોઈ ફરક નથી પડતો એમને તો પેહલો અને ત્રીજો પ્લયેર તારો અને બીજો અને ચોથો મારો એ પ્રકારનું સેટીગ હોય છે આ એવી વ્યક્તિ છે કે જે બચારી બે ઓવર ની જાહેરાત વચ્ચે પણ બાથરૂમ નથી જી શક્તિ સતત ક્રિકેટ વોચ કરતુ રેહવું પડે છે સ્કોર લખતું રેહવું પડે છે ફોન સતત ચાલુ રાખવો પડે છે આપણ ને લાગે કે બસ આજ એ વ્યક્તિ છે જે ક્રિકેટ ક્રેઝી છે આ વ્યક્તિ અફઘાનિસ્તાનની મેચ પણ ખડે પગે ઉભો રહીને જુવે છે ભલે એક પણ પ્લયેર નાં નામ નાં આવડે પણ ઝિમ્બાબ્વે નાં પ્લયેર નો પણ ક્યારેક સમર્થક બની જાય છે .આ એક જ વ્યક્તિ છે જે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ પણ એટલા જ રસથી જોતો હોય છે ખરેખર ક્રિકેટ અને ક્રિકેટ ને લગતી સંલગ્ન ઘટનાઓ નો ખરો રસિયો હોય છે.

નોધ : અહી ચોથા પ્રકાર ના મારા જેવા સળી બાજ હોય છે જેમને કોઈ કામ ધંધો ના હોય એ રીતે આ લોકો ને ઓબસર્વ કરીને તેમના વિશે લેખ મળે એવાં કુ-હેતુથી અને ઘરની વિજળી બચે એ હેતુથીજ ગલ્લે જીને ઉભા હોય છે .

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED