Mane game chhe mari school bag - 4 books and stories free download online pdf in Gujarati

મને ગમે છે સ્કૂલબેગ - ભાગ 4

મને ગમે છે સ્કૂલબેગ

(વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ખૂબજ ઉપયોગી પુસ્તક)

  • નટવર આહલપરા
  • અનુક્રમ

    ૬૧) પોલીસને ફોન કરું?

    ૬૨) શા માટે અપમૃત્યુ?

    ૬૩) કોમ્પ્યુટર

    ૬૪) જાગો, મિત્રો જાગો...

    ૬૫) સપનાં

    ૬૬) ઘમંડ

    ૬૭) નિર્ભયતાથી જીવું છું

    ૬૮) રોજનું કામ રોજ

    ૬૯) માણસ બનવાનો પ્રયત્ન

    ૭૦) આપણે જાગીએ

    ૭૧) ક્રોધને કાબૂમાં રાખું છું

    ૭૨) અવાજ

    ૭૩) ‘ના’ કહેવાનું શીખી લીધું છે

    ૭૪) મારા દેશનું ગૌરવ

    ૭૫) હું મહાન બનીશ

    ૭૬) સફળતા મારી સાથે જ હોય છે

    ૭૭) સુવિચારો

    ૭૮) રીમોટ

    ૭૯) ડગલું ભર્યું કે...

    ૮૦) જવાબદારી

    પોલીસને ફોન કરું?

    એમાં એક દિવસ એવું બને છે કે ચાર-પાંચ ઢોંગી બાવાઓ શરીર ઉપર ભસ્મ લગાડીને હાથમાં

    ચીપિયો છે. માથામાં જટા છે. આંખમાં કાજળ આંજ્યા છે. એક હાથમાં કમંડળ ધારણ કર્યું છે. બં બં ભોલે

    બંબં ભોલે, બોલતા બોલતા મયંક અને તેના મિત્રો પાછળ પડી જાય છે. મયંકને તેના મિત્રોને ઊભા રાખીને

    કહે છે કે, ‘બચ્ચે લોગ હમ હિમાલય સે આયે હે, લો હમારા પ્રસાદ ખાઓ. તુમ સબ સ્કૂલ મે ફસ્ટૅ આ

    જાઓગે.’ મયંક એક બાવાના હાથમાં ભૂરકી હતી તે જોઈ ગયો. તેને થયું કે આ ભૂરકી નાખી બાવા અમને

    બેભાન કરે તે પહેલાંતેને પાઠ ભણાવું. મયંકે હિમતથી કહ્યું કે મારી પાસે મોબાઈલ છે ૧૦૦ નંબર ઉપર

    પોલીસને ફોન કરું? ત્યાં તો ઢોંગી બાવાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા.

    જીવન મૂલ્યવાન થાપણ છે,

    તેનો સદઉપયોગ કરો – સ્વામી શિવાનંદ સરસ્વતી

    ---------------------------------------------------------------- ૬૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    શા માટે અપમૃત્યુ?

    અલ્પેશને શાળામાં મૂકવામાં આવ્યો છે. અલ્પેશનું મન લાગતું નથી. કિશોરાવસ્થાની ઉમર એટલે

    મૂંઝવણ રહ્યાં કરે છે. ધીરે ધીરે હતાશનો શિકાર બને છે. એકલો એકલો ફરે, અતડો રહે અને તક મળે ત્યારે

    વર્ગમાં જવાનું ટાળે. એક દિવસ વર્ગખંડમાં જવાનું ટાળીને હોસ્ટેલમાં જ રોકાઈ એકાંતનો લાભ લઈ પોતાના

    રૂમમાંજ ગળા ફાંસો ખાઈ લટકી જવાની તૈયારી કરતો હતો ત્યાંજ ઊર્જા અને પ્રકાશ સરપ્રાઈઝ ચેકિંગ કરવા

    પહોંચ્યાં.

    અલ્પેશના રૂમમાં પહોચ્યાં ત્યાંતો સ્તબ્ધ થઇ ગયાં. ઊર્જા અને પ્રકાશે દોડીને અલ્પેશના હાથમાંથી

    ગળાફાંસો ખાવાનું દોરડું લઈ લીધું. અલ્પેશને પ્રેમથી સમજાવ્યો. ઉર્જાએ અને પ્રકાશે હિંમત આપતા કહ્યું:

    જો ભાઈ અલ્પેશ, આત્મહત્યા એ બેવકૂકી છે, કાયરતા છે અને જિંદગી પ્રત્યેની ભાગેડુવૃતિ છે, તેના

    પરિણામમાં માત્ર બદનામી અને અપમૃત્યુ જ મળે છે.

    હું રાહ જોઉં છું. ડ્રોઈંગરૂમમાં ફર્નિચર જેટલી જ સત્વશીલ સાહિત્યની

    જરૂર ગણાશે. – બર્ટ્રાન્ડ રસેલ

    ---------------------------------------------------------------- ૬૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    કોમ્પ્યુટર

    કમ્પ્યુટર તાલીમ વર્ગમાં પણ હોંશે હોંશે તાલીમ લેતા છાત્રો મોક પાર્લામેન્ટ, ડીબેટ, રેસીટેશન,

    ઈલોક્યુશન વગેરે પણ યોજે છે. ખરેખર રવજીભાઈ પોતે તો જીવે છે અને સાથો સાથ પોતાના વહાલા

    કિશોર-કિશોરીઓને જિવાડે છે અને ઘડતર કરે છે. આખા ગામમાં રવજીભાઈ સૌના વહાલા, સૌમાં પ્રિય છે.

    કિશોર-કિશોરીઓના અંતર ઉજાગર પર્વ ઊજવીને રવજીભાઈ ક્રાંતિ સર્જે છે. ગામડે – ગામડે કિશોર-

    કિશોરીઓને અભ્યાસ ન બગડે એટલે માત્ર રવિવારે આનંદનો આનંદ, પ્રવાસનો પ્રવાસ, સેવાની સેવા થાય

    તેવા હેતુથી ગામડાઓમાં જાગૃતિનો શંખ ફૂંકયો છે. લોકજીવનમાં એમણે આણેલી જાગૃતિ ગુજરાતના

    વર્તમાનને ઉજ્જવળ બનાવી રહી છે.

    ગ્રામ્ય જાગૃતિના સતત ચાલી રહેલા અધ્યાયમાં ચુનંદા કિશોરોનું યોગદાન ઉમેરાઈ રહ્યું છે. ૨૦૦

    જેટલા ગામડાઓમાં જાગૃતિની આહલેક પોકારી છે. ઘરેઘરે સંપર્ક કરી સમર્પણ ભાવ, દ્રઢનિષ્ઠા, ધર્મની

    દ્રઢતા, જીવન પરિવર્તન માટે સભાઓ યોજે છે. સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી તાલીમ અપાય છે.

    .

    નિત્ય પ્રાર્થના કરો, મન શાંત થશે. – પૂ. મોટા

    ---------------------------------------------------------------- ૬૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જાગો, મિત્રો જાગો...

    ‘તમે જે ગુનાઓ કર્યા છે તેમાં તમે સૌ નિર્દોષ છો. ગુનો કરવો કોઈને ગમતો નથી. ક્યારેય સંજોગ

    એવા હોય છે કે માણસ ગુણો આચરવા મજબૂર થાય છે. હદ થઇ ગઈ હોય ત્યારે ગુનાઈત કૃત્ય કર્યું હશે

    પણ, મિત્રો જયારે ગુસ્સો આવ્યો હશે, ક્રોધ આવ્યો હશે તે ક્ષણ તમે સાચવી લીધી હોત તો આ તમે જે

    પરિણામ ભોગવી રહ્યાં છો તે ન ભોગવતા હોત.’

    હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઊતર્યું,

    પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે.

    ‘જે થયું તે થયું. જાગ્યા ત્યારથી સવાર’ જો બીત ગઈ સો બાત ગઈ.’ પ્રાયશ્ચિતથી પાપી પુણ્યશાળી

    બની શકે છે. હજી સમય છે, સુધરી શકાય છે. આવેશ, ગુસ્સો, ક્રોધ છોડી યોગ, પ્રાણાયામ, ઈશ્વર, ભજન

    અને જેલમાં આપણને મળેલી પ્રવૃત્તિમાં મગ્ન રહીએ. સારા વિચારો કરવા, ખરાબ કે નબળું વિચારવું જોઈએ

    નહીં. મારા મિત્રો જાગો.’

    જેનામાં વિદ્યા નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ અને ધર્મ નથી, તે માનવી

    પૃથ્વી પર ભારરૂપ છે – ભતૃહરિ.

    ---------------------------------------------------------------- ૬૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સપનાં

    નવમા ધોરણના વર્ગમાં ગુજરાતી ભણાવતાં શિક્ષકે પાઠ સમજાવવાનું શરૂ કર્યુ. ‘વિદ્યાર્થી દોસ્તો,

    આપણે જે પાઠ ભણવા જઈ રહ્યાં છીએ, તે પાઠનું શીર્ષક છે ‘સપના’. લેખકે પાઠમાં કેવું સરસ સમજાવ્યું છે !

    સ્વપ્ના વિનાની જિંદગી સાવ નકામી છે.

    સપના તો આવવા જ જોઈએ. જે સ્વપ્ના સેવે છે તે કંઈક મેળવી શકે છે પણ જે સ્વપ્નાં સેવતી

    નથી, તેને શું મળે? તમને બધાંને સ્વપ્ના આવે છે ને? મોહિત, તને કેવા સ્વપ્નાં આવે? મોહિત : ‘સર, હું તો

    સ્વપ્નમાં ચોકલેટ, પીત્ઝા ખાતો હોઉં તેવું દેખાય!’

    ‘ડીમ્પલ, તને?’

    ‘સર, જાણે હું ઐશ્વર્યા સાથે ફોટો પડાવતી હોઉં.’

    ‘કેવિન, તને સ્વપ્નું આવે છે?’

    ‘યસ સર, મને તો સ્વપ્નામા સલમાન, શાહરુખ, ઋત્વિક ને વિવેક ઓબરોય જ દેખાયા કરે છે.’

    ‘જાનકી, તારો હાથ કેમ ઊંચો ન થયો?’

    ‘સર, મને ગઈકાલે સ્વપ્ન આવ્યું હતું કે, ગધેડા ઉપર ટેલિવિઝન હતું, ઘોડા ઉપર પુસ્તકો હતાં..!

    ‘કદી પણ ઉતાવળથી, દોડીને કશું મેળવવાની કે કાર્ય પૂરું કરવાનું

    વિચારશો નહિ, શાંતિથી, ધીરજથી એક પછી બીજું કામ

    હાથ પર લો અને ખંતથી પૂરું કરો.’

    ---------------------------------------------------------------- ૬૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ઘમંડ

    હજારો એકરમાં વિનયકાન્તનું કારખાનું. આલીશાન ઓફિસ, ત્રણસો માણસો કામ કરે.

    જાહોજલાલીમાં એમને કોઈ પહોંચે નહીં.

    પચાસ વર્ષથી દેશ – વિદેશમાં તેમની પ્રોડક્ટસનું વેચાણ, કોટ પેન્ટમાં વિનયકાંત સજ્જ રોજ

    સવારે કારખાનાનાં દરવાજે ઊભા રહી જાય.તડફડ કરી નાંખે તેવા માણસ.

    ધંધાના વિકાસ અર્થે અમેરિકા જઈ આવેલા પુત્ર સંજય પિતા વિનયકાંતને પગે લાગ્યો. બંને વચ્ચે

    મિટિંગ. ‘ડેડી, હવે આપણે બિઝનેસમાં, વ્યવહારમાં જમાનાને અનુરૂપ ફેરફાર કરવા પડશે.’

    ‘તું અમેરિકા જઈ આવ્યો, તેમાં શું મોથ મારી? તું ભલેને MBA થયો. હું ત્રણ ચોપડી ભણ્યો ને આ

    બધું ઊભું કર્યું છે, ખબર છે તને?

    ‘તમારી સફળતા કે સિધ્ધમાં તમારી ટેવ અત્યંત ગતિશીલ ભાગ

    ભજવે છે. તમારી મહત્તા અને નિષ્ફળતા બંનેમાં તમારી ટેવો

    જ કારણભૂત છે.’

    ---------------------------------------------------------------- ૬૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    નિર્ભયતાથી જીવું છું

    નિર્ભયતાનો અર્થ છે ‘સ્વતંત્રતા’, આઝાદી, સ્વાવલંબન, નિર્ભયતાનો અર્થ દરિયા જેટલો વિશાળ છે.

    ગુલામ ક્યારેય નિર્ભય ન હોઈ શકે. સ્વતંત્રતા એ નિર્ભયતાની જનની છે. અંગ્રેજોનાં દાંત ખાટાં કરી દેનાર

    ટીપુ કહેતો કે, ‘સો વર્ષ ઘેટાંની જેમ ડરીને જીવવા કરતાં સિંહની માફક એક ક્ષણ જીવવાનું મને પસંદ છે.’

    નેપોલિયન બોનાપાર્ટ પોતાની તમામ સફળતાનો યશ નિર્ભયતાને આપતો. તે કશાથી નહોતો ડરતો,

    મૃત્યુથી પણ નહીં. સેન્ટ હેલાના ટાપુ પર કેદી અવસ્થામાં પણ તે સિંહની માફક મૃત્યુને ભેટ્યો.

    ભય તમામ અનિષ્ટોનું મૂળ છે. મહાન ફિલોસોફર થોરોએ એક જગ્યાએ કહ્યું છે કે, ‘મૃત્યુથી તો

    માણસ એકવાર જ મૃત્યુ પામે છે, જયારે ભયભીત માણસ ક્ષણે ક્ષણે મરતો રહે છે. ભય માણસને જીવતો જ

    મારી નાખે છે. ભય એ અંધકાર છે, અંધકારના ઓથારમાં માણસને કશું એ સૂઝતું નથી તેવી રીતે ભયના

    ઓથારમાં માણસ મૂઢ મતિનો બની જાય છે.

    ‘મહાન કાર્યો સિદ્ધ કરવાનો સંકલ્પ જ માણસ માટે

    ઉત્કર્ષની સીડી તૈયાર કરે છે.’

    ---------------------------------------------------------------- ૬૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    રોજનું કામ રોજ

    પોતાનું કામ પૂરા રસથી, નિષ્ઠાથી અને પ્રેમથી કરો, તમને તમારી જાતનું, કાર્યનું સ્થાનનું ગૌરવ

    હોવું ઘટે. તેમાં શ્રધ્ધા હોવી ઘટે. હું સમજણથી અને આયોજનથી મારું રોજ રોજનું કામ કરું છું. સમયસર

    કામ થઈ જવાથી સંતોષ અને આનંદ થાય છે.

    ‘કદી પણ ઉતાવળથી, દોડીને કશું મેળવવાની કે કાર્ય પૂરું કરવાનું વિચારશો નહિ, શાંતિથી,

    ધીરજથી એક પછી બીજું કામ હાથ પર લો અને ખંતથી પૂરું કરો.’

    માણસ કોઈપણ કામ હાથમાં લે એટલે સદૈવ સફળ થાય એવું હંમેશ બનતું નથી પરંતુ જેથી કરીને

    નિષ્ફળતાને ખભે બેસાડી જીવન જીવી શકાય નહી. જે તમારા માર્ગને રોકનારું છે, નડતરરૂપ છે, જે અહિત

    કરનારું છે તેને શા માટે પકડી રાખો છો? ફેંકી દો, તે વાતને એની જરૂર નથી, કારણ કે એ નકામું છે અને

    તેને કામની વાતો સાથે સાંકળી શકાય નહીં.

    ‘તમને જે સ્થળે, સ્થિતિમાં, પ્રવૃતિમાં કે વ્યક્તિ સાથે શાંતિ કે પ્રસન્નતા

    પ્રાપ્ત થતી હોય, તેને નિયમિત અપનાવો.’

    ---------------------------------------------------------------- ૬૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    માણસ બનવાનો પ્રયત્ન

    મારું મન એવું મક્કમ છે કે ક્યારેય મને નબળાં વિચારો આવતા જ નથી, આમ તો માનવીનું મન

    એક અતિ મહત્વની અને મૂલ્યવાન વસ્તુ છે. જેનું મન મજબૂત છે, તેનું શરીર પણ મજબૂત હોય છે.

    શરીરના તમામ અંગો અને તેના તંત્રો ઉપર મનનો અદભૂત કાબૂ હોય છે એટલું નહિ, એ બધાનું સંચાલન

    પણ મન કરે છે!

    મન અતિ નાજુક અને સંવેદનશીલ હોય છે, બહારના વાતાવરણની અસર તેના ઉપર પડતા વાર

    લાગતી નથી. સામી વ્યક્તિનું દર્શન, વાણી, વર્તન કે વ્યવહારની સુક્ષ્મ અસર તે ઝીલી શકે છે.

    માનવીની સફળતા કે નિષ્ફળતા તેનું મન અને મનોભાવ નક્કી કરે છે તેથી મનને સંભાળવાનું,

    જતન કરવાનું ને પ્રસન્ન રાખવાનું ખૂબ જરૂરી છે.

    ‘માનસિક સ્વાસ્થ્ય કેળવવા માટે હંમેશા ઊંચા વિચારો, ભવ્ય કલ્પનાઓ

    અને વિધેયાત્મક વલણો ઘડવાની જરૂર છે.’

    ---------------------------------------------------------------- ૬૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    આપણે જાગીએ

    પવિત્ર નદીઓને મલીન કરવામાં અશિક્ષિત લોકોનો જ ફાળો હોય છે તેમ નથી પણ શિક્ષિત પણ

    લોકો નદીમાં શબના શબ પધરાવે છે. ગિરિકુંજોમાં જઈ જ્યાં ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકી વધેલા

    ભોજનનો એઠવાડ ફેંકી પર્યાવરણ બગાડી રહ્યાં છે. શિવરાત્રીએ કે શ્રાવણ માસે કરોડોનું દૂધ વેડફાય છે પણ

    ખરા અર્થમાં ગરીબ બાળ શિવજીને કેમ અપાતું નથી? ગણપતિ ઉત્સવ શું છે? પર્યાવરણને બગાડવાનું

    પાગલપણું નથી લાગતું?

    શિક્ષિત, સમજુ, પર્યાવરણ રક્ષક, રાષ્ટ્રનો વિકાસ ઈચ્છતા લાખો લોકોને એક કે બે સંતાન જ છે,

    વળી સંતાનો પણ રાષ્ટ્રના વિકાસપ્રેમી અને પર્યાવરણના રક્ષકો બન્યા છે, દેશમાં અન્ડરબ્રીજ, ઓવરબ્રીજ,

    ફ્લાય ઓવરબ્રીજ, મેટ્રો કે બુલેટ ટ્રેન વિકાસના ભાગરૂપે જરૂરી છે કારણ ટ્રાફિક સમસ્યા ઘટાડી શકાય. ઊર્જા

    શક્તિ, ઇંધણ અને સમય બચે છે. દેશનાં આવા હજારો બ્રીજ નીચે વિશાળ જગ્યાઓ હોય છે ત્યાં નર્સરી,

    બાગ-બગીચા કે રોપા વિતરણ કેન્દ્ર કરીને પર્યાવરણની રક્ષા અવશ્ય થાય અને ખાલી જગ્યામાં

    આવારાતત્વો ગુનાઇત કૃત્યો આચરશે નહીં.

    ‘કોઈપણ કાર્યની સફળતા માટે સંકલ્પ બહુ જ

    મહત્વનો ભાગ ભજવે છે.’

    ---------------------------------------------------------------- ૭૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ક્રોધને કાબૂમાં રાખું છું

    એક મુક્ત્તકનું સૌપ્રથમ ચિંતન કરીએ,

    બાપ નરમ, બેટા ગરમ, તો ઘરમાંરહે ધર્મ,

    બાપ ગરમ, બેટા નરમ તો ઘરમાં રહે શરમ,

    બાપુ પણ ગરમ, બેટા પણ ગરમ,

    તો ફૂટે બેયનાં કરમ,

    અને બંને નરમ, તો મટી જાય મનનો ભરમ.

    ક્રોધ બે પ્રકારનો હોય છે : સક્રિય ક્રોધ અને નિષ્ક્રિટ ક્રોધ, સક્રિય ક્રોધમાં વ્યક્તિ અંદરથી શાંત હોય છે. પણ ઉપરથી અશાંત રહે છે. નિષ્ક્રિય ક્રોધમાં વ્યક્તિ ઉપરથી શાંત હોય છે પણ અંદરથી અશાંત રહે છે.

    અહંકાર જ આપણા આંતરિક ક્રોધનું મુખ્ય કારણ. ‘મારી અપેક્ષા પુરી થવી જ જોઈએ અને કોઈ મારું અપમાન ન કરે’ એવી વૃતિ જ નિષ્ક્રિય ક્રોધનુંમૂળ છે. તેને છોડનાર વ્યક્તિ અંદરથી શાંત, સમુદ્ર માફક મસ્તરંગ રહી શકે છે.

    ‘થોડી મિનિટો આંખ બંધ કરી લઈને વિશ્રામ લ્યો. શક્ય હોય તો ખુલ્લી,

    તાજી હવામાંજઈને દીર્ઘ શ્વાસ લેવાની ટેવ પાડો.’

    ---------------------------------------------------------------- ૭૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અવાજ

    દીદી, તું દીકરી વહાલનો દરિયો,

    ત્રણ કુળ તારનારી, તુલસી ક્યારો.

    ભલે, હું રાજી છું.

    પણ, પણ.. શ્રી ભાગવત ઋષિએ

    કહ્યું છે કે, ‘દશ સરોવર સમાન

    એક સુપુત્ર છે’ તેનું શું?

    દીદી, હું મમ્મીના ગર્ભમાંથી પૃથ્વી પર

    આવીશ ત્યારે ઘૂઘવતો સાગર

    બનીને અવતરીશ. Son.. Sun.!

    કળિયુગ છે તો શું થયું? દીકરા જ ખરાબ?

    હવે બહુ થયું. દીકરા તરફ પણ ધ્યાન આપો

    એમ તું મમ્મીને કહેજે હો?

    હુંખારા પાણીની છોળ નથી,

    હુંમીઠા પાણીની છોળ છું,

    અને હા, માતાના ગુણગાન પણ મેંબહુ

    સાંભળ્યા છે, પણ દીદી પિતા કંઈ કમ છે?

    આપણે પપ્પાને ક્યારેય નહીં, Isolated

    થવા દઈએ. ગૌરવથી કહીશું : અમારે

    છત અને છત્ર બંને છે.

    દીકરી વહાલનો દરિયો છે તો દીકરો ઘૂઘવતો સાગર છે

    નટવર આહલપરા

    ---------------------------------------------------------------- ૭૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ‘ના’ કહેવાનું શીખી લીધું છે

    મેં સ્વામી વિવેકાનંદના શક્તિદાયક વિચારો વાંચ્યા પછી મારામાં સ્પષ્ટ, સત્ય અને ‘ના’ કહેવાની

    હિંમત આવી ગઈ છે. મિત્રો, હું જ નહીં આપણે સૌ એમના વિચારો જીવનમાં ઉતારીએ...

    ‘મારા બહાદુર બાળકો, મહાન કાર્ય કરવાને તમે સર્જાયા છો, એવી શ્રધ્ધા રાખો, કૂતરા ભસભસ કરે

    તેથી બીતાં નહીં, અરે! આકાશ તૂટી પડે તો પણ શું? ટટ્ટાર ખડા રહો અને કામ કરો’ : સ્વામી વિવેકાનંદ

    ગુલાબી સ્વપ્નોનો સંચાર થાય છે. સ્ફૂર્તિલું વાતાવરણ સર્જાયું છે. શરીરમાં ઉત્સાહ, થનગનાટ,

    શરીર સંપત્તિ પ્રકાશતા હોય છે. આકાશના તારલાઓ તોડી લાવવાની અભિલાષા સેવી શક્ય છે. અશક્ય

    શબ્દ યુવાનોની ડિક્ષનરીમાં હોતો જ નથી. જો કે એમાં અવિચારીપણું, ઉન્મત્તતા અને ઉતાવળ જો ભળી

    જાય તો યૌવન એળે જાય છે. યુવાની ધૈર્યના અભાવને કારણે મૂરઝાઈ જાય છે.

    પરિણામની ચિંતા કર્યા વગર સત્યનું અનુસરણ કરો. આદર્શના અંતિમ ધ્યેય સુધી પહોંચો. બીકણ

    અને દંભી બનો નહીં.

    ઈશ્વર મારા જીવનનું પ્રેરકબળ છે, તો પછી મારે

    શેનાથી ડરવાનું છે. – ગાંધીજી

    ---------------------------------------------------------------- ૭૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારા દેશનું ગૌરવ

    ભારત મારો દેશ છે.

    બધાં ભારતીયો મારાં ભાઈ બહેન છે.

    હુંમારા દેશને ચાહું છું અને તેના સમુદ્ધ

    અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

    હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.

    હું મારાં માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે

    આદર રાખીશ અને દરેક જણ સાથે

    સભ્યતાથી વર્તીશ.

    હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા

    અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં

    જ મારું સુખ રહ્યું છે.

    જો ઈશ્વર મારા પક્ષે હોય, તો મારી વિરૂધ્ધ કોણ રહેવાનું છે. – બુધ્ધ

    ---------------------------------------------------------------- ૭૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    હું મહાન બનીશ

    સંસ્કૃતના મહાન લેખક ભવભૂતિ એક પ્રસંગ નોધે છે : અરુંધતિ સીતાને કહે છે, તું મારી પુત્રી હો કે

    શિષ્યા હો, ભલે ગમે તે હો પણ તારી વિશુધ્ધિ મને આસક્ત બનાવે છે કારણ કે, ગુણો પૂજવા યોગ્ય છે,

    જાતિ કે ઉમર નહી.

    ઋદવેદનો પ્રસંગ આજની એકવીસમી સદીમાં પણ માનવો પડે તે યાદ આવે છે. આંગેરસ નામનો

    ઘરડા દાદા – દાદીને પુત્ર – પુત્રી તરીકે બોલાવે છે ત્યારે વડીલોને ખોટું લાગે છે અને કહે છે કે તું અમને શું

    જોઈને તું પુત્ર – પુત્રી કહે છે? ત્યારે આંગેરસ દેવોને પુછવાનું કહે છે કે, મેં બરાબર સંબોધન કર્યું છે ને?

    દેવોએ આંગેરસની તરફેણમાં નિર્ણય આપ્યો છે.

    જે યુવાન જ્ઞાની, તેજસ્વી, ઉત્સાહથી પરિપૂર્ણ ધ્યેયલક્ષી હોય એ જ મહાન છે. ભલે તેમાં આવેગથી

    કામ લેવાતું હોય, આ બધું હોવા છતાં કોઈપણ લક્ષણની સિદ્ધિ માટે યુવાની જ પહેલો અને છેલ્લો અવસર

    છે અને એટલે જ મહામૂલી તક છે.

    સફળ અને વિજયી માણસો કદી ભાગતા નથી,

    જયારે ભાગનારા કદી જીતતા નથી. – મહાવીર સ્વામી

    ---------------------------------------------------------------- ૭૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સફળતા મારી સાથે જ હોય છે

    મારે એટલું જ કહેવું છે કે, મને ન મળે વિફળતા બસ મળે સફળતા જ.. સફળતા..

    એક યુવાન દયાનંદ સરસ્વતી કાવતરાઓની પરવા કર્યા વિના ધતિંગો અને પાખંડો સામે લડી શકે

    તો પછી યુવાનોને એવો જ મહામૂલો અવસર સાંપડ્યો છે. યુવાન ગાંધી દક્ષિણ આફ્રિકામાં કાળાઓ સામે

    સત્યાગ્રહ કરી શકે તો આજના યુવાનો આદિવાસીઓ અને દલિતો પર થતાં આક્રમણોની સામે જેહાદ શા

    માટે ન જગાવી શકે?

    શિયાળ, કૂતરાઓ સિંહ સૂતો હોય ત્યાં સુધી જ ભસતા હોય કે અવાજ કરતા હોય છે, પણ એકવાર

    સિંહ જાગૃત થયો અને પોતાની કેશવાળી ઊંચી કરીને છલાંગ મારે તો આ બધાંને ભાગવું જ પડે. જો

    છિન્નભિન્ન કરી નાખતાં શિયાળિયાઓ કે માંસભોગી ગીધડાઓ કે દેશની તાકાત હરી લેતાં પાશવી બળો સામે

    યુવાનો એક ડકણ દઈને ઉભા થાય તો દેશની સમસ્યા માત્ર પાંચ જ વર્ષમાં હલ થઈ જાય અને

    હિન્દુસ્તાનને ફરી પાછો સ્વર્ગનો આહ્ લાદ આપી શકે.

    જેના જીવનમાં સ્વપ્ન કે કલ્પના નથી તે દહંમેશા પામર રહે છે. – રીલ્કે

    ---------------------------------------------------------------- ૭૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુવિચારો

    છાત્ર-છાત્રાઓ સુવિચારો લખ્યાં તેમાં ‘તમે મને લોહી આપો હું આપીશ સ્વતંત્રતા.’ પછી તો

    કેટકેટલા સુવિચારો મળે છે જેમ કે, જેમાં જવાબદારી, સ્વાપર્ણ અને શિસ્તની ભાવના ન હોય તે સ્વતંત્રતા

    નહિં પરંતુ સ્વતંત્રતાના અભાવની પરિસ્થિતિ છે. જરા જેટલું અસત્ય પણ માનવીનો નાશ કરે છે. જેમ એક

    ટીપું ઝેર આખા દૂધના તપેલાનો નાશ કરે છે. સફળતાની ચાવી એ છે કે, ખંતને તમારો મિત્ર બનાવો,

    અનુભવને તમારો શાણો સલાહકાર બનાવો. સાવધાનતાને તમારા વડીલબંધુ તરીકે સ્થાપો અને આશાને

    તમારી રક્ષક બનાવો. કટાઈ જવું તેના કરતાં બહેતર છે કે ઘસાઈ જવું. શાળા એ જ મારું મંદિર, મારું ઘર

    અને મારું જીવન છે.

    ‘અંધકારનો જેને અનુભવ નથી, તે પ્રકાશની કદર કરી શકે નહી, શોક અને

    રુદન કર્યા વિના પ્રસન્ન્તા અને હાસ્યની કિંમત ન થાય.’ – પ્રમુખ સ્વામી

    ---------------------------------------------------------------- ૭૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

  • રીમોટ
  • શહેરથી દૂર માનવ મંદિરમાં તરછોડાયેલા, અનાથ બાળકો રહેતા હતાં. પ્રકાશ અને ઊર્જા વારંવાર

    માનવ મંદિર જાય છે ત્યાંનાં બાળકો સાથે પણ રહે છે. શાંત ચિત્તે વાત કરે છે. બાળકોને હિંમત આપે છે.

    આશ્વાસનના શબ્દ પણ કહે છે. તેઓની સાથે બેસી ભોજન કરે છે.

    ઊર્જા હિંમત આપતા કહે છે,

    કવિ નર્મદ કહે છે,

    ‘તમે યા હોમ કરીને પડો ફતેહ છે આગે’

    આપણે આપણું વ્યક્ત્તિત્વ જ એવું બનાવીએ કે આપણો અને આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર થાય. ખુદ

    ખુદાને પૂછવું પડે, રઝા લેવી પડે એવું જીવન બનાવો કે મજા આવે મિત્રો.

    તમે ભૂતકાળને કદી બદલી શકતા નથી પણ ભવિષ્ય તો હજી

    તમારા હાથમાં જ છે! – વિનોબા ભાવે

    ---------------------------------------------------------------- ૭૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ડગલું ભર્યુ કે...

    મને રમત ગમતમાં ચોરસ લંગડી, કેપ્ટન – કેપ્ટન, ગુરુ ચેલો પ્રકારે સામુહિક રમતો રમવી ગમે છે.

    પ્રવાસમાં ભાખરી, ચા-કોફી બનાવતા, દાળિયા – મમરાનાં પેકેટ તૈયાર કરાય છે. કિશોર – કિશોરીઓ

    પોતાની ટુકડીમાં રહી પ્રાર્થના, ધૂન, સમૂહગીત, હર્ષનાદો કરીએ છીએ.

    ‘ફિલ્મી સફર’ કાર્યક્રમ અંતર્ગત કિશોર અને કિશોરીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવતી ફિલ્મો

    દર્શાવવામાં આવે છે. જ્યુરાસિક પાર્ક, કૃષ્ણ બળદેવ, શક્તિમાન જેવી ફિલ્મો જોઈ સૌપ્રસન્ન થાય છે.

    પુસ્તકાલયમાં ભેટ સ્વરૂપે મળેલા પુસ્તકો વાંચીએ છીએ. ઘરે વાંચવા લઈ જાય છે. દર રવિવારે

    વાર્તાકથન રાખીએ છીએ. હું વાર્તાઓ વાંચુ અને કિશોર કિશોરીઓ પાસે વંચાવું છું.

    શ્રેષ્ટ અને સર્વોત્તમ ઈરાદાઓ કરતાં તો એક નાનું શું સારું કામ વધારે સારું

    ગણાય છે. – નાનક

    ---------------------------------------------------------------- ૭૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જવાબદારી

    આજે પ્રકાશ – ઉર્જાનો ચિંતન દિવસ છે. પોતો ક્ષણેક્ષણે સભાન રહે છે પણ ઉજરેલા કિશોર છોડ ને

    શહેરી માતાપિતા અંગે ચિંતન કર્યા કરે છે.

    ઊર્જા, જગતમાં મોટામાં મોટી જવાબદારી માતા પિતાની પણ છે. જન્મ લેનાર બાળકના તમે

    માલિક નહીં માધ્યમ છો. બાળક તમારે ત્યાં પોતાની અધૂરી સાધનાને આગળ વધારવા આવ્યો છે.

    તમારી ફરજ એ છે કે, એનો વિકાસ થાય, સાધના વધે, એવા સંસ્કારો આપો કે એના બંને ભવો જ

    નહીં, ભવોભવ સુધરી જાય, સંસ્કાર સારા અપાયા હોય તો માતા – પિતાની ભક્તિ કર્યા વિના બાળક રહી જ

    ન શકે ઊર્જાની સમજણ પણ પ્રકાશની ચિંતા પ્રમાણે હતી તેથી તે પણ ચિંતા વ્યક્ત કરે છે.

    પોતાનું કામ પૂરાં રસથી, નિષ્ઠાથી અને પ્રેમથી કરો, તમને તમારી

    જાતનું, કાર્યનું સ્થાનનું ગૌરવ હોવું ઘટે, તેમાં શ્રધ્ધા હોવી ઘટે. – શાસ્ત્રી

    ---------------------------------------------------------------- ૮૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED