Anubhavni Sarvani - 3 books and stories free download online pdf in Gujarati

અનુભવની સરવાણી - 3

વિશેષ બેંક ખાતું...✍🏻
 
કલ્પના કરો કે તમારી પાસે એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ (બેંક ખાતું) છે અને દરરોજ, તે બેંક ખાતામાં 86,400 રૂપિયા જમા થાય છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ તમે બેંક ખાતામાંથી પૈસા ઉપાડી તમારી તિજોરી કે બીજે ક્યાં પણ જમા નહીં કરી શકો.
 
આ બેંક ખાતામાં કેરી ફોરવર્ડની સિસ્ટમ નથી, એટલે કે, તમે તે પૈસા બીજા દિવસ વાપરી શકતા નથી, તમારા જે પૈસા વપરાય નહીં તે પૈસા સાંજે પાછો લઈ લેવામાં આવે છે અને તેના પર તમારો કોઈ હક નથી અને આ બેંક એકાઉન્ટ ગમે ત્યારે બંધ થઈ શકે છે.
 
 
આવી પરિસ્થિતિમાં તમે શું કરશો ?
સ્વાભાવિક છે કે, તમે આખા 86,400 રૂપિયા કેમના વાપરવા તેનો વિચાર કરશો અને આ 86,400 રૂપિયા સારા કામ માટે વાપરો તો સારું છે કારણ કે આ બેંક ખાતું કોઈપણ સમયે બંધ થઈ શકે છે.
 
શું મિત્રો તમને ખબર છે આવુજ એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ આપણી પાસે પણ છે...! હા તમારી, મારી અને આપણા બધા પાસે. તેનું નામ છે આપણું જીવન.
 
આ સુંદર અને કીમતી જીવન રુપી બેંક એકાઉન્ટ માં રોજના 86,400 સેકન્ડ જમા થાય છે. એટલે કે આપણને રોજ 86,400 સેકન્ડ મળે છે. દરેક પાસે રોજ સરખા સેકન્ડ હોય છે. અને હું માનું છું કે આ કિંમતી જીવન ની દરેક સેકન્ડો ખૂબજ કિંમતી છે સાચું કહું તો પૈસા કરતા પણ વધારે કીમતી કેમકે પૈસા વ્યર્થ માં ગુમાવ્યા પછી તેને ફરી કમાય શકાય છે પરંતુ એક વખત સમય ગુમાવ્યા પછી ગમે તેટલી સંપત્તિ આપી ને પણ તેને પાછો મેળવી શકતો નથી.
 
જો તમે તેને સારા કામ માટે ઉપયોગ ના કરો તો પછી આ જીવન એકદમ વ્યર્થ છે. તમારા જીવન રૂપી એકાઉન્ટ ક્યારે પણ બંધ થઈ શકે છે માટે તેનો સદ્ ઉપયોગ કરવો ખુબજ મહત્વનું છે.
 
જો તમે સાચે આ વાત સમજી ગયા હશો તો આ 2024 ના નવા વર્ષ માં તમે તમારા આ કીંમતી સમય ને વ્યર્થ નહીં કરો અને આ નવા વર્ષ માં આ સમય નો સદ્ ઉપયોગ જરુર કરશો.
 
તો મિત્રો શું તમે તમારા નવા વર્ષ માટે કોઈ સોલીડ સંકલ્પ કર્યો છે ખરો? કાલે પુરી દુનિયા 2023 ને બાય બાય કરી 2023 ને વેલકમ કરશે કોઈક પેલા જેવી જૂની લાઈફ જીવશે તો કોઈ નવા વર્ષ ના સંકલ્પ સાથે નવા વર્ષ માં તેમના માં શું ઈમ્પ્રોવમેન્ટ લાવવું તેનો પ્રયત્ન કરશે અને સફળ પણ થશે.
 
તમે તમારા જીવન માટે આ વર્ષે શું ખાસ કરશો?
 
 
 
દરેક સમસ્યાનું સમાધાન છે...✍🏻
 
આ તે સમયની વાત છે જ્યારે મહાત્મા બુદ્ધ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા અને સમગ્ર વિશ્વના લોકોને તેમનું જ્ઞાન આપી રહ્યા હતા. એકવાર, મહાત્મા બુદ્ધ તેમના કેટલાક શિષ્યો સાથે એક ગામની મુલાકાત લઈ રહ્યા હતા. તે દિવસોમાં કોઈ વાહનોનો ઉપયોગ થતો ન હતો, તેથી લોકો પગપાળા જ ખુબજ દૂર સુધી પ્રવાસ કરતા હતા. તે સમયે ભગવાન બુદ્ધ તરસ લાગી તે ખૂબ તરસ્યા હતા. તેમણે તેમના એક શિષ્યને ગામમાંથી પાણી લાવવાની સૂચના આપી. જ્યારે શિષ્ય ગામની અંદર ગયો, ત્યારે તેણે જોયું કે ત્યાં એક નદી હતી જ્યાં ઘણા લોકો કપડા ધોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો નહાતા હતા ત્યારે નદીનું પાણી એકદમ ગંદુ હતું.
 
શિષ્યે વિચાર્યું કે ગુરુ જીને આવા ગંદુ પાણી પીવડાવવું યોગ્ય રહેશે નહીં, તે પાછો ફર્યો. ગુરુ ને પુરી વાત કીધી. મહાત્મા બુદ્ધ ખૂબ તરસ્યા હતા, તેથી તેમણે ફરી એક શિષ્યને પાણી લાવવા મોકલ્યો. થોડા સમય પછી, શિષ્ય પાછો આવ્યો અને પાણી લાવ્યો. મહાત્મા બુદ્ધે શિષ્યને પૂછ્યું કે નદીનું પાણી ગંદુ હતું, તો તમે શુધ્ધ પાણી કેવી રીતે લાવયા? શિષ્યે કહ્યું કે ગુરુજી નદીનું પાણી ખરેખર ગંદુ હતું પણ પરંતુ મેં ત્યાં હું થોડી વાર રાહ જોતો રહ્યો. થોડા સમય પછી ત્યાં થી કપડાં ધોતા, નહાતા લોકો જતા રહ્યા પછી પાણી ની ગંદી માટી નીચે બેસી ગઈ અને શુધ્ધ પાણી ઉપર આવ્યું.
 
બુદ્ધને આ સાંભળીને ખૂબ આનંદ થયો અને તેમણે અન્ય શિષ્યોને શીખવ્યું કે આ આપણું જીવન છે જે પાણી જેવું છે. જ્યાં સુધી આપણું કર્મ સારું છે ત્યાં સુધી બધું શુદ્ધ છે, પરંતુ જીવનમાં ઘણાં દુsખ અને સમસ્યાઓ હોય છે, જેનાથી જીવનનું પાણી ગંદુ લાગે છે.
 
કેટલાક લોકો તે પ્રથમ શિષ્ય ની જેમ મુશ્કેલીઓ થી ડરી જતા હોય છે, તેઓ જીવનમાં ક્યારેય આગળ વધતા નથી, અને બીજી બાજુ, કેટલાક લોકો જે ધીરજ રાખે છે તે મુશ્કેલીઓ થી ઘભરાતા નથી અને થોડા સમય પછી, સમસ્યાઓ, ગંદકી અને દુ: ખ જાતેજ અદૃશ્ય થઈ જાય છે.
 
તો મિત્રો, આ વાર્તા થી એ જાણવા મળે છે કે સમસ્યા અને અનિષ્ટ જીવનના પાણીને ટૂંકા સમય માટે જ પ્રદૂષિત કરી શકે છે. પરંતુ જો તમે ધૈર્યથી કામ કરો છો, તો પછી થોડા સમય પછી, મુશ્કેલીઓ આપમેળે ગાયબ થઈ જશે.
 

બીજા રસપ્રદ વિકલ્પો