Zindagi Raman Bhaman books and stories free download online pdf in Gujarati

જીંદગી રમણ ભમણ

જ્યારે તમામ દરવાજા બંધ થઇ જાય છે ત્યારે હૈયેથી હિંમત ખૂટી જાય છે વિચારવાની બધી જ શક્તિઓ જાણે બંધ થઈ જાય છે ને ત્યારે શુશિક્ષિત લોકો પણ અંધશ્રદ્ધા તરફ ડગ માંડતા હોય છે.....

અચાનક જ ફોનની ઘંટડી વાગી હેલ્લો બા શું કરો છો....કેમ છો.....મજામાં ને.... એકશ્વાસે આસ્થા એ પુછ્યું.... સામે છેડેથી જવાબ આપતા તેની સાસુએ કહ્યુ હાં.... હાં....
મેં એક નંબર દાદા ને તમારો નંબર આપ્યો છે.તેનો ફોન આવે તો વાત કરી લેજો અને જે કંઈ કહે ને એ બધું જ કરજો.
આસ્થા તેની સાસુ ને કહ્યું બધું જ માને અને બધા જ કહેલા વચન બરાબર નિભાવે...
આસ્થાની એક પુત્ર અને પુત્રી હતું, પુત્રનું નામ ઓમ અને પુત્રીનું નામ લૈખા હતું.. લૈખા 12 વર્ષની અને ઓમ નવ વર્ષના હતા..
પેલા બ્રાહ્મણ દાદાના ફોન આવ્યો અને જે પણ કહ્યું તે પ્રમાણે આસ્થા તો દરરોજ કરવા માંડી પહેલા તો કહ્યું કે પીપળાનું પાન દર શનિવારે લાવીને તમારા ઘરના મંદિરમાં મૂકવું. પેલા બ્રાહ્મણ દાદાના કહ્યા પ્રમાણે આસ્થા જે કહે તે કરવા માંડી...

સૂર્ય નારાયણને પાણી ચડાવવું પણ પાણીમાં સૂકા લાલ ના મરચા ના બીજ નાખી પછી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. ફક્ત તમારા પતિ એ તમારે ન કરવું. તમારે સૂર્યનારાયણને જળ ચડાવવું તેમાં હળદર અને ચોખા ઉમેરવા આમ અલગ અલગ સૂચના પ્રમાણે આસ્થા તો દાદા ને ફોલો કરતી ગઈ.
આસ્થા ખૂબ જ નિખાલસ અને પ્રમાણિક, દયાળુ તેમજ દેખાવે સુંદર સુશીલ હતી. અવાજ પણ મીઠો કોયલ જેવો હતો... સ્વાભાવિક છે કે કોઈ પણ પુરુષ તેનાં તરફ આકર્ષાય... અવાજમાં જાદુ હતો.....

એક દિવસ અચાનક પેલા પંકજ (દાદા)એ તેના વખાણ કરવા માંડ્યા. સ્વાભાવિક છે કોઈપણ સ્ત્રીના, પુરુષ વખાણ કરે એટલે સ્ત્રી પોતાની જાતને હોય એના કરતાં પણ વધારે સારી હોવાનો પ્રયત્ન કરે....
આમ તો સ્ત્રીઓને પોતાના વખાણ બહુ જ ગમે છે. એટલે સ્વાભાવિક છે કે આસ્થા પણ તે પ્રવાહ તરફ ખેંચાતી ગઈ. દાદા રોજ નીત નવા પ્રયોગો આપતો જાય તે જ પ્રમાણે આસ્થા કરતી જાય...
આસ્થા ક્યાં સુધી કઈ હદ સુધી એ દાદા તરફ ખેંચાવા લાગી હતી તેનું તેને ભાન જ ન રહ્યું હતું.... પેલો દાદો કહે ને કે રાત્રે ફોન કરજે તો આસ્થા જાગી ને રાતે ફોન કરે... મંત્રની જાણ વગર પણ કલાકો સુધી વાતો કરતી મંત્ર બીમાર હોવાથી રાત્રે લગભગ તો ક્યારેય જાગતો જ નહીં....

પેલો દાદા પણ જે પ્રયોગ આપે ત્યારે તેમના પતિના માટે છે એવું કહીને લાલચ આપે એટલે આસ્થા પણ દાદાની એક પણ વાત ટાળે નહીં
એક વખત દાદાએ ફોનમાં જ કહ્યું કે ઉપાય છે તમારા પતિ જલદી સાજા થઇ જાય અને તારે ઘરનું મકાન પણ થઈ જાય.... પણ કઈ રીતે કહું તે સમજાતું નથી પણ આસ્થા આટલા સમયથી સહજભાવે વાત કરતી હોવાથી કહ્યું કે બિન્દાસ કહો વાંધો નહીં...
આસ્થાની બહુ આનાકાની બાદ દાદાએ કહ્યું કે....જો... તો......
તારી છાતી માંથી દૂધ નીકળે છે...?? આ પ્રશ્નથી પહેલા તો આસ્થાના આખા શરીરમાં કંપારી છૂટી ગઈ.....સ્વાભાવિક છે કોઈ પણ પુરુષ જ્યારે સ્ત્રીઓ ને આવા પ્રશ્નો અને આવા શબ્દ થી કંપારી છૂટી જવી.. કોઈ કુણી લાગણીઓ શરીરમાંની નસેનસમાં એક કંપન ઉદભવ થવું.
સાણસા ગામનો હતું આ દાદા એમનું નામ પંકજભાઈ હતું. તે મેલી વિદ્યામાં માહિર હતો. તેમણે મેલી વિદ્યાના અનેક આયોજનો અને અનેક પુસ્તકોના માધ્યમથી અનેક મેલીવિદ્યા શીખેલી હતી. ત્યાંના આજુબાજુના ગામડાઓમાં પણ ખૂબ પ્રસલીત અને ઘણી સિદ્ધિઓ મેળવી હતી.
પરંતુ આસ્થા શહેરમાં મોટી થયેલ હોવાથી આવી કોઇ વાતથી જ સાવ અજાણ હતી મેલીવિદ્યા જેવું કંઈ જ સાંભળ્યું જ નથી
આસ્થા શહેરમાં જ મોટી થઈ અને ભણી-ગણીને ગ્રેજ્યુએટ કરેલું એટલે આમ તો બધી વાતે હોંશિયાર હતી પણ આવી બાબતે સાવ ભોળી હતી. કોઈ દિવસ આવી વાતો સાંભળેલી જ નહીં તો આસ્થાના સામે પેલો ઠગ તેને ઠગી રહ્યો હતો. એવો તો વિચાર માત્ર પણ ન આવે આસ્થાને તે સ્વાભાવિક હતું.

ક્યારેય વિચાર્યું છે કે એક ગંજીફાના કાર્ડની કિંમત કંઈ જ નથી હોતી, પરંતુ તેનો ખેલાડી તે જ કાર્ડની મદદથી કાં તો ઘણું બધું ગુમાવી શકે છે અને કાં તો ઘણું બધું મેળવી શકે છે...

આ દાદાએ તો રમત માંડી હતી, આસ્થાના પ્રેમની, સંવેદનાની, લાગણીઓની જેનાથી આસ્થા સાવ અજાણ હતી....
આસ્થાને ધીમે ધીમે કરીને મીઠું ઝેર આપી રહ્યો હતો...
આસ્થા એ ચેક કર્યું તો સ્તનમાં દૂધ નીકળતું હતું... તેમણે કહ્યું હતું કે કોઈ ને પણ આ જાણ થશે તો પ્રયોગ નિષ્ફળ જશે... એટલે આસ્થા એ ક્યારેય આ વાત કોઈ ને પણ નાં કરી.... એમના સાસુ ને પણ નહીં કહેવા બાહેધરી લીધી હતી.

અને મંત્ર તો બિમારી નાં કારણે અડધો બેહોશીની હાલતમાં જ હોય.. તો એને તો જાણ થવી શક્ય જ નથી.

સ્તનના દુધથી આસ્થા એ સફેદ કાગળ માં ચાંદની કોઈ અણીદાર વસ્તુથી 'શ્રી' લખવાનું કહેવામાં આવ્યું ૨૧ વખત શ્રી લખવાનું હતું.... અને એ પણ ૬વાગ્યા પહેલા એટલે કોઈ ને પણ જાણ ન થાય...
આ બધા થી અજાણ મંત્ર ધીમે ધીમે સાઝો થવા લાગ્યો હતો. એટલે આસ્થા ઠગ પર વધારે ને વધારે વિશ્વાસ કરવા લાગી હતી. પછી તો પેલા ઠગે આસ્થાને યજ્ઞ કરવાનું કહ્યું. એટલે પેલો ઠગ કલ્પનાના સાસુ સસરા જે ગામમાં રહેતા હતા તે ગામ પહોંચી ગયો. અને યજ્ઞનુ મુહુર્ત કાઢવાનું કહ્યું.
મુહૂર્ત નીકળ્યું ન હોવાથી આ સ્થાને ફોન જોડવાનું કહ્યું. પેલા ઠગે આસ્થાને પહેલે થી જ સમજાવી દીધું હતું કે હું તમારા સસરા ગામ જાવ ત્યારે તમને ફોન કરીશ અને મુહૂર્ત તમારા કહેવા પ્રમાણે જ કાઢીશું.
આસ્થા ને ફોન જોડ્યો અને પેલો ઠગ આંકડાઓ કહેવા લાગ્યો પણ મુહૂર્ત નીકળ્યું નહીં. ઠગ જોડે વાત શરૂ જ હતી એટલામાં મંત્ર ઘરે આવ્યો તેણે જોયું કે આસ્થા પેલા ઠગ સાથે મસ્તીથી વાત કરી રહી હતી.
આ જોઈ મંત્રએ આસ્થા નાં ફોનકોલ ચેક કર્યા. તો રાત્રે લગભગ ૨ કલાક આજુબાજુ વાત થઈ હોય.આ જોઈ મંત્રને અજુગતું લાગ્યું કે એક તો રાત્રે વાત કરવી અને તેમાંય બે કલાક ની આજુબાજુ એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ પુરુષ ને શંકા થાય. પછી મંત્ર એ ફોન માંથી કાર્ડ જ કઢાવી નાખ્યું. મંત્રનું આવું વર્તન જોઈ આસ્થા ડઘાઈ ગઈ. મંત્ર ને કહ્યું કે મારે ફોન તો જોઈએ. મંત્રને આસ્થાએ બીજો ફોન લાવી આપ્યો. જેમાં બધું જ રેકોર્ડ થતું આ બધું મંત્રએ સાબિતી માટે કર્યું હતું. આમ તો આસ્થા માનત નહીં પણ એક વખત રાત્રે વાત કરતા કરતા ખ્યાલ રહ્યો નહીં અને મંત્ર જાગી ગયો. અને આસ્થા પકડાઈ ગઈ... આસ્થાને ખૂબ જ સમજાવી. તને ઠગી રહ્યો છે અને તારી સાથે મેરેજ કરી ને તને વેચી નાખશે મંત્ર આવું બધું સમજાવતો રહ્યો. પણ આસ્થા તેની મેલી વિદ્યામાં એટલી ગૂચવાઇ ગઇ હતી કે મંત્ર
ની એક પણ વાત માન્યામાં આવતી ન હતી.
આખરે આસ્થા પર પેલા ઠગ નો ફોન આવ્યો ત્યારે મંત્ર સાથે બેસીને વાત કરી અને કહ્યું કે આભીનુ અંહી સંકેલી લો...
અને આસ્થા ધીમે ધીમે અઆ ઠગના સકંજા માંથી બહાર નીકળતી ગઈ. મંત્રના સૂઝબૂઝના કારણે....

સારાંશ.....
કોઈ પણ મોબાઈલ નંબર આપે કે અંહી તમારી સમસ્યાના નિવારણ માટે ફોન કરો....સચોટ ઉપાય તાત્કાલિક નિવારણ તુરંત પરિણામ...... ત્યાંથી દૂર જ રહેવું આસ્થા નાં નામે ઠગાઈ કરનાર થી દુર રહેવું તમારા જજ્બાત ને રગદોળાય ઠગ કરનારા ઘણા લોકો અને અંધશ્રદ્ધાની આસ્થા નામે તમારી શ્રદ્ધાને ઠેસ પહોંચાડનાર થી દુર રહેવું
જો મંત્ર આ બધી ખબર ન પડત તો આસ્થા ને કાં તો પેલા ઠગે મારી નાખી હોત ને કાં તો કિડની આંખો ને આસ્થા નો દેહ વેચી ને જલસા કરતો હોત..........

બીજા રસપ્રદ વિકલ્પો