નિષ્ફળતા ને જવાબ Dhruw Gosai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ફળતા ને જવાબ

નિષ્ફળતા ને જવાબ !!

“ વૈભવ ,યાર હું વખતે પણ રહી જ જઈશ, મેરીટ માં આવવું મારા માટે ના જાણે કેમ આટલુ અશક્ય બની ગયું છે? મને હવે તૈયારી કરવાનો કોઈ ઉત્સાહ નથી”
“ અરે ! આમ નિરાશ થવું કેમ પોસાય પરાગ ! જો આપણે આવતી વખતે વધુ મહેનત કરીશું ને! બિલકુલ સિલેક્ટ થઈ જઈશું! તું જોજે !!”
“ છેલ્લા કેટલા વર્ષ થી આજ વાતો તું કરતો આવે છે ને ? શુ ફરક પડ્યો તારી વાતો માનીને! ભાઈ રહેવા દે તારા આ પ્રવચનો મા ને પ્રવચનો મા બે વરસ ને ના જાણે કેટકેટલી ચોપડીઓ, ટ્યુશનો ને ના જાણે કેટલું કર્યું તોય પરિણામ જોઈ લે આજે !”
“ પણ વૈભવ ” વૈભવ વાત ને વચ્ચે જ અટકાવી દે છે.
“ પરાગ, બસ હવે ! મારે કોઈ વાત નથી સાંભળવી ને હવે તું પણ ક્યાંક નોકરી શોધી લે તો સારું છે ક્યાં સુધી આપણા વડીલો ને ખોટા અભરખા આપીશું? હું જાઉં છું મને થોભીશ નહીં !”

• બીજા દિવસે ..

“ પરાગ, ગઈ કાલ ના વર્તન માટે સોરી યાર! કાલે હું જરા ભાવુક બની ગયેલો !”
“ એમ વૈભવ, તો આજે મને મળવા જ આવ્યો છે? ને તારી આ સ્માઈલ નું રહસ્ય જાણી શકું હું ?”
“ અરે! હા ગઈ કાલે પપ્પા ને ઘણું નુકસાન થતા રહી ગયું !”
“ મતલબ ?”
“ એમને બીજા રાજ્ય માંથી વેચાણ માટે માલસામાન મણગાવ્યો હતો ને એના ટેક્સ અને ઇવેબીલ ના રેટ માં ફેર જણાયો! હમણાંજ સરકારે GST રેટ બદલ્યા છે તો એ પ્રમાણે જ કિંમત હોવી જોઇએ પણ ત્યાં ના વેપારી એ બદલાવ કર્યો નહિ ને જુના ભાવે વેચાણ કર્યું પરિણામે પપ્પા ને મેં સમજાવી અદ્યતન ભાવે જ માલસામાન ખરીદવા કહ્યું ને એમા ...... !
“ અચ્છા એમ ! સરસ તો હવે શું વિચાર્યું છે આગળ ક્યાં નોકરી કરવાની છે !!”
“ એ વાત છોડીને મને એમ કહે આવતી પરીક્ષા માટે સિલેબસ ને અનુરૂપ પુસ્તકો ની યાદી છેને તારી પાસે ? ”
“ હા, છે ને! ક્યારથી શરૂ કરવું છે ??”
“ હાલ જ !!”
• નિષ્ફળતા માત્ર ભૌતિક લક્ષય ને જ અટકાવતી નથી પરંતુ સમગ્ર ગતિ પથ ને વિચલિત કરી શકવાનું તેનું સામર્થ્ય છે. આવા સમયે નિષ્ફળ થવાના કારણો ની શોધ પણ નકારાત્મક અભિગમ થી થવી સ્વાભાવિક છે. પણ ગતિપથ નો રાહી હંમેશા આ ઉતાર ચઢાવ નો આદિ બનવો જોઈએજ જેને કઇક મેળવવું છે એને મન સફળતા અને નિષ્ફળતા નું વિચલન શૂન્ય બનવું જરૂરી છે. નિષ્ફળ થયા બાદ પણ જ્યારે આપના ગતિપથ ને જોઈએ તો ઘણું અંતર અને અનંત જ્ઞાન તમે અજાણતા જ મેળવ્યું છે જેમકે સ્પર્ધાત્મક પરીક્ષાનો વિદ્યાર્થી ભલે અસફળ થયો હોય પણ એક વિશ્વ માનવી તરીકે ની તેના જ્ઞાન અને અભિગમો માં જે બદલાવ આવ્યો હશે તે અનન્ય હશે !
• જ્યારે આપણી સ્પર્ધા નિષ્ફળતા સાથે હશે ત્યારે હંમેશા આપણે જ શક્તિમાન હોઈશું! અંતે નિષ્ફળતા નો એક અને માત્ર એક જ જવાબ છે તેના તરફ ની અનન્ય ગતિ ! હાર્યો એજ જે સતત લડ્યો નહિ !

- સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે રોકાયેલા અને પોતાના વતન અને કમ્ફર્ટ ઝોન ને છોડી ને કારકિર્દી ના સર્જન હેતુ સંઘર્ષશીલ પરિક્ષાર્થી મિત્રો ને સમર્પિત! શુભાશાય સહ !

- જય હિન્દ !

- ધ્રુવ ગોસાઈ