સમયગાળો : વર્તમાન સ્થળ : મુંબઈ બપોરનો સમય હતો . મુંબઈ ની ભેજવાળી ગરમીમાં પરસેવે લથબથ લોકો અહીંતહીં દોડી રહ્યા હતા . સમય સવારનો હોય કે બપોરનો કે સાંજ નો મુંબઈ કોઈ દિવસ શાંત નથી થતું . તેજ સમયે ચર્ચગેટના ડોમીનોઝના કોલેજીઅન લગતા બે યુવાનો અને એક યુવતી પિત્ઝાની સાથે એ સી ની ઠંડક માણી રહ્યા હતા. અંદર બધા ટેબલ ફૂલ હતા . જેમના ગાજવા ગરમ હતા તે અંદરની ઠંડક માણી રહ્યા હતા અને જેમના ખિસ્સા ઠંડા હતા તે બહાર થોડે દૂર ઠંડા પીણાંથી પોતાને ઠંડા કરી રહ્યા હતા . ત્રણેય પિત્ઝાનો આનંદ માનવાની સાથે જાણે એક

Full Novel

1

થશરનું રહસ્ય - ૧

સમયગાળો : વર્તમાન સ્થળ : મુંબઈ બપોરનો સમય હતો . મુંબઈ ની ભેજવાળી ગરમીમાં પરસેવે લથબથ લોકો અહીંતહીં દોડી રહ્યા હતા . સમય સવારનો હોય કે બપોરનો કે સાંજ નો મુંબઈ કોઈ દિવસ શાંત નથી થતું . તેજ સમયે ચર્ચગેટના ડોમીનોઝના કોલેજીઅન લગતા બે યુવાનો અને એક યુવતી પિત્ઝાની સાથે એ સી ની ઠંડક માણી રહ્યા હતા. અંદર બધા ટેબલ ફૂલ હતા . જેમના ગાજવા ગરમ હતા તે અંદરની ઠંડક માણી રહ્યા હતા અને જેમના ખિસ્સા ઠંડા હતા તે બહાર થોડે દૂર ઠંડા પીણાંથી પોતાને ઠંડા કરી રહ્યા હતા . ત્રણેય પિત્ઝાનો આનંદ માનવાની સાથે જાણે એક ...વધુ વાંચો

2

થશરનું રહસ્ય ભાગ ૨

સમયગાળો : વર્ષ ૨૦૦૫ એક ત્રીસીમાં પહોંચેલો પુરુષ નામ નીલકંઠ , ખગોળશાસ્ત્રની ડિગ્રી ઉપરાંત નાસામાં કામ કરી ચુક્યો હતો તે એક ફાઈલ લઈને જુદા જુદા સરકારી દફ્તરો તેમજ મંત્રાલયોના આટાફેરા મારી રહ્યો હતો. પાછલા એક વરસથી તે પ્રયત્ન કરી રહ્યો હતો , પણ કોઈ સરકારી અધિકારી તેની વાત કાને ધરવા તૈયાર ન હતો . કોઈ તેને કહેતું કે તમારી આ કાલ્પનિક વાતોમાં અમને રસ નથી તો કોઈ કહેતું કે આ અમારા ડિપાર્ટમેન્ટ નું કામ નથી તો કોઈ એમ કહેતું કે તમારી પાસે ફક્ત કાગળ છે કોઈ સબૂત હોય તો લાવો . છતાં સ્વભાવે જિદ્દી એવો નીલકંઠ બમણા જોશથી પોતાના ...વધુ વાંચો

3

થશરનું રહસ્ય ભાગ ૩

સમયગાળો : વર્ષ ૨૦૧૪ , ડિસેમ્બર સ્થળ : પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ નીલકંઠે કહ્યું સર સાંભળવામાં થોડું અજુગતું લાગશે પણ પૃથ્વી પર આપણે એકલા પૃથ્વીવાસી નથી રહેતા . આપણી વચ્ચે એલિયનો પણ રહે છે જે જુદા જુદા કારણોસર પૃથ્વી પર આવ્યા છે . હજી સુધી તો તેઓ શાંતિપૂર્વક અને ગુપ્તતાથી રહી રહ્યા છે પણ આગળ કોણ શું કરશે તેની કોને ખબર ? ખેદની વાત એ છે કે તે વિશે કોઈને જાણકારી નથી . પ્રધાનમંત્રીશ્રી ધ્યાનપૂર્વક બધું સાંભળી રહ્યા હતા . તેમણે એક વાર પણ નીલકંઠને ટોક્યો ન હતો . તેણે કહ્યું અને આના સગડ મને નાસામાં નોકરી કરતી ...વધુ વાંચો

4

થશરનું રહસ્ય ભાગ ૪

સમયગાળો : વર્તમાન વર્ષ ૨૦૧૯ સ્થળ : સ્વિટ્ઝર્લેન્ડ એક વ્યક્તિએ દરવાજો અલગ અંદાજ માં ખટખટાવ્યો .થોડીવાર રહીને દરવાજો ખુલ્યો . ખટખટવાનાર વ્યકતિ બેધડક અંદર ચાલ્યો ગયો પણ ખોલનારે બહાર નજર કરી અને ઘણીવાર સુધી અંધારામાં તાકી રહ્યો. જયારે વિશ્વાસ થયો કે બહાર કોઈ નથી એટલે દરવાજો બંદ કરીને અંદર આવ્યો . દરવાજો ખોલનાર વ્યક્તિ જયારે ડ્રોઈંગ રૂમ માં પહોંચ્યો ત્યાં સુધીમાં આગંતુક વોડકા ની બોટલ ખોલીને અડધી ગટગટાવી ચુક્યો હતો . પછી તેણે થોડી થોડી વોડકા બે ગ્લાસમાં કાઢી અને એક ગ્લાસ તે વ્યક્તિ સામે ધર્યો . તે વ્યક્તિએ આગંતુક પર નજર કરી અને કહ્યું કેટલું પીએ છે . ...વધુ વાંચો

5

થશરનું રહસ્ય ભાગ ૫

સમયગાળો વર્તમાન નિખિલે નીલકંઠને એક રિપોર્ટ બનવીને જેમાં તેણે લખ્યું કે ક્યાં તો આપનું મોકલેલું ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર કામ નથી કરતુ અથવા જો તે બરાબર કામ કરતુ હોય તો મુંબઈ માં લગભગ ૨૦૦ થી ૩૦૦ એલિયન્સ ની હાજરી છે . મુંબઈ ની જનસંખ્યાને હિસાબે તે કદાચ ઓછી જણાતી હશે પણ આ આંકડો નાનો નથી અને તેમાંથી આપણે જેને શોધવા કહ્યું છે તે અસંભવ છે , અમને મદદની જરૂર પડશે . નીલકંઠ અને યુવરાજ ઓફિસમાં બેસીને નિખિલના રિપોર્ટ પર ચર્ચા કરી રહ્યા હતા . યુવરાજે કહ્યું આટલા બધા એલિયન મુંબઈ માં અને તે વિષે આપણને જાણ પણ નથી . ...વધુ વાંચો

6

થશરનું રહસ્ય ભાગ ૬

સમયગાળો : વર્તમાન નિખિલે ટેબલ પર એક કાગળ મુક્યો તેમાં ૧૫૦ એડ્રેસ હતા . તેણે રાઘવ તરફ જોઈને કહ્યું કે આટલા જણ છે જે નિયમિત રીતે ચિકન સોસેજ પિત્ઝા હોમ ડિલિવરીથી મંગાવે છે.રાઘવે કહ્યું આપણે પાંચ જણ છીએ એટલે આપણને પાંચ દિવસ લાગશે આટલા એડ્રેસ ચેક કરતા , પહેલા એમાંથી તે નામ કટ કરીશું જેઓ ફેમિલી સાથે રહે છે પછી જોઈશું કેટલા બચે છે . રાઘવનો અંદાજો ખોટો પડ્યો ત્રણ જ દિવસમાં તે કામ પૂરું થઇ ગયું . હવે તેમની લિસ્ટમાં ફક્ત ૧૦ નામ બચ્યા હતા . મોડી રાત્રે રાઘવે કહ્યું કાલનો દિવસ આપણા માટે મહત્વનો છે કાલેજ આપણે ...વધુ વાંચો

7

થશરનું રહસ્ય ભાગ ૭

સ્થળ : મુંબઈ બધા વિસ્ફારિત નેત્રે એલિયનની વાત સાંભળી રહ્યા હતા , તે જ વખતે ઓફિસની બહાર ધમાકો થયો અને ઓફિસમાં અંધારું થઇ ગયું . જયારે લાઈટ આવી ત્યારે સામેની ખુરસી ખાલી હતી અને ખુરસીમાં બંધાયેલો એલિયન રફુચક્કર થઇ ગયો હતો . નિખિલના ચેહરા પર નિરાશા ફરી વળી તેણે રાઘવ તરફ ફરીને કહ્યું " હાથમાં આવેલો સબૂત નીકળી ગયો" પણ રાઘવનો ચેહરો નિર્લેપ હતો તેના ચેહરા પર કોઈ જાતના હાવભાવ ન હતા . રાઘવે કહ્યું "હવે તે આપણા માટે વધુ મહત્વનો નથી , તેના પેપર્સ આપણી પાસે છે અને તેણે જે જુબાની આપી તેનો રિપોર્ટ બનાવીને નીલકંઠ ...વધુ વાંચો

8

થશરનું રહસ્ય ભાગ ૮

વિચિત્ર નાક અને કાનવાળો જીવ પોતાના જેવા જીવને પોતાની ભાષામાં કહી રહ્યો હતો ( ચાલો ફરીથી ટ્રાન્સલેટર લગાવી લઈએ તે જીવ કહી રહ્યો હતો રાણીસાહેબ પૃથ્વીવાસી બહુ ચાલાક છે તેમણે મને પકડી લીધો હતો .રાણીએ કહ્યું કોઈ પૃથ્વીવાસી તને પકડી શકે તે અશક્ય વાત છે , મને પુરી વાત કર, વિતાર. વિતારે બધો ઘટનાક્રમ કહ્યો ડોરબેલથી લઈને પોતે છૂટીને ભાગ્યો ત્યાં સુધી . રાણીએ કહ્યું એક મિનિટ તે કહ્યું ધમાકો થયો અને અંધારું થઇ ગયું અને તારા બંધનો ઢીલા થઇ ગયા ? વીતારે હા કહ્યું હા આપણા લોકો જો સમય પર ન આવ્યા હોત તો હું છૂટી શક્યો ...વધુ વાંચો

9

થશરનું રહસ્ય ભાગ ૯

નીલકંઠ હરિદ્વારમાં એક ઓફિસમાં બેઠો હતો અને સામે પંડિત બંસીલાલ શુક્લા બેસેલા હતા . ત્યાં આવતા પહેલા નીલકંઠે વિચાર્યું કે કોઈ ૬૦ કે ૭૦ વર્ષના કોઈ પંડિત હશે પણ તેને બદલે જીન્સ ટીશર્ટ પહેરેલી ૪૦ ની આસપાસ ની વ્યક્તિ હતી અને તેમની સામે ફોટા મુકેલા હતા જે નિખિલે તેમને મોકલ્યા હતા . આવ્યા પછી ઘણી વાર સુધી બંને તે ફોટા વિષે ચર્ચા કરી ચુક્યા હતા. બંસીલાલે કહ્યું જો આપ કહી રહ્યા હો તે સત્ય હોય તો આ તો બહુ અદભુત છે આપણી પાસે એવું પ્રુફ છે જે મિથકો ને સત્ય સાબિત કરી દે. આપણે જગત ને સાબિત કરી ...વધુ વાંચો

10

થશરનું રહસ્ય ભાગ ૧૦

સ્થળ : મુંબઈ વિતાર હાથમાં એક રીસીવર લઈને પ્રિડા ની સામે ઉભો હતો . તે રીસીવર બહુ પ્રાયમરી લેવલ નું હતું પણ પ્રિડા તેને બહુ ધ્યાનથી જોઈ રહી હતી . તેણે વિતાર તરફ જોઈને કહ્યું શું આ રીપેર થઇ ગયું છે ? વિતારે કહ્યું હા પણ બહુ મુશ્કેલી પડી આને રીપેરીંગ કરાવવામાં, આ ટેક્નોલાજી આપણા ત્યાં આઉટડેટેડ થઇ ગઈ હતી તેથી મારે અહીં આવ્યા પછી એવી વ્યક્તિને શોધવી પડી જે આને રીપેર કરી શકે ? પણ શું તમને વિશ્વાસ છે કે આપણું ટ્રાન્સમીટર કામ કરતુ હશે કારણ આ આ ગાળો નાનોસુનો નથી લગભગ ૫૦૦૦ વર્ષનો છે . પ્રિડાએ કહ્યું ...વધુ વાંચો

11

થશરનું રહસ્ય ભાગ ૧૧

બંસીલાલે કહ્યું બર્બરિક એ મહાભારત નું એવું પાત્ર છે જેના પર વધારે પ્રકાશ પડ્યો નથી અને સૌથી શક્તિશાળી યોદ્ધા પણ મહાભારતનું યુદ્ધ લડ્યો નહોતો . મહાભારતની કથા પ્રમાણે બર્બરિક ઘટોત્કચ અને નાગવંશી મુરની પુત્રી આહિલાવતીનો પુત્ર હતો . તે શક્તિશાળી અને પરાક્રમી હતો તેની પાસે ત્રણ અલભ્ય તીર હતા. જયારે તેને ખબર પડી કે કૌરવો અને પાંડવો યુદ્ધ કરી રહ્યા છે ત્યારે તે યુદ્ધમાં ભાગ તૈયાર થયો . તે વખતે તેની માતાએ વિચાર્યું કે પાંડવોનો પક્ષ કમજોર હશે તેથી તેણે પોતાના પુત્રને એમ કહ્યું કે હારેલાનો પક્ષ લેજે . તે ફક્ત એક ધનુષ્ય અને તુણીરમાં ત્રણ તીર લઈને ...વધુ વાંચો

12

થશરનું રહસ્ય ભાગ ૧૨

વિતાર જ્યાં બંધાયેલો હતો તેની પાછળથી નિખિલ બહાર આવ્યો અને ધુમાડા પાછળથી આવેલા રાઘવ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું આઈડિયા હતો , વિતારે ઘણી બધી માહિતી આપી પણ અફસોસ હથિયાર કયું છે અને ક્યાં છે તે વિષે કોઈ માહિતી આપી ન શક્યો . રાઘવે કહ્યું ચીલ યાર તે પણ માહિતી આજે નહિ તો કાલે મળી જશે પણ પ્રિડાનીડ પરથી ચાર પાંચ નહિ પણ પાંચ હજાર પ્રિડાનીડ વાસી પૃથ્વી પર છે તે માહિતી પણ અમૂલ્ય છે . નીલકંઠ સર ને આ માહિતી આપવી પડશે .નિખિલે બેહોશ વિતાર તરફ જોઈને કહ્યું આનું શું કરીશું ? રાઘવે કહ્યું આને આપણે છોડવો ...વધુ વાંચો

13

થશરનું રહસ્ય ભાગ ૧૪

રાઘવ અને ટીમ થશરના મંદિર તરફ એક ગાડીમાં નીકળી , રાઘવે પોતાની આંખો બંદ કરી અને તેની સામે દ્રશ્ય ઉઠ્યું એક વ્યક્તિ વધ સ્તંભ તરફ આગળ વધી રહી હતી. તે આંખમાં આસું સાથે તે વ્યક્તિને જતી જોઈ રહ્યો હતો . ડુમલા નામ હતું તેનું . કુલ દસ લોકોની ટીમ આવી હતી પ્રિડાનીડ ગ્રહ પરથી . પોતે અહીંના નિવાસીઓ કરતા અલગ દેખાતા હતા તેથી છુપાઈને કામ કરતા હતા . ટીમમાંથી બે જણ પર એક પૃથ્વીવાસીએ હુમલો પણ કર્યો હતો . એક દિવસ ટીમલીડરે ડુમલાને એક વ્યક્તિ પર નજર રાખવાનું કામ સોંપ્યું હંમેશા તેનો પીછો કરતા રહેવાનું અને તેની જેટલી ...વધુ વાંચો

14

થશરનું રહસ્ય ભાગ ૧૩

સ્થળ : જયપુર પ્રિડા જયપુર એરપોર્ટ પર ઉતરી રહી હતી . તેણે બહાર આવીને એક ટેક્સી કરી અને ખાઁટુશ્યામજીના મંદિર તરફ જવા નીકળી . ત્યાં પહોંચીને તેણે એક હોટેલમાં ઉતારો લીધો. બે દિવસ તે ત્યાં ટુરિસ્ટની જેમ ફરી અને ત્રીજે દિવસે તે હોટેલમાંથી નીકળી ત્યારે પુરુષના રૂપમાં હતી અને તેના ખભે એક બેકપેક હતી , તેણે એક ટેક્સી પકડી અને ટેક્સી ડ્રાયવરને ક્યાં જવાનું છે તે કહ્યું . જે દિવસ તે ત્યાંથી નીકળી તેજ દિવસે એલેક્સ અને સર્જીક તે હોટેલમાં પહોંચ્યા અને ત્યાં એક રૂમ લીધી . બે દિવસથી તેનું લોકેશન એકજ જગ્યાનું બતાવતું હોવાથી સર્જીક અને એલેક્સ ત્યાં ...વધુ વાંચો

15

થશરનું રહસ્ય ભાગ ૧૫

શ્રીકૃષ્ણ ડુમલાને બર્બરીકના તંબુમાં લઇ ગયા અને બર્બરુકને કહ્યું આ તારો સેવક છે અને સેવા કરવા હંમેશા તત્પર રહેશે. શ્રીકૃષ્ણને બે હાથ જોડીને કહ્યું પ્રભુ મને કોઈ સેવકની જરૂર નથી પણ જો આપ આને અહીં લઇ આવ્યા છો તો તે મારા મિત્ર તરીકે અહીં રહેશે. શ્રીકૃષ્ણ બર્બરીકને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા . બર્બરીકે બહુ પ્રેમથી તેને પૂછ્યું શું નામ છે તારું બંધુ ? ડુમલા થોડો આશ્ચર્યમાં હતો કારણ તેને ખબર હતી કે બર્બરીક રાજમહેલમાં ઉછર્યો છે છતાં જેટલા પ્રેમ અને આત્મીયતાથી પૂછ્યું હતું તેનાથી તે અભિભૂત થઇ ગયો . ડુમલાએ કહ્યું મારુ નામ ડુમલા છે અને હું ...વધુ વાંચો

16

થશરનું રહસ્ય ભાગ ૧૬

બર્બરીકે સૂર્ય તરફ જોયું અને કહ્યું ચાલ ડુમલા આપણો જવાનો સમય થઇ ગયો છે પછી અચાનક તે ડુમલાને ભેટી અને કહ્યું મિત્ર તારી સાથે મેં બહુ અમૂલ્ય સમય વિતાવ્યો છે આ ચાર દિવસમાં . ડુમલાના ચેહરા પર હજી આશ્ચર્યના ભાવ હતા . છતાં તે કઈ બોલ્યો નહિ અને ચુપચાપ બર્બરીક સાથે ચાલવા લાગ્યો . થોડીવાર પછી તેઓ બધાના રહેવા માટેના તંબુ બનવ્યા હતા ત્યાં પહોંચ્યા ત્યાં જોયું કે શ્રીકૃષ્ણ પોતે હાજર હતા સાથે જ પિતામહ ભીષ્મ તેમજ કુરુસેનાના મુખ્ય યોદ્ધાઓ પણ હતા અને પાંડવો પણ હતા . બર્બરીક બધા વડીલોને પગે લાગ્યો . જયારે તે ઘટોત્કચને પગે લાગ્યો ...વધુ વાંચો

17

થશરનું રહસ્ય ભાગ ૧૭

પ્રિડાએ સુરંગમાં કૂદકો માર્યા પછી તે ઘણી વખત સુધી શૂન્યમાં તરતી રહી , તે ધીરે ધીરે નીચે જઈ રહી , તેને ખબર ન પડી કે આમ કેમ થઇ રહ્યું છે , અચાનક તેની આંખ આગળનું દ્રશ્ય બદલાઈ ગયું , તેને પોતાના નાનપણના દ્રશ્યો દેખાવા લાગ્યા , તે પછી યુદ્ધના દ્રશ્યો દેખાવા લાગ્યા , અચાનક એક તીર તેની તરફ આવ્યું અને તેણે પોતાની આંખો બંદ કરી દીધી અને તે બેહોશ થઇ ગઈ . થોડીવાર પછી જ્યારે તે ઉભી થઇ ત્યારે તે નરમ જમીન પર પડેલી હતી , હવે તે પોતાના અસલ સ્વરૂપમાં હતી . તેણે પોતાનું શરીર ચેક કર્યું ...વધુ વાંચો

18

થશરનું રહસ્ય ભાગ ૧૮ અંતિમ ભાગ

નિખિલ બધાને લઈને બહારની તેઓ જે ગુપ્ત દ્વારમાંથી આવ્યા હતા તે દ્વારમાંથી નીકળી ગયો . બધાના ગયા પછી રાઘવ ખૂણામાં ગયો જ્યાં એક ચાંદીનો ઘડો હતો તેમાંથી જળ લઈને તેણે ધનુષ્ય અને તીર પર છાંટ્યું , તે શસ્ત્રોની પવિત્રતાને સમજતો હતો . તે પછી તેણે શસ્ત્રોને જ્યાં મુકેલા હતા ત્યાં ફરી ગોઠવ્યા અને પછી તેણે શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું અને અચાનક તેના હાથમાંથી શક્તિ પ્રવાહ વહેવા લાગ્યો જે શસ્ત્રોની આજુબાજુ પોતાનું સ્થાન લેવા લાગ્યો . જયારે તેને લાગ્યું કે પર્યાપ્ત સુરક્ષાચક્ર રચાઈ ગયું છે તે પ્રિડા જે મારગથી આવી હતી તે દિશા તરફ આગળ વધ્યો , સુરંગના નીચેના ભાગમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો