The joy of life books and stories free download online pdf in Gujarati

જીવનનો આનંદ

આજથી વર્ષો પહેલાં ગામમાં વસવાટ કરતી પ્રજા માટે એક ગામથી બીજા ગામ જવું હોય તેવા સમયે આવન-જાવન માટે કોઇ ટ્રાન્સપોટ્રેશન સેવા હજી નહીં કે ગામમાં વસવાટ કરતી પ્રજાની આર્થીક સ્થિતિ પણ બહુજ ગરીબીમાં હજી. ગામડા ગામમાં માંડ એકાદ બે વ્યક્તિ એવી હોય કે તેની પાસે પોતાનું સાધન હોય. આવી વ્યક્તિ ની ગણતરી ગામમાં ધનિક વ્યક્તિ તરીકે કરવામાં આવતી હતી. હવેની પરિસ્થિતિ સાવ અલગ ફરિભૂત થવા પામેલ છે. હવે ગામમાં ખેતીની આવકમાં પહેલાં કરતાં વધુ પ્રમાણમાં વધારો પણ થયેલ છે. ગામમાં વસવાટ કરતી પ્રજા હવે ગામની નજીકના તાલુકા-જીલ્લા મથકના શહેરોમાં રહેવા જવાનો ટ્રેન્ડ ધીમે ધીમે અસ્તિત્વમાં આવવા લાગેલ છે. આવાજ એક નાનકડાના ગામના ત્રણ વ્યક્તિઓ બીજે ગામ ચાલતા થવા નીકળ્યા હતા. રસ્તામાં એક ઝાડ નીચે ત્રણ વટેમાર્ગુ મળ્યા. ત્રણેય અલગ અલગ જગ્યાએથી લાંબા પ્રવાસે નીકળ્યા હતા. જે ત્રણ વ્યક્તિઓ થોડીવાર આરામ કરવા એક મોટા વટવૃક્ષ સમા ઝાડની ગાઢ છાયામાં બેસી ગયા. ત્રણેય પાસે બે-બે બેગ હતી જેમાં એક થેલી આગળ અને બીજી પાછળ લટકાવેલ હતી.

ત્રણેય એકસાથે બેઠા અને અલક-મલકની વાતો કરવા લાગ્યા કે કોણ ક્યાંથી આવ્યું ? ક્યાં જવું કેટલા દૂર છે ઘરમાં કોણ કોણ છે આવા અનેક સવાલો જે અજાણ્યા લોકો એકબીજા વિશે જાણવા માંગતા હતા. ત્રણેય વ્યક્તિઓ આવા સવાલો એકબીજાને કરી રહેલ હતાં.

ત્રણેય મુસાફરોનો સામાન સપ્રમાણમાં હતો, પરંતુ દરેક વ્યક્તિના ચહેરાના હાવભાવ અલગ-અલગ હતા. ખૂબ જ થાકેલા, નિરાશ, જાણે તેમના આ પ્રવાસે તેઓને મોટા બોજારૂપ બનાવી દીધેલ હોય તેવા હાવભાવ તેઓના ચહેરા પર પ્રગટ થયાં હતાં. અને આમ પણ માનવી ચહેરો વગર બોલે ઘણું બધું કહી શકતો હોય છે. સામેવાળી વ્યક્તિને ઢાંકવાની આવડત હોવી જોઇએ. બીજો થાકી ગયો હતો પણ તેને બોજ ન લાગ્યો અને ત્રીજો ઘણો આનંદમાં હતો. દૂર એક મહાત્મા એમની સામે જોઈ હસતા હતા.આ ત્રણ વ્યક્તિઓ ની પરિસ્થિતિ થોડે દૂર બેઠેલા સાધુપુરુષ જોઇ રહેલ હતાં.

એકાએક ત્રણેય વટેમાર્ગુઓની નજર પણ તે મહાત્મા પર પડી અને તેમની પાસે ગયા પછી ત્રણેયે મહાત્માને પૂછ્યું કે, મહાત્માજી કેમ અમારી સામે જોઇ હસતા હતા ? આ પ્રશ્નના જવાબમાં મહાત્માએ ત્રણેયને પૂછ્યું કે તમારી પાસે બે થેલીઓ છે, એકમાં તમારે લોકોનું ભલું કરવાનું છે અને એકમાં દુષ્ટતા કરવાની છે, તમે શું કરશો ?

ત્રણેય વ્યક્તિઓએ વારાફરતી મહાત્માને જવાબ આપ્યા. કે કહ્યું, હું દુષ્ટતા રાખીશ જેથી હું જીવનભર તેમનાથી દૂર રહી શકું. અને હું સારાને પાછળ રાખીશ. બીજાએ કહ્યું - હું સારાને આગળ મૂકીશ જેથી હું તેમના જેવો બની શકું અને ખરાબ પાછળ જેથી હું તેમના કરતા સારો બની શકું. ત્રીજાએ કહ્યું કે હું સારાને આગળ રાખીશ જેથી હું તેમનાથી સંતુષ્ટ થઈ જાઉં અને દુષ્ટતાને પાછળ રાખીશ અને પાછળની કોથળીમાં એક છિદ્ર કરીશ જેથી તેઓ બુરાઈનો ભાર ઓછો કરતા રહે અને મારી પાસે માત્ર સારું જ રહેશે, એટલે કે, તે દુષ્ટતાને ભૂલી જવા માંગતો હતો.

ત્રણેય વટેમાર્ગુઓની વી વાત સાંભળીને મહાત્માએ કહ્યું- પહેલો જે પ્રવાસથી થાકી ગયો છે અને નિરાશ દેખાય છે, જેણે કહ્યું હતું કે તે દુષ્ટતાને સામે મૂકી દેશે, તે આવી મુસાફરીથી કંટાળી ગયો છે કારણ કે તેની વિચારસરણી નકારાત્મક છે, જીવન મુશ્કેલ છે. તેના માટે.

બીજાએ કહ્યું, કે ભલે થાકેલો છે પણ નિરાશ નથી, તે કહે છે કે હું સારાને આગળ મૂકીશ, પણ ખરાબ કરતાં વધુ સારા બનવાના પ્રયાસમાં, તેઓ બિનજરૂરી સ્પર્ધામાં હોવાથી થાકી જાય છે.

ત્રીજા વટેમાર્ગુએ કહ્યું, જેણે કહ્યું કે તે સારાને આગળ રાખે છે અને ખરાબને પાછળ રાખે છે, તેને ભૂલી જવા માંગે છે, તે સંતુષ્ટ છે અને જીવનનો આનંદ માણી રહ્યો છે, તેવી જ રીતે, તે જીવનની મુસાફરીમાં ખુશ છે.

ટુંકમાં પરમાત્માએ અર્પણ કરેલ માનવજીવન એજ અગત્યનું છે. વિશ્વમાં જન્મ લેવો દરેક માનવી ગરીબ નથી કે દરેક માનવી તવંગર પણ નથી. પરંતું પરમાત્માએ માનવદેહ આપેલ છે કે જ અગત્યનો છે. કોઇપણ સંજોગોમાં નિરાશાને બાજૂ રાખી જીવન જીવવું જોઇએ. દરેક તવંગર માનવી સુખી હોવો કે જરુરી નથી, તે રીતે દરેક ગરીબ માનવી દુ:ખી નથી હોતો. સુખ કે દુ:ખ બજારમાં વેચાતી વસ્તુ નથી. માનવી પાસે જીવનજરૂરી બધીજ સવલતો હોય તે માનવીને સુખી રાખી નહીં શકે. સુખી રહેવા પરિશ્રમ પોતે જાતે કરવો પડશે.

--------------------------------------------------------------------------------------------------------------------------------------


બીજા રસપ્રદ વિકલ્પો