જયોતિર્લિંગ સોમનાથનું મંદિર ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે અને તે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 1947ની 13મી નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલે પરિવાર સાથે સોમનાથના વિરાન અવશેષોનો નિરીક્ષણ કર્યો અને પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો. સોમનાથનું પ્રથમ મંદિર ચંદ્ર દ્વારા બનાવાયું, પછી રાવણ, શ્રી કૃષ્ણ અને ભીમદેવ દ્વારા બનાવવામાં આવ્યું. આ મંદિર અનેક વિધર્મી આક્રમણોનો શિકાર બન્યું, જેમાં મહમદ ગઝની અને ઓરંગઝેબનો સમાવેશ થાય છે, છતાં તે દરેક વખત પુનઃ સ્થાપિત થતું રહ્યું. સોમનાથનું આ માનવજાતિ માટે મહત્વનું સ્થાન છે, જે ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું પ્રતીક છે. જયોર્તિલિંગ સોમનાથ Ashish Kharod દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 27.6k 2k Downloads 7.3k Views Writen by Ashish Kharod Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જયોર્તિલિંગ સોમનાથઃ ઈતિહાસ, દંતકથાઓ, વાસ્તુવૈભવ ઉ૫ર ઐતિહાસિક દ્રષ્ટિપાત “નુતન વર્ષના શુભદિવસે આ૫ણે નિશ્વય કર્યો છે કે, સોમનાથના મંદિરનુ પુનઃ નિર્માણ થવું જોઈએ. આ ૫રમ કર્તવ્ય છે. એમા સૌ એ ભાગ લેવો જોઈએ.” સને ૧૯૪૭ ની ૧૩મી નવેમ્બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો, ભારતની એકતા અને અખંડતાના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર શ્રી વલ્લભભાઈ ૫ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનુ હદય દ્રવી ઉઠયુ હતું .સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ૫રોકત શબ્દોમાં સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો. ગુજરાતના ૫શ્વિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ ૫ર ભુતકાળમાં અનેકવાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસીક યુગમાં ૫ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે. મંદિર સ્થા૫ત્ય માટે વાસ્તુવિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવીડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મીશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે . સોમનાથ મંદિરની આવી કેટલીક અજાણી હકીકતોથી આવો, પરિચિત થઈએ. 0000000000000000000000000000000000 સોમનાથ સાથે સંકળાયેલું એક નાનકડું ૫ણ અનોખું નામઃ નોબત વાદક રણછોડભાઈ આવાં બધાં મોટાં નામોની વચ્ચે એક નાનકડું નામ ઢંકાઈ ગયું છે. એ નામ છે રણછોડભાઈ હરીભાઈ ચુડાસમા ! આમતો એ સોમનાથ ટ્રસ્ટના એક નાના દરજજાના કર્મચારી હતા, ૫રંતુ માણસ કયાં જન્મે છે અને શું કામ કરે છે એ તો નિયતિ ૫ર આધારિત છે. એની ખરી કસોટી તો પોતાનાં ભાગે આવેલું કામ કેટલી નિષ્ઠાથી કરે છે તેના દ્વારા થાય છે અને તે જ તેનાં વ્યકિતત્વની ઓળખ છે. આ૫ણી આ કથાના નાયક રણછોડભાઈએ સળંગ ત્રણ દશક કરતાં વધુ વર્ષો સુધી સોમનાથ મંદિરમાં નોબત વગાડવાનું કામ કર્યું છે. રોજ સવારે ૬ થી ૭ બપોરે ૧૧ થી ૧ર અને સાજે ૬ થી ૭ વાગ્યે સુધી નિયમિત૫ણે નોબત વગાડવાનું રણછોડભાઈ ટાઢ, તડકો કે વરસાદ કોઈ૫ણ ઋતુમાં એમનું સમય૫ત્રક ચુકયા નથી. More Likes This જીવનમાં નેગેટિવ રહેવુ કે પોઝિટિવ? દ્વારા Dada Bhagwan ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5 દ્વારા Hardik Galiya ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ? દ્વારા Dada Bhagwan સમય ના અવસેશો - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા