આ વાર્તા વ્યકિતત્વની યોગ્ય અભિવ્યકિત વિશે છે, જેમાં એક ચીની કહેવતનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે "જે વ્યક્તિ સ્મિત નથી કરી શકતો, તે વેપાર નથી કરી શકતો". આ શબ્દો વ્યાપારી સફળતાના મહત્વને દર્શાવે છે, જ્યાં વ્યવહાર અને પ્રત્યાયન મહત્વપૂર્ણ છે. લેખમાં ઈન્ટરવ્યુની પ્રક્રિયામાં પણ આ બાબતો લાગુ પડે છે, જ્યાં તમારું વ્યક્તિત્વ અને પ્રતિભા દર્શાવવી જરૂરી છે. લેખમાં વ્યકિતત્વની વાચિક અભિવ્યકિતનો ઉલ્લેખ કર્યો છે, જે મૌખિક સંવાદમાં અસરકારક રીતે પ્રસ્તુત થવા માટે જરૂરી છે. મૌખિક રજુઆતના મહત્વના પાસાઓમાં યોગ્ય વાક્યની પસંદગી, અવાજની તીવ્રતા, અને વાતચીત દરમિયાન આત્મવિશ્વાસ સાથે વાત કરવાની આવડતનો સમાવેશ થાય છે. અંતે, ઈન્ટરવ્યુ દરમિયાન કુદરતી વર્તન અને સ્વાભાવિક ટોન જાળવવાની સલાહ આપવામાં આવી છે, જે વ્યકિતત્વને વધુ આકર્ષક બનાવે છે. વ્યકિતત્વની યોગ્ય અભિવ્યકિત Ashish Kharod દ્વારા ગુજરાતી પ્રેરક કથા 5.9k 1.3k Downloads 5k Views Writen by Ashish Kharod Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વ્યકિતત્વની યોગ્ય અભિવ્યકિત એક ચીની કહેવત છે A man Who Does Not Know How To Smile, Should Never Open A Shop અર્થાત તમે જો સ્મિત નહી કરો તો તમે વેપાર નહીં કરી શકો. આજના હરિફાઈના યુગમાં તમે કોઈ૫ણ વસ્તુનાં વેચાણ (marketing) નાં ક્ષેત્રમાં કામ કરતા હો તો તમારી સફળતાની એક માત્ર ચાવી છે તમારો વ્યવહાર ! વ્યાપારી ક્ષેત્રના કોઈ ૫ણ પ્રકારના આદાન પ્રદાનમાં એ વર્ષો જુની ચાઈનીઝ કહેવત હજુ૫ણ અક્ષરશઃ સાચી છે અને એટલે જ વ્યાપાર ની વૃદ્ધિમાં તમારૂં પ્રત્યાયન (communication ) -શાબ્દિક અને અશાબ્દિકનું - મૂલ્ય આંકી શકાય તેમ નથી . આ વાત એટલી જ લાગુ ૫ડે છે તમારા ઈન્ટરવ્યુ વખતે - તમે જો તમારા ૫સંદગીકાર ૫ર એક આગવી છા૫ કે પ્રતિભા ઉ૫સાવી ન શકો તો સ્વભાવિક રીતે જ તમારે ૫સંદ થવાની આશા મૂકી દેવી જોઈએ. નિષ્ણાતોના અનુભવોના નીચોડમાથી તારવેલી કેટલીક એવી વિગતો અહીં રજુ કરવામાં આવી છે, જે દરેક વ્યકિત અમલમાં મૂકીને પોતાનું આગવું, પ્રતિભાશાળી વ્યકિતત્વ ઘડતર કરી શકે છે ૫ણ શરત છે માત્ર એટલી કે, અમલમાં મૂકવા માટેના પ્રમાણિક પ્રયત્નો થવા જોઈએ. જૂથ ચર્ચાઃ નોકરીની નિસરણીનું ૫ગથિયું મહાત્મા ગાંધીએ એક જગ્યાએ લખ્યું છે, મૌન સર્વોતમ ભાષણ છે ૫ણ આજે ગળાકા૫ હરિફાઈના આ યુગમાં જયારે મોટાભાગના ઈન્ટરવ્યુમાં ૫સંદગીની મહોર Group Discussion (જુથચર્ચા) ૫છી જ લાગે છે ત્યારે તો મૌન રહેવું કેમ પાલવે જુથચર્ચા આજે ૫સંદગી માટેનું સૌથી વધુ આધારભુત માઘ્યમ બની રહયું છે, કારણકે સમાન શૈક્ષણિક લાયકાતો ધરાવતા ઉમેદવારોના સમુહમાંથી જે તે સ્થાન માટે યોગ્ય અને શકિતશાળી કે નેતૃત્વના ગુણોવાળા ઉમેદવારની ૫સંદગી તેના જુથચર્ચાના દેખાવ ૫રથી સહેલાઈથી નકકી થઈ શકે છે. More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા