પ્રસ્તાવના: રઘુવંશ – એક શાશ્વત વિરાસત રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાણ જાયુ બરુ બચનુ ન જાઈ... આ પંક્તિઓ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ શું આપણે ખરેખર એ 'રઘુકુળ'ના મૂળ સુધી પહોંચ્યા છીએ? જે વંશમાં સાક્ષાત્ પરમાત્માએ જન્મ લેવો પડ્યો, એ વંશનો પાયો કેટલો મજબૂત હશે? તેનું તેજ કેવું હશે? અને તેનું પતન કેવી રીતે થયું હશે?'રઘુવંશ' એ માત્ર એક રાજા કે એક પરિવારની વાર્તા નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના સુવર્ણકાળનો જીવંત દસ્તાવેજ છે. આ નવલકથા લખવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીને આપણી ભવ્ય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને એ આદર્શોથી પરિચિત કરાવવાનો છે, જે સમયની ધૂળ નીચે ક્યાંક દબાઈ ગયા.
રઘુવંશ - પ્રસ્તાવના
પ્રસ્તાવના: રઘુવંશ – એક શાશ્વત વિરાસત રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાણ જાયુ બરુ બચનુ ન જાઈ... આ પંક્તિઓ વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ શું આપણે ખરેખર એ 'રઘુકુળ'ના મૂળ સુધી પહોંચ્યા છીએ? જે વંશમાં સાક્ષાત્ પરમાત્માએ જન્મ લેવો પડ્યો, એ વંશનો પાયો કેટલો મજબૂત હશે? તેનું તેજ કેવું હશે? અને તેનું પતન કેવી રીતે થયું હશે?'રઘુવંશ' એ માત્ર એક રાજા કે એક પરિવારની વાર્તા નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના સુવર્ણકાળનો જીવંત દસ્તાવેજ છે. આ નવલકથા લખવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીને આપણી ભવ્ય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને એ આદર્શોથી પરિચિત કરાવવાનો છે, જે સમયની ધૂળ નીચે ક્યાંક દબાઈ ગયા ...વધુ વાંચો
રઘુવંશ - ભાગ 1
"તમે રામકથા તો જાણી છે, પણ શું તમે એ ૧૦૦ પ્રતાપી રાજાઓને ઓળખો છો જેમના પુણ્યપ્રતાપે અયોધ્યા અમર બની? ઈતિહાસના પાનાઓ પર અંકિત એ અજાણ્યા પરાક્રમોની સફરે."#રઘુવંશ.ભાગ 1. આદિ સૂર્યોદયસમયના એ અનાદિ ગર્ભમાં, જ્યારે હજુ સૃષ્ટિ પોતાનું સ્વરૂપ ધારણ કરી રહી હતી, ત્યારે શૂન્યમાંથી એક દિવ્ય નાદ ગુંજ્યો. આ નાદ હતો બ્રહ્માંડના સર્જનનો. પરમાત્માના સંકલ્પ માત્રથી બ્રહ્માજી પ્રગટ્યા અને તેમના માનસમાંથી મરીચિ ઋષિનો જન્મ થયો. મરીચિના પુત્ર કશ્યપ અને કશ્યપના અંશથી આકાશમાં તેજસ્વી પિંડ સમાન સૂર્યદેવ વિવસ્વાનનું અવતરણ થયું. આ એ જ વિવસ્વાન હતા, જેમના તેજથી ભવિષ્યમાં પૃથ્વી પર 'સૂર્યવંશ'ની આણ વર્તવાની હતી.પરંતુ, આ વંશાવળીની સાચી શરૂઆત તો એ ...વધુ વાંચો
રઘુવંશ - ભાગ 2
"ઇતિહાસના એ અંધકારભર્યા ગર્ભમાં દબાયેલા ૧૦૦ સૂર્યોનું તેજ, જેણે અયોધ્યાના સિંહાસનને 'અજેય' બનાવ્યું... શું તમે તૈયાર છો એ રક્તગાથાને 2. આદિ સૂર્યોદય (ભાગ - ૨)વૈવસ્વત મનુએ જ્યારે સૃષ્ટિના પુનઃનિર્માણનો મંત્ર ફૂંક્યો, ત્યારે તેમની દિવ્ય દ્રષ્ટિ માત્ર વર્તમાન પર નહીં, પણ આગામી હજારો વર્ષોના ભવિષ્ય પર હતી. મનુ અને શ્રદ્ધાના મિલનથી જે દસ પુત્રોનો જન્મ થયો, તેઓ પૃથ્વીના દસ દિગ્પાલકો સમાન હતા. પરંતુ, આ દસ રત્નોમાં જેનું તેજ મધ્યાહ્નના સૂર્ય જેવું પ્રખર હતું, તે હતા જ્યેષ્ઠ પુત્ર — મહારાજ ઈક્ષ્વાકુ.ઈક્ષ્વાકુનો જન્મ એ સૂર્યવંશ માટે એક આશીર્વાદ સમાન હતો. કહેવાય છે કે જ્યારે મનુ મહારાજ પિતૃઓની આરાધના કરી રહ્યા હતા, ત્યારે ...વધુ વાંચો
રઘુવંશ - ભાગ 3
"જેના નામ પરથી આ ધરા 'પૃથ્વી' કહેવાઈ, એ પ્રથમ ચક્રવર્તી સમ્રાટ પૃથુના અદભૂત પરાક્રમની સાક્ષી એટલે રઘુવંશ."#રઘુવંશભાગ 3 રાજા અને પૃથુનું પરાક્રમમહારાજ વિકુક્ષીના ન્યાયી શાસન પછી અયોધ્યાના સિંહાસન પર તેમના તેજસ્વી પુત્ર રાજા અનેના બિરાજમાન થયા. અનેના એટલે એવા શાસક જેમના જીવનમાં 'અન' (નહીં) અને 'એન' (પાપ) — એટલે કે જેમના જીવનમાં પાપનો કોઈ અંશ નહોતો. તેમના સમયમાં પ્રજા એટલી સુખી હતી કે પૃથ્વી પર રોગ, દુષ્કાળ કે અકાળ મૃત્યુનો ભય સમૂળગો નષ્ટ થઈ ગયો હતો.પરંતુ સૂર્યવંશની આ કીર્તિ પતાકાને સાચા અર્થમાં દિગ્વિજય અપાવનાર રાજા હતા અનેનાના પુત્ર — મહારાજ પૃથુ. પૃથુનો જન્મ જ ધર્મના રક્ષણ માટે થયો હતો. ...વધુ વાંચો
રઘુવંશ - ભાગ 4
"જેના શૌર્ય આગળ સાક્ષાત્ દેવરાજ ઇન્દ્રને બનવું પડ્યું વાહન, એ અયોધ્યાના અણનમ યોદ્ધા રાજા કકુત્સ્થની અદ્ભુત રણગાથા રઘુવંશ."#રઘુવંશભાગ. 4 આશ્રય અને મહારાજ કકુત્સ્થનું પ્રાગટ્યમહારાજ વિકુક્ષીના ન્યાયી શાસન અને પશ્ચાતાપની પવિત્રતા પછી અયોધ્યાના સિંહાસન પર એક એવો દિવ્ય પ્રતાપી સૂર્ય ઉગ્યો, જેનું તેજ પૃથ્વીની સીમાઓ ઓળંગીને સ્વર્ગ સુધી પહોંચવાનું હતું. વિકુક્ષીના પુત્ર તરીકે મહારાજ પુરંજયનો જન્મ થયો. પુરંજય એટલે કે જેણે શત્રુઓના અજેય નગરો પર વિજય મેળવ્યો હોય. તેમના જન્મ સમયે જ ગુરુ વસિષ્ઠે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક સૂર્યવંશની કીર્તિને બ્રહ્માંડના ખૂણે-ખૂણા સુધી લઈ જશે.એ સમયે સ્વર્ગલોકમાં ભયાનક ઉત્પાત મચેલો હતો. અસુરોના શક્તિશાળી સમ્રાટોએ માયાવી શક્તિઓ અને અસ્ત્ર-શસ્ત્રોના ...વધુ વાંચો
રઘુવંશ - ભાગ 5
"જેના રાજ્યમાં પાપનો પડછાયો પણ પ્રવેશી ન શક્યો અને જેમના તપોબળ આગળ સ્વર્ગ પણ નતમસ્તક થયું, એ સમ્રાટ અનેનાના શાસનની ગાથા રઘુવંશ."#રઘુવંશભાગ. 5. અનેનાનું નિષ્પાપ શાસન અને આધ્યાત્મિક વિજયમહારાજ કકુત્સ્થના પરમ પદ પામ્યા પછી, અયોધ્યાના એ ઉત્તુંગ સિંહાસન પર સૂર્યવંશના આગામી ઉત્તરાધિકારી તરીકે તેમના પરમ તેજસ્વી પુત્ર મહારાજ અનેના બિરાજમાન થયા. સંસ્કૃત સાહિત્ય અને પુરાણોના ગૂઢ પૃષ્ઠોમાં અનેના નામના અર્થની પાછળ એક મહાન રહસ્ય છુપાયેલું છે. 'અન' એટલે નકારાત્મક અથવા અરેખ, અને 'એન' એટલે પાપ. જેમના લોહીમાં, ચિંતનમાં, વચનમાં કે સામ્રાજ્યના ભૌગોલિક ખૂણામાં પણ પાપનો અંશ પ્રવેશવા સક્ષમ નહોતો, તે હતા મહારાજ અનેના.રાજા અનેનાનું શાસન એ વાતનું જીવંત પ્રમાણ ...વધુ વાંચો