કઈક ખૂટે છે!!!

(189)
  • 41.1k
  • 10
  • 11.2k

(૦૧) મા – બાપ બીનાની સિમેન્ટ ની જાહેરાત માં અમિતાભ બચ્ચન ના મુખે સાંભળેલ શબ્દો જયશ્રી ધણીવાર વિચારતી.... “માં-બાપ કહી નહી જાતે વો યહી પર રહતે હૈ સદીઓ કે લીયે” શું ઘર માં માતા-પિતા ની યાદ જળવાઈ રહેલી હોય તેથી આમ કહ્યું હશે? સિમેન્ટ થી ઘર ની મજબુતી ને માં-બાપ ના વારસા ને શું લાગે-વળગે? વ્યવસાયે શિક્ષિકા જયશ્રી ઘણીવાર મનમાં હસી લેતી.- મા – બાપ ની યાદ તો મન માં જળવાઈ જ હોય... ઘર એ રહે કે ન રહે. શું જાહેરાતો પણ લાગણી વેચવાની વાત કરે છે! પણ જાહેરાત માં અમિતાભ બચ્ચન નો દિવ્ય અવાજ તેને ગમતો એટલે એ

Full Novel

1

(૦૧)માં-બાપ

(૦૧) મા – બાપ બીનાની સિમેન્ટ ની જાહેરાત માં અમિતાભ બચ્ચન ના મુખે સાંભળેલ શબ્દો જયશ્રી ધણીવાર વિચારતી.... “માં-બાપ કહી નહી જાતે વો યહી પર રહતે હૈ સદીઓ કે લીયે” શું ઘર માં માતા-પિતા ની યાદ જળવાઈ રહેલી હોય તેથી આમ કહ્યું હશે? સિમેન્ટ થી ઘર ની મજબુતી ને માં-બાપ ના વારસા ને શું લાગે-વળગે? વ્યવસાયે શિક્ષિકા જયશ્રી ઘણીવાર મનમાં હસી લેતી.- મા – બાપ ની યાદ તો મન માં જળવાઈ જ હોય... ઘર એ રહે કે ન રહે. શું જાહેરાતો પણ લાગણી વેચવાની વાત કરે છે! પણ જાહેરાત માં અમિતાભ બચ્ચન નો દિવ્ય અવાજ તેને ગમતો એટલે એ ...વધુ વાંચો

2

કઈક ખૂટે છે!!! - (૦2) માસ્તર

(૦૨) માસ્તર જ્ઞાન શંકર દેવશંકર પંડ્યા વ્યવસાયે આમ તો મૂળ વિષય હિન્દી પણ સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માં પારંગત. ફરવાનો, નવું નવું જોવા-જાણવાનો તેમને ખુબ શોખ. આખા દેશ નાં જોવા જેવાં મોટા ભાગ નાં સ્થળો તેમણે જોઈ કાઢેલાં. સાથે જુની પેઢી નાં શિક્ષકો માટે સહજ એવો વાંચન શોખ પણ ખરો. દેશ દુનિયા માં બનતી સારી-નરસી ઘટનાઓ વિષે તે તેમનાં સાત ચોપડી નાપાસ પત્ની ને પણ વંચાવે. સંકુચિત જ્ઞાતિવાદ ના તે વિરોધી પણ સાથે સાથે પ્રખર ભારતીય સંસ્કાર ના હિમાયતી પણ ખરા. શરીર ખુબ મજબુત અને એટલુંજ મજબુત મન. યુવાની માં અખાડા માં ...વધુ વાંચો

3

કઈક ખૂટે છે!!! - (૦૩) શિક્ષક ની દીકરી

(૦૩) શિક્ષક ની દીકરી મારે અહી થી ઝેરોક્ષ નથી મને મટીરીયલ ઘરે લઇ જવા દે. મારા ઘર નજીક સસ્તા ભાવે નીકળી જશે. રચના બોલી. પણ કેટલા નો ફેર પડે? આમ પાંચ-દસ રૂપિયા માટે કંજુસાઈ કેમ કરે છે? – રોશની. તને ના સમઝાય ઘર કેમ નું ચાલે. મારા પપ્પા શિક્ષક છે. તારા પપ્પા ની જેમ ધીકતો ધંધો નથી.એકલે હાથે કમાતા શિક્ષક ને કરકસર તો કરવી પડેને? રોશની કાયમ વિચારતી. કે રચના ભણવા ની બાબત માં કેમ આમ કરે છે? ફેશનેબલ કપડાં અને અન્ય વસ્તુ ખરીદવા માં કે દર મહિને પાર્લર ...વધુ વાંચો

4

કઈક ખૂટે છે!!! - (૦4) ત્રિકોણ

(0૪) ત્રિકોણ “શિક્ષણ થી રાજકારણ દૂર રાખવું જરુરી છે. સરકારી કાર્યક્રમો ને શિક્ષણ સાથે ન સાંકળવા. સમય – શ્રમ માનવ કલાક નો વ્યય થાય છે. હું તો કહું છું કે વસતી ગણતરી,ઈલેક્શન ડ્યુટી, અને બુઉથ લેવલ ઓફિસર – બી.એલ.ઓ. ની જવાબદારી પણ શિક્ષકો પાસેથી લઇ લેવી જોઈએ.....” ભાષણ લાંબુ હતું,પણ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લેવાયું.નીડર અને સ્પષ્ટ વક્તા ગણાતા પટેલ સાહેબ આચાર્ય-સંમેલન માં ગરજી રહ્યા હતા. અને શિક્ષણ મંત્રી સહિત બધા મંચસ્થ મહાનુભાવ સાંભળી રહ્યા હતા. દરેક મુદ્દા પર ખુબ ઝીણી સમજાવટ રજુ કરતા મોતીભાઈ પટેલ સાહેબ પુરા આત્મ વિશ્વાસ થી ચાળીસ મિનીટ બોલ્યા. પણ એમના ભાષણ ના ...વધુ વાંચો

5

કઈક ખૂટે છે!!! - (૦૫ ) કૃષ્ણાવતાર

(૦૫) કૃષ્ણાવતાર “ યદા યદા હી ધર્મસ્ય ....... .............. ...........સંભવામિ યુગે યુગે.” શ્લોક નો અનુવાદ કરવાની સાથે દેવશંકર તેનો અર્થ સમઝાવતા. બધાં બાળકો તો કઈ ના બોલ્યાં. પણ જીજ્ઞેશ – તેમનો પોતાનો દસ વર્ષ નો પુત્ર બોલી ઉઠ્યો,”પપ્પા, કેમ ભગવાને વારંવાર – દરેક યુગ માં આવવું પડે? એકવાર માં બધા રાક્ષસો કે પાપી લોકો નો સફાયો ન થઇ જાય? મોટા છોકરા મૂછ માં હસ્યા ને એકેતો કહ્યું ય ખરું,”અલ્યા ભગવાન નો માનવ અવતાર પૂરો થાય પછી જન્મેલા પાપીઓ નો સફાયો કરવા કોણ આવે? પાપ વધી જાય ત્યારે લોકોના ઉદ્ધાર માટે ભગવાન અવતાર લેશે એમ આ શ્લોક માં ...વધુ વાંચો

6

કઈક ખૂટે છે!! (૦૬) ઈજ્જત

(૦૬) ઈજ્જત 'ક્ષમા માતૃત્વ’ નામના વોર્ડ માં પાસ-પાસે ના પલંગ માં સુતેલી બે વાત કરી રહી હતી. વાત કરતાં બળાપો કાઢી રહી હતી એમ કહેવું વધુ બંધ બેસે . જોગાનુજોગ બન્ને ની આ પ્રથમ સુવાવડ જ હતી. ભાવના અને છાયા વચ્ચે આમ તો કોઈ પ્રકારે સરખામણી કરવી શક્ય નહી. ભાવના ભણેલી – પોસ્ટ ગ્રેજ્યુએટ સંપન્ન પરિવાર ની લાડલી દીકરી. જીવન નાં પચિસ વર્ષ વૈભવ માં ઉછરેલી. છાયા માંડ બાર ધોરણ ભણી શકેલી સાધારણ પણ ન કહી શકાય તેવા પરિવારની. છાયાએ દીકરી ને જન્મ આપ્યો એ જ દિવસે ભાવના એ પણ પુત્ર રત્નને. બન્ને નાં લગ્ન પહેલાં ...વધુ વાંચો

7

કઈક ખૂટે છે!!! - (૦૭) મીઠાઈ

(૦૭) મીઠાઈ "મારો ચેતક તો એકદમ સીધો છે. એ ક્યારેય બીજા છોકરાને મારે જ નહી.... નક્કી શરૂઆત કરી હશે...... તમે .....એને જરા કડક સજા કરજો...ફરી મારા ચેતક નું નામ ના દેવો જોઈએ...” ‘બસ’.... – વર્ગ શિક્ષિકા ની ગુસ્સો દબાવી નીકળી ગયેલી ઝીણી ચીસ. “તમે ચેતક ને બોલાવાદો. તમે ક્યાં સુધી એની ફરિયાદો લઇને સ્કૂલ માં આવ્યા કરશો? એને શીખવો કે મને જે-તે ફરિયાદ આવી ને કરે અને જુઓ બેન, આ ઉંમરે છોકરા તો લડે-ઝઘડે તમારે આવી નાની વાતો માં વચે પડી સ્કુલે આવી જવાની જરૂર નહી." “પણ મારો ચેતક તો સાવ ભોળો છે કઈ નહી બોલે એટલે મારે જ ...વધુ વાંચો

8

કઈક ખૂટે છે. - ૮ - વેગળા નખ

(૦૮) વેગળા નખ “આંગળી થી નખ વેગળા.” નખ કપાય ત્યારે આંગળી ને પીડા નથી થતી. આમ તો નખ ને આંગળી કાયમ જોડાયેલા હોય પણ નખ ને આંગળી વચ્ચે લોહી નો સંબંધ નહી. – માણસોમાંય એવું. અમુક સંબંધો સ્વાર્થ ના. માણસ મરે તો તેની ખોટ કોને પડે? થોડા દિવસ તો બધાં રડે કે રડવાનો ડોળ કરે. પણ ખોટ તો જેને લોહી ની સગાઈ હોય તેને કે પછી જેની સાથે ખરી માયા હોય એને જ પડે. તમારા દુખ થી ખરેખર કોણ દુખ અનુભવે? .... વર્ગ માં શિક્ષિકા બહેન વિચાર વિસ્તાર સમજાવતાં અટકી ગયાં જયારે એમની નજર આંસુ સારી રહેલી અનન્યા ...વધુ વાંચો

9

કઈક ખૂટે છે - ૦૯ - નસીબ

(૦૯) નસીબ “પપ્પા, કશ્યપ મને ગમે છે” – ઝંખના “પણ મારે મારી દીકરી નાગર જ્ઞાતિ માં આપવા ની છે.” – રાકેશભાઈ પણ પપ્પા, કશ્યપ બ્રાહ્મણ તો છે જ. નાગર નહી ને વાલમ. શો ફેર પડે છે? મને જેની સાથે મનમેળ છે, જેની સાથે મારી જિંદગી નાં ઓછા માં ઓછાં પચાસ વર્ષ કાઢવા નાં છે, એને હું પસંદ ન કરી શકું? અને કોઈ ખામી હોય તો બોલો. દેખાય છે સારો, ભણેલો છે, કુટુંબ પણ સુખી છે અને સૌથી મોટી વાત તો એ સંસ્કારી છે. એના ઘર માં કોઈ ને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી. એના ઘર માં તો ...વધુ વાંચો

10

કઈક ખૂટે છે!!! - (૧૦) સ્થિત પ્રજ્ઞ

(10) સ્થિતપ્રજ્ઞ “ગીતા માં સ્થિતપ્રજ્ઞ પુરુષ નું ખૂબ સુંદર વર્ણન છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ માં પણ આવેગ ને નાથવો. આવેશ માં લીધેલા નિર્ણય હંમેશાં થોડો ઘણો પસ્તાવો લાવેછે. અને ક્યારેય જીવમાત્ર ને હાનિ પહોચે તેવા પગલા થી તો દૂર જ રહેવું ...... આત્મહત્યા તો કાયર નું કામ છે......” તાળીઓ નો વરસાદ ... અને પ્રોફેસર રમણ દવે ના વ્યાખ્યાન બાદ તેમની સાથે ફોટોગ્રાફ લેવા પડાપડી “જેમ મહાભારત માં શ્રીકૃષ્ણ નો સખા શિષ્ય તેમની શિક્ષા –સલાહ થી પક્વ હોઈ અન્ય યોદ્ધાથી જુદો તરી આવેછે તેમ શિક્ષિત વ્યક્તિ અન્ય અક્ષિક્ષિત – અલ્પ શિક્ષિત લોકો કરતાં સ્વાભાવિક રીતે અલગ તરી આવે. માનસિક સામર્થ્ય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો