પુનર્જન્મ આ શબ્દ સાંભળતાની સાથે જ આપણાં મનમાં એક તરફ શંકા ઉત્પન્ન થાય તો, બીજી તરફ વિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે, આપણે અત્યાર સુધી પુનર્જન્મ વિશે ઘણું બધુ સાંભળતા આવીએ છીએ, જે બધી બાબત સાચી છે કે ખોટી એ બાબત વિશે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચારેલ હોતું નથી, જેમાંથી આપણી દુનિયામાં કેટલાં પ્રસંગો એવાં પણ બની ગયાં છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પણ વ્યક્તિનો પુનર્જન્મ થાય છે, આ બાબતને પૂરેપૂરી રીતે સમર્થન આપેલ છે.

Full Novel

1

THE GOLDEN SPARROW - 1

(THE ANCIENT LOVE STORY) 1. પુનર્જન્મ આ શબ્દ સાંભળતાની સાથે જ આપણાં મનમાં એક તરફ શંકા ઉત્પન્ન તો, બીજી તરફ વિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે, આપણે અત્યાર સુધી પુનર્જન્મ વિશે ઘણું બધુ સાંભળતા આવીએ છીએ, જે બધી બાબત સાચી છે કે ખોટી એ બાબત વિશે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચારેલ હોતું નથી, જેમાંથી આપણી દુનિયામાં કેટલાં પ્રસંગો એવાં પણ બની ગયાં છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પણ વ્યક્તિનો પુનર્જન્મ થાય છે, આ બાબતને પૂરેપૂરી રીતે સમર્થન આપેલ છે. સમય : સવારનાં 6 કલાક સ્થળ : રાજ મકવાણાનું ઘર. એક બાજુએ સૂર્યનારાયણ આકાશમાં પોતાનું સ્થાન જમાવવા માટે મથામણ ...વધુ વાંચો

2

THE GOLDEN SPARROW - 2

2. રાજ જ્યારે એક વર્ષનો હતો ત્યારે. સમય : સવારનાં 11 કલાક. સ્થળ : કિશોરભાઈનું ઘર તહેવાર હિન્દૂ સંસ્કૃતિ મુજબ ખૂબ જ આધ્યાત્મકતા ધરાવે છે, હિન્દૂ ધર્મના ગ્રંથો મુજબ દિવાળીનાં દિવસે રામ, સીતા અને લક્ષ્મણ ચૌદ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાવણ જેવાં અસુરનો વધ કરીને પાછા અયોધ્યામાં ફરી રહ્યાં હતાં, તેની ઉજવણીનાં ભાગ સ્વરૂપે અને મર્યાદા પુરષોતમ રામને હર્ષોલ્લાસ સાથે વધાવવા માટે અયોઘ્યામાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આમ દિવાળી તહેવાર અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે કિશોરભાઈ દિવાળીનો તહેવાર હોવાને લીધે દિવાળીની ખરીદી કરવાં માટે ...વધુ વાંચો

3

THE GOLDEN SPARROW - 3

3. ધીમે ધીમે રાજને ઊંઘમાં આવતાં પેલાં ભયાનક સપનાની તીવ્રતામાં વધારો થવાં લાગ્યો, આ ડરામણા સપનાને કારણે રાજ રાતે ભર ઊંઘમાંથી અવારનવાર જાગી જતો હતો. આ ડરામણા સપનાંને લીધે રાજ કેટલી રાત સૂતો પણ ન હતો. જાણે રાજ આ દુનિયાથી અલિપ્ત થઈ ગયો હોય તેમ પોતે આખો દિવસ પોતાનાં જ રૂમમાં પુરાઈને રહેવા લાગ્યો, ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું,કોઈ બાબતમાં તેને રસ પડતો ન હતો. રાજના આવા બદલાયેલા વર્તનને જોઈને તેનાં માતાપિતા અને બહેન ખૂબ જ ચિંતાતુર બની ગયાં હતાં, તેઓ મનોમન પોતાનાં ઇષ્ટદેવને એક જ પ્રાર્થના કરી રહ્યાં હતાં કે, "બસ ! રાજ જેટલું શક્ય હોય ...વધુ વાંચો

4

THE GOLDEN SPARROW - 4

4. રાજની દિવસેને દિવસે હાલત સુધરવાને બદલે ખૂબ જ વણસી રહી હોવાથી રાજનાં માતાપિતા અને બહેન રાજને લઈને સાઇકિયાટ્રિક હોસ્પિટલે લઈ જાય છે, ત્યાં ડૉ. રાહુલ રાજની બધી જ તાપસ કરે છે અને હિસ્ટ્રી જાણે છે, અને અંતે ડૉ. રાહુલ કિશોરભાઈને જણાવે છે કે હાલ રાહુલ કોઈ દેખીતા કારણ વગર જ ડિપ્રેશનનો ભોગ બની ગયેલ છે. આ સાથોસાથ તે હિલયુસીનેશનથી (આભાસ કે ભ્રમ) દ્વારા પીડાય રહ્યો છે, જેથી તેને અલગ અલગ વ્યક્તિઓ દેખાય છે અને તેનો અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ ડૉ. રાહુલ કિશોરભાઈને “ડિપ કોમા સાઇકો થેરાપી વિશે વિગતવાર જણાવે છે. જ્યારે આ બાજુ કિશોરભાઇ અને ભાર્ગવી ...વધુ વાંચો

5

THE GOLDEN SPARROW - 5

5. (કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલ જૈનનાં જણાવ્યાં મુજબ ડિપ કોમા સાઇકો થેરાપી માટે રાજને લઈને હોસ્પિટલે આવી છે. થોડીવારમાં ડૉ. રાહુલ જૈન પણ આવી પહોંચે છે. ત્યારબાદ ડૉ. રાહુલ તન્વીને બોલાવીને થેરાપી રૂમ તૈયાર કરવાં માટે જણાવે છે, આ દરમ્યાન ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીના મનમાં રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરે છે, અને ઓ.ટી ડ્રેસ પહેરીને ડૉ. રાહુલ જૈન થેરાપીરૂમમાં પ્રવેશે છે. મયંકે ડિપ કોમા સાઇકો થેરાપી માટેની બધી જ તૈયારીઓ આગવથી કરી લીધી હતી, જ્યારે થેરાપીરૂમનાં કાચની બીજી બાજુએ કિશોરભાઈ અને ભાર્ગવી મનોમન પોતાનાં ઇષ્ટદેવને બે હાથ જોડીને પ્રાર્થના કરવાં માંડે છે. સમય : સવારનાં 7: ...વધુ વાંચો

6

THE GOLDEN SPARROW - 6

6. સો વર્ષ પહેલાં સૂર્યપ્રતાપગઢ એટલે પ્રકૃતિનાં કે કુદરતનાં ખોળે રમતું ગામ, આ ગામ પર જાણે ખુદ મહેરબાન હોય તેવું લાગી રહ્યું હતું. સૂર્યપ્રતાપગઢ ચારે બાજુએથી ઊંચી ઊંચી ટેકરીઓથી ઘેરાયેલ હતું. ત્યાં મનોમોહક ઝરણાંઓ અને ખળખળ કરીને વહેતી નદીઓ આવેલ હતી, એમાં પણ ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રતાપગઢ સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારેકોર લીલીછમ મનોમોહક અને જેને જોતાં આંખોમાં તાજગી ભરાઈ આવે તેમ ચારેબાજુએ હરિયાળી છવાય જાય છે.આકાશમાં મુક્તમને આરામથી વિચરી રહેલાં પક્ષીઓ સૂર્યપ્રતાપગઢની રોનકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું. ગામની બહાર આવેલ મોટો દરવાજો એ જાણે સૂર્યપ્રતાપગઢનાં શાહી પરીવારનાં ગુણગાન ગાઈ રહ્યો હોય ...વધુ વાંચો

7

THE GOLDEN SPARROW - 7

7. સમય : સવારનાં 11 કલાક. સ્થળ : નિયતિ સાઇકિયાટ્રિક હોસ્પિટલ. ડૉ. રાહુલ જૈન પોતાની ચેમ્બરમાં બેસલા એટલીવારમાં તન્વી તેઓની ચેમ્બરમાં ચા લઈને પ્રવેશે છે. આથી ડૉ. રાહુલ ચા ની એકપછી એક એમ ચૂસકીઓ લગાવવા માંડે છે. આ સાથે જ ડૉ. રાહુલનાં મગજમાં વિચારોની ટ્રેન દોડવા માંડે છે. શાં માટે તે દિવસે પોતે જ્યારે રાજને ડિપ કોમા સાઇકો થેરાપી આપી રહ્યાં હતાં ત્યારે રાજ સાથે અમુક અવિશ્વનિય અને અજુગતી ઘટનાઓ ઘટેલ હતી ? શાં માટે રાજનો આવાજ, હાવભાવ અને વર્તન એકાએક બદલી ગયાં ? શાં માટે તે કોઈ રાજકુમારની માફક ભારે અને દમદાર આવજે પોતાની સાથે વાતચીત ...વધુ વાંચો

8

THE GOLDEN SPARROW - 8

8. (રાજા વીરબહાદુરસિંહ પોતાનાં રાજમહેલની બહાર આવેલાં ઝરૂખામાં બેસેલ હતાં, ત્યાં બેસીને તે કોઈ બાબત વિશે ખૂબ જ વિચારી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું.બરાબર એ જ સમયે મહારાણી સુમિત્રા દેવી ઝરૂખામાં આવી પહોંચે છે, ત્યારબાદ બનેવ વાતચીત કરે છે. આ સમયે રાજા વીરબહાદુર સિંહ પોતાનાં મનમાં જે કાંઈ મૂંઝવણો કે ચિંતાઓ હતી, તે સુમિત્રાદેવીને જણાવે છે, થોડા મહિના બાદ રાજા વીરબહાદુરસિંહને ખુશી સમાચાર મળે છે કે સૂર્યપ્રતાપગઢનો વારસદાર જન્મ લેશે, થોડાક જ મહિનામાં રાજા વીરબહાદુરસિંહનાં ઘરે તેજસ્વી પુત્ર જન્મે છે, જેનું નામ તેઓ "વિક્રમસિંહ" રાખે છે. સ્થળ : સૂર્યપ્રતાપગઢનો રાજ મહેલ. સમય : સવારનાં 11 કલાક. ...વધુ વાંચો

9

THE GOLDEN SPARROW - 9

9. (ડૉ. રાહુલ પોતાની ચેમ્બરમાં બેસીને ઈન્ટરનેટ પર વીરબહાદુરસિંહ અને વિક્રમસિંહ વિશે રિસર્ચ કરી રહ્યાં હોય છે. એવામાં અને ભાર્ગવી તેમની ચેમ્બરમાં આવી પહોંચે છે, ત્યારબાદ ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીને વાસ્તવિકતા જણાવે છે કે રાજ હાલ કોઈ મોટી માનસિક બીમારીનો ભોગ બનેલ નથી, તેની અને તેનાં બધાં જ રિપોર્ટ તપસ્યા બાદ હું એ તારણ પર પહોંચેલ છું કે રાજ બીજું કોઈ નહીં પરંતુ રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ છે, આ સાંભળી કિશોરભાઈ અને ભાર્ગવીને ડૉ. રાહુલની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, આથી ડૉ. રાહુલ તેઓને એક પ્લાન સમજાવતાં પોતે જેમ કહે તેમ કરવાં માટે જણાવે છે.) ...વધુ વાંચો

10

THE GOLDEN SPARROW - 10 - Last part

10. (કિશોરભાઈ, રંજનબેન અને ભાર્ગવીને ડૉ. રાહુલની મદદ દ્વારા ખરી વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે કે તેનો પુત્ર એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ તે સૂર્યપ્રતાપગઢનાં રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ છે, ત્યારબાદ ડૉ. રાહુલ જ્યારે રાજનાં શરીર પર વિક્રમસિંહનો પ્રભાવ હતો, એ દરમિયાન રાજ પાસેથી ઘણી બધી માહિતી મેળવવામાં સફળ રહે છે...પરંતુ હજુસુધી રાજનો કેસ ઉકેલવા માટે અમુક કડીઓ ખૂટી રહી હોય તેવું ડૉ. રાહુલ અનુભવી રહ્યાં હતાં..) સો વર્ષ પહેલાં સમય : રાત્રીનાં 9 કલાક. સ્થળ : સૂર્યપ્રતાપગઢની બહાર ટેકરીઓમાં આવેલ બાબા અઘોરાની ગુફા બાબા અઘોરા ઘનઘોર ગુફામાં બેઠા હતાં, તેની સામે એક મોટી ધૂણી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો