મારુ કબુલાતનામુલેખક તરીકે જે મૂલ્યો ગણાવવામાં આવે છે એ એકપણ મૂલ્ય કે લાયકાત મારામાં નથી છતાં હવેથી 'ચોખ્ખું ને ચણક' નામની લેખમાળા શરૂ કરવા જઈ રહ્યો છું.આ લેખમાળામાં કોઈ અલંકારથી સમૃદ્ધ ભાષા વપરાયેલી નહિ હોય પરંતુ મને જે અમુક હકીકતો લાગે છે એને શબ્દરૂપે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.કોઈ વિરહિણીની વ્યથા,યુગોથી એકબીજાની વાટ જોયે રાખતા બે પ્રેમીઓનું મિલન,કોઈ પ્રેમની જઠરાગ્નિમાં તડપતો યોગી વગેરે જેવા અઘરા શબ્દોવાળા વિષયો આ લેખમાળામાંનહિ હોય એ જાણીને તમને પણ આનંદ થયો હશે એમ હું માનું છું.આ લેખમાળામાં શું હશે એ વિશે ઉપર બહુ ટૂંકમાં માહિતી આપી દીધી છે છતાં તમને વધુ સમજાય એ ઉદ્દેશથી ફરીથી અહીં

નવા એપિસોડ્સ : : Every Monday

1

ચોખ્ખું ને ચણક - (પ્રસ્તાવના અને ભાગ ૧)

મારુ કબુલાતનામુલેખક તરીકે જે મૂલ્યો ગણાવવામાં આવે છે એ એકપણ મૂલ્ય કે લાયકાત મારામાં નથી છતાં હવેથી 'ચોખ્ખું ને નામની લેખમાળા શરૂ કરવા જઈ રહ્યો છું.આ લેખમાળામાં કોઈ અલંકારથી સમૃદ્ધ ભાષા વપરાયેલી નહિ હોય પરંતુ મને જે અમુક હકીકતો લાગે છે એને શબ્દરૂપે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.કોઈ વિરહિણીની વ્યથા,યુગોથી એકબીજાની વાટ જોયે રાખતા બે પ્રેમીઓનું મિલન,કોઈ પ્રેમની જઠરાગ્નિમાં તડપતો યોગી વગેરે જેવા અઘરા શબ્દોવાળા વિષયો આ લેખમાળામાંનહિ હોય એ જાણીને તમને પણ આનંદ થયો હશે એમ હું માનું છું.આ લેખમાળામાં શું હશે એ વિશે ઉપર બહુ ટૂંકમાં માહિતી આપી દીધી છે છતાં તમને વધુ સમજાય એ ઉદ્દેશથી ફરીથી અહીં ...વધુ વાંચો

2

ચોખ્ખું ને ચણક - ભાગ ૨ - આસ્વાદ પર્વ

શીર્ષક:ત્રેવડ હોય તેને જ સાધુ થવું!હમણાની જે પરિસ્થિતિ છે અને છાપામાં વાંચવામાં આવે છે તે જોતા તો એક પંક્તિ ની યાદ આવે છે કે,"હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો!"આજકાલ જાણે સાધુવેશે રહેલા ધુતારાઓનો ભાંડો ફૂટવાની જાણે ફેશન શરૂ થઈ ગઈ છે એ પછી જૈન સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય!યાદ રાખવા જેવું છે કે આ એ જ સંતો છે કે જે માઇક પર મોટા મોટા બરાડા પાડીએ ભારતીય સંસ્કૃતિની રક્ષા ની અને સંસ્કારની વાતો કરતા હોય છે.સ્ત્રીઓ સાથે જે લોકો કરતા હતા એ તો અધમ હતું જ પણ હવે તો જબરદસ્તી સજાતીય સંબંધો પણ બાંધવા લાગ્યા એ તો ...વધુ વાંચો

3

ચોખ્ખું ને ચણક - ભાગ ૩

"ગુજરાતી સાહિત્યની કરૂણતા એ છે કે મોટાભાગના ગુજરાતી સાહિત્યકારોના પૌત્રોને ગુજરાતી આવડતું પણ નથી."સ્વર્ગવાસી ગુજરાતી ના,હું કોઈ વાત કરવાનો નથી કે ભાષા તો એક દિવસ મૃત્યુ પામવાની જ હોય,સંસ્કૃત જેવી સંસ્કૃત ન ટકી તો ગુજરાતી ભાષા શું બચવાની,ગુજરાતી ભાષા એ અંગ્રેજી ને એવી બધી ભાષાઓનું મિશ્રણ છે,ગુજરાતીમાં અમુક પ્રકારનું સાહિત્ય રચાયું જ નથી.આ બધી બહાનાબાજી છે.આપણી ભાષા કે સાહિત્યમાં રહેલા મર્મને બહાર લાવવાની આપણી શક્તિ ખૂટી ગઈ છે એટલે પછી બાળકનું પેટ ભરાય જાય પછી જેમ એ ન ખાવું હોય એટલે બહાના કાઢે એમ સાહિત્યકારો ને કહેવાતા ભાષાપ્રેમીઓ આ બધા બહાના કાઢે છે!બાકી હિબ્રુ ભાષા ઉભી કરેલી ને ...વધુ વાંચો

4

ચોખ્ખું ને ચણક - 4 - દેશભક્તિનો દેખાડો

"ભારતની પ્રજા દેશભક્તિનો ઢોંગ કરવામાં સૌથી અવ્વલ પ્રજા છે." એક નેતા આજે મારી સોસાયટીમાં આવ્યા અને ધ્વજવંદન મોટેથી બોલ્યા કે,"હું આ રાષ્ટ્રની અસ્મિતા ઝંખું છું.રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરવા આ રાષ્ટ્રની સેવા કરવા મથુ છું.બોલો ભારત માતા કી જય..."એમ કહીને એક લાંબું ભાષણ આપ્યું ને પછી બેસીને તેના અંગત માણસને પાસે બોલાવીને કહ્યું,"આ જે બધા આવ્યા છે અહીં ભાષણ સાંભળવા એ બધાના ઘરે એક એક બાટલી પહોંચી જવી જોઈએ,સમજ્યો?"પેલો માણસ માથું ધુણાવીને ચાલ્યો ગયો. આજે આ લેખમાં કોઈ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસના નથી ખાવા કે નથી કોઈ દેશભક્તિના ગીત મસ્ત વાત કરવાનો હું આનંદમાં આપણા દેશની અને વધાઈઓ અને દેખાડા ...વધુ વાંચો

5

ચોખ્ખું ને ચણક - 5 - दिन भी रात हो गया है।

"कभी-कभी ऐसा लगता है जैसे दिन भी रात हो गया है।'' વાતમાં આગળ વધીએ એ પૂર્વે વાત સ્વીકારી લઉં કે આ લેખ સાહિત્યિક નથી,સાહિત્યિક પત્રકારત્વનો કહી શકાય.કારણ કે આ લેખ પ્રસંગોચિત છે.રવિવારે સોની ટીવી પર આવતા શો ઇન્ડિયન આઇડલમાં સંતોષ આનંદજીએ ઉપરની વાત કહી હતી.પણ મારે કહેવું જોઈએ કે આ શો દ્વારા તો આ એક જ સંતોષ આનંદ આપણને દેખાયા, પણ હજુ અનેક એવા ગીતકારની યાદોને અને એની કલાને આ સમય ખાઈ ગયો છે એ હકીકત છે. આજે આપણે અનેક જુના ગીતોના નવા સંસ્કરણ તરફ વળ્યા છીએ,એ સારું છે કે ખરાબ એનું વિવેચન અહીં અસ્થાને ગણાય.હવે આગળ વાત ...વધુ વાંચો

6

ચોખ્ખું ને ચણક - 6 - નવોદિત કવિને અનુભવી કવિનો પત્ર

એક અનુભવી કવિનો નવોદિતોને કવિતા બાબતે પત્ર:- એક અનુભવી કવિ, ઝુંપડાં ક્રમાંક:૧૪૦, કવિ કોલોની, સસ્તું શહેર, ભારત.નવોદિત કવિ,સપના નગર-૨,લેખન કોલોની,પ્રેમ શહેર,ભારત. વિષય: કવિતા ફોગટ ચીજ નથી એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો