ચક્રવ્યુહ... - 38

(70)
  • 4.6k
  • 7
  • 3k

પ્રક્રરણ-૩૮ “આજે દિવસ કઇ બાજુ ઉગ્યો છે કાંઇ સમજાતુ નથી. દસ વાગવા આવ્યા છતા કાશ્મીરા ઓફિસ જવા રેડ્ડી થઇ નથી. બહુ કહેવાય.” સુરેશ ખન્નાએ ઘડિયાલમાં જોતા વિચારતા હતા ત્યાં ઉપરના માળેથી જયવંતીબેન આવતા દેખાયા.   “અરે જયવંતી, કાશ્મીરા ઊઠી કે નહી? ખ્યાલ છે તને?” સુરેશ ખન્નાએ તેને પુછ્યુ અને હાથ પકડીને સોફા પર બેસાડતા પુછ્યુ.   “નહી ખન્ના સાહેબ, મને કાંઇ ખબર નથી. સાચુ કહુ તો ઇશાનના ગયા પછી મારો તો દિમાગ સુનકાર થઇ જતો મને લાગે છે, કાંઇ યાદ પણ રહેતુ નથી. ક્યારેક તો એ પણ ભૂલી જાઉ છું કે દવા પીધી છે કે નહી. છેલ્લી દસ મિનીટ પહેલાનું