કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૭

(92)
  • 5.4k
  • 2
  • 2.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૭ કરણ અને વિક્કી મુંબઈમાં બાળકોનાં માતા-પિતાની હત્યાનું કાવતરું ખુલ્લુ પડે ત્યારે, એ જ દિવસે પ્રતિક રાજુનાં કારનામાંને જગજાહેર કરે એવી યોજના બધાએ બનાવી હતી. એક જ દિવસે મુંબઈ અને અમદાવાદ બન્ને અનાથાશ્રમની કાળી કરતૂત બહાર આવે તો ખેંગાર, અંગાર અને રાજુ માટે મહા મુસીબત આવી પડે એમ હતું. રીયા પૂરી તૈયારી સાથે રાજુનાં અનાથાશ્રમમાં આવે છે. રાજુનો સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. એ તૈયાર થઈ નીકળતો હતો. બહાર થોડો ઘોંઘાટ થાય છે. જવાની ઉતાવળ હતી એમાં કોઈ કચકચ થાય એ પસંદ નહોતું. શું થાય છે એ જાણવા