કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૬ કરણ અને વિક્કીનાં મગજમાં બીજી યોજનાને આકાર આપવાની વાત ફરવા લાગી હતી. લેબ પકડાઈ જવાથી એ લોકોને નુકશાન ઘણું થયું હતું એ વાતથી કરણ અને વિક્કીને સંતોષ હતો. એ બન્ને દુશ્મનોને બધી રીતે ખુલ્લા પાડી પછી જેલમાં લઈ જવા માંગતા હતા. ખેંગાર અને અંગારને ખબર પડતી નથી કે લેબ બાબતે વિક્કીને કેવી રીતે ખબર પડી? ખેંગાર, અંગાર, શુક્લા, ખત્રી અને રોહિત પાંચેય બેસી આ બાબતે ચર્ચા કરતાં હતા. ખેંગારનાં ફોન પર રીંગ આવે છે. એ નામ વાંચી ખેંગાર પોતાનો ફોન બધાને બતાવે છે. સ્ક્રીન પર અર્જુન નામ