કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 12

(77)
  • 6.8k
  • 3
  • 3.4k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૨ કરણનાં whatsapp પર સંજયનો ‘call ?’ મેસેજ આવે છે. કરણ બહાર જઈ સંજયને whatsapp call કરે છે. સંજય પાસેથી અર્જુન આ દુનિયામાં નથી એ જાણી એને ઘેરો આધાત લાગે છે. એ વાત માનવા તૈયાર નથી કે અર્જુનનું મૃત્યુ થયું છે. ગમે તેવી મુસીબતમાંથી નીકળવાની આવડત અને ફિઝિકલ ફિટનેસ એની તાકાત હતા. ભલભલા ચમરબંદીઓને એણે ધૂળ ચટાડી હતી. લાચાર લોકોને મદદ કરવાનો એનો સ્વભાવ હતો. છોકરીઓને બચાવવા જતાં એણે એના જીવનું બલિદાન આપ્યું, એવું કેમ કરી શક્ય બને? એ પોતાની રક્ષા કરવા માટે ખૂબ સક્ષમ હતો. વિક્કી પણ