વિધવા હીરલી ભાગ ૩

(15)
  • 3.2k
  • 1.3k

( આગળ ના ભાગ માં જોયું કે બાપુ એ તળાવના પાણી પર કર નાખ્યો હતો પણ લાખો તે કરના વિરોધ મા પોતાનું બલિદાન આપે છે.....) (૩) હીરલીનું નવરાત્રિમાં અપશુકન.... એ દીવાનો આચ્છાદિત પ્રકાશ દીવાલ ની તિરાડમાંથી ડોકિયું કરી ને બહાર સ્વતંત્રતા ની દોટ લગાવી રહ્યો હતો, ઝડપભેર વાતા પવનમાં પણ સંઘર્ષની સાથે પોતાની ઉજાસ, ઘરની ચાર દીવાલો મા છાંટી રહી હતી. એ અજવાળું જાણ હીરલી ને પાંજરામાં પૂરી રાખતું હોઈ એમ જણાતું હતું. ખોળામાં સૂતેલા છોરા કાનુડા ના માથા પર હીરલી, અમી ભરેલા હાથ વડે