ચિંતનની પળે - સીઝન - 1

(2.3k)
  • 189k
  • 204
  • 41.9k

ચિંતનની પળે કોલમ દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં પ્રસિધ્ધ થાય છે. આ કોલમ અગાઉ ગુજરાત સમાચારની રવિ પૂર્તિ, સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિ તથા અભિયાન મેગેઝિનમાં પ્રસિધ્ધ થઇ ચૂકી છે. ચિંતન શ્રેણીના ચાર પુસ્તકો ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે તથા ચિંતન@24X7 પ્રસિધ્ધ થયા છે.

Full Novel

1

મને ખબર જ છે કે તું આવવાનો નથી

ચિંતનની પળે કોલમ દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં પ્રસિધ્ધ થાય છે. આ કોલમ અગાઉ ગુજરાત સમાચારની રવિ પૂર્તિ, સંદેશની સંસ્કાર પૂર્તિ તથા અભિયાન મેગેઝિનમાં પ્રસિધ્ધ થઇ ચૂકી છે. ચિંતન શ્રેણીના ચાર પુસ્તકો ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે તથા ચિંતન@24X7 પ્રસિધ્ધ થયા છે. ...વધુ વાંચો

2

તારે વખાણ કરવા હોય તો...

ચિંતનની પળે. કૃષ્ણકાંત ઉનડકટ ...વધુ વાંચો

3

નારાજ થવાનો અધિકાર....

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ. નારાજ થવાનો અધિકાર માત્ર તને જ આપ્યો છે. ...વધુ વાંચો

4

પ્લીઝ તું વધારે પડતી હમદર્દી ન બતાવ!

પ્લીઝ તું વધારે પડતી હમદર્દી ન બતાવ! ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ ...વધુ વાંચો

5

મેં તને આપેલું નામ...

મેં તને આપેલું નામ મને બહુ વ્હાલું છે (ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ) ...વધુ વાંચો

6

જે થાય છે એ સારા માટે જ થાય છે

જે થાય છે એ સારા માટે જ થાય છે (ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ) ...વધુ વાંચો

7

એટલો ક્લોઝ ન આવ....

દરેક સંબંધો કાયમી નથી હોતા. દરેક પરિચિત સ્વજન નથી હોતાં. આત્મીયતાનો પણ એક અધિકાર હોય છે. આ અધિકાર બધાને શકાતો નથી. ઘણાં સંબંધો એક્સ્પાયરી ડેટ સાથે આવતા હોય છે. અમુક સંબંધો અલ્પજીવી હોય છે. કોની કેટલી નજીક જવું અને કોને કેટલા નજીક આવવા દેવા એ આપણે નક્કી કરવાનું હોય છે. સંબંધોમાં તકેદારીની જરૂર એટલા માટે રહે છે કે સંબંધો જ્યારે છૂટે ત્યારે વેદના થતી હોય છે. ...વધુ વાંચો

8

બધાને ખુશ રાખવાના પ્રયાસ....

કોઈ માણસ ક્યારેય એવું ઇચ્છતો નથી કે તેને જેના ઉપર લાગણી હોય એ નારાજ થાય. પોતાની વ્યક્તિ રાજી રહે માટે માણસ કંઈ પણ કરતો હોય છે. અંગત વ્યક્તિની નારાજગી આપણને સૌથી વધુ દુ:ખી કરી જતી હોય છે. આપણે ઉપાયો શોધતા હોઈએ છીએ કે શું કરું તો એને મજા આવે. માણસ માત્ર ખુશ રહેવા જ બધું કરતો હોતો નથી, પોતાની વ્યક્તિને ખુશ રાખવા માટે પણ ઘણું બધું કરતો હોય છે. તમે ક્યારેય તમારી જાતને એવો પ્રશ્ન કર્યો છે કે તમે જે કંઈ કરો છો એ કોના માટે કરો છો ...વધુ વાંચો

9

તારે મને કોઇ વાતમાં ના કહેવાની જ નહીં!

જિંદગી આપણે લીધેલા નિર્ણયો ઉપરથી આકાર પામતી હોય છે. ક્યારે હા પાડવી અને ક્યારે ના પાડવી એ નક્કી કરવું હોતું નથી. હા પાડતા પહેલા સો વાર વિચાર કરવો પડે છે. ના પાડતા પહેલા હજાર વખત વિચારવું પડે છે. હા પાડી દેવામાં હજુયે વાંધો નથી આવતો. ના પાડવાની આવે ત્યારે કઇ રીતે ના પાડવી એ નક્કી કરવું પડે છે. ઘણા લોકો ના પાડી શકતા નથી. ના ન પાડવાનો બોજ પછી એ આખી જિંદગી વેંઢારતા રહે છે. ...વધુ વાંચો

10

તારું નસીબ તારા સિવાય બીજું કોઇ નહીં ચમકાવે

તારું નસીબ તારા સિવાય બીજું કોઇ નહીં ચમકાવે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ...વધુ વાંચો

11

તું પોતાના લોકો માટે પારકાની સલાહ ન લે!

તું પોતાના લોકો માટે પારકાની સલાહ ન લે! ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ ...વધુ વાંચો

12

તું તારી જાત સાથે તો ખોટું ન બોલ!

સત્ય અટપટી ચીજ છે. સત્ય સરળ નથી. સત્ય સહેલું પણ નથી. સત્ય સીધુંસાદું હોત તો કોઇ માણસ અસત્યનો ન લેત. સત્ય માણસને કસોટીના એરણે ચડાવે છે. સત્યની કિંમત ચૂકવવી પડે છે. સત્યનો સામનો કરવો પડે છે. સત્ય શીખવવું પડે છે. અસત્ય આવડી જાય છે. બાળક નાનું હોય ત્યારે તેને કહેવું પડે છે કે સાચું બોલવું જોઇએ. સત્યનો મહિમા હોય છે. અસત્યનો આઘાત હોય છે. ...વધુ વાંચો

13

તને તારી કોઇ ખામી દેખાતી જ નથી

કોઇ માણસ સંપૂર્ણપણે પરફેક્ટ હોતો નથી. દરેકમાં કંઇક તો ખામી હોય જ છે. આપણી આદતો, માન્યતાઓ, વિચારો અને આપણો આપણને બીજા કરતાં જુદા પાડે છે. માણસમાં પ્લસ પોઇન્ટ્સ હોય છે માઇનસ પોઇન્ટ્સ પણ હોય છે. આ પ્લસ અને માઇનસના હિસાબ બાદ જે બચે છે એનાથી માણસની ઇમેજ બંધાતી હોય છે. ...વધુ વાંચો

14

સુખના સમયમાં પણ તું ખુશ કેમ નથી રહેતો

માણસ જિંદગી આખી સુખનો મતલબ શોધતો રહે છે. સુખ એટલે શું સુખની વ્યાખ્યા કઇ રીતે કરવી સુખની કઇ રીતે થાય સુખ હોય ત્યારે આપણે ખરેખર સુખી હોઇએ છીએ સુખની એક સાવ સીધી સાદી અને સરળ સમજ એ છે કે જે હોય તેને એન્જોય કરવું. જેટલું છે એટલું માણવું. દુ:ખનું એક કારણ અભાવ છે. આપણી પાસે ગમે એટલું હોય તો પણ આપણને ઓછું જ લાગે છે. અસંતોષ સુખનો અહેસાસ થવા દેતો નથી. સંપત્તિથી સુખ ખરીદી શકાતું નથી એ આપણે સહુ જાણીએ છીએ. ધનથી સુખી થવાતું હોત તો કોઇ અમીર દુ:ખી ન હોત અને કોઇ ગરીબ સુખી ન હોત. સુખ એરકન્ડીશનમાં મળતું નથી અને ઝાડ નીચે છાયામાં પ્રકૃતિની મોજ માણતા માણસને દુ:ખ સ્પર્શી શકતું નથી. સુખ તો સ્વભાવમાં હોય છે. સુખ માનસિકતામાં હોય છે. સુખ વિચારોમાં હોય છે. સુખની હાજરી તો સર્વત્ર છે જ. દુ:ખની પણ છે. તમે શું પસંદ કરો છો તેના ઉપર સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર હોય છે. ...વધુ વાંચો

15

થોડા સમય માટે તો કડવાશ ભૂલી જા!

સમયનો મિજાજ વિચિત્ર હોય છે. સમયની ફિતરત અવળચંડી છે. સમય કાયમ માટે મિત્ર પણ હોતો નથી અને હંમેશ માટે પણ હોતો નથી. સમય કયારેક સાથીદારના રૂપમાં મોજુદ હોય છે તો કયારેક એ જ સમય હરીફ બનીને સામે આવીને ઊભો રહી જાય છે. સમય આપણને ચેલેન્જ આપતો રહે છે. પડકારને જે સ્વીકારી નથી શકતો એને સમય હરાવી દે છે. પડકારને જે પ્રેમ કરે છે એની પાસે સમય શરણાગતિ સ્વીકારી લે છે. સમય સામે ફરીયાદ ન કરો. સમય સામે સવાલ ન કરો. સમયને સવાલ નહીં, જવાબ જોઇતા હોય છે. આપણે જવાબ આપવાની ક્ષમતા કેળવવાની હોય છે. ...વધુ વાંચો

16

મને આજકાલ બહુ જ નેગેટિવ વિચારો આવે છે

દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જેને ક્યારેય નેગેટિવ વિચાર આવ્યા ન હોય. નકારાત્મક વિચારો આવવા એ ખૂબ સ્વાભાવિક છે. કોઈ જ વ્યક્તિ કાયમ માટે પોઝિટિવ વિચારો કરી જ ન શકે. વિચારો ક્યારેક તો આપણને અજવાળામાંથી અંધારા તરફ ખેંચી જ જતા હોય છે. જિંદગીમાં કંઈ જ હન્ડ્રેડ પર્સન્ટ હોતું નથી, ન તો નેગેટિવિટી, ન તો પોઝિટિવિટી. મનમાં સારા-નરસા, ગૂડ-બેડ, પોઝિટિવ-નેગેટિવ, દેવ-દાનવ વચ્ચે યુદ્ધ ચાલતું જ રહે છે. આપણે કેટલી ઝડપથી નેગેટિવિટીને હટાવી દઈએ છીએ. તેના પર જ આપણી પોઝિટિવિટીનો આધાર રહેતો હોય છે. ...વધુ વાંચો

17

સારું ન બોલ તો કંઇ નહીં, તું ખરાબ તો ન બોલ

બ્રેકઅપ, ડિવોર્સ, દોસ્તીમાં દરાર કે સંબંધોની કરવટ પછી આપણે એવા થઈ જઈએ છીએ, જેવા આપણે હોતા નથી. નારાજગી એટલી આપણી માથે સવાર થઈ જાય છે કે આપણને સારા-નરસા કે સારા-ખરાબનો ભેદ જ સમજાતો નથી. ...વધુ વાંચો

18

કામ હોય ત્યારે જ હું યાદ આવું છું

સંબંધોમાં માત્ર ને માત્ર સ્નેહ જ નથી હોતો, થોડોક સ્વાર્થ પણ હોય છે. કંઈ જ ન હોય તો પણ પ્રેમ પામવાની અપેક્ષા તો હોય જ છે. સ્વાર્થ અને અપેક્ષા વચ્ચેનું ડિસ્ટન્સ બહુ લાંબું હોતું નથી. દરેક સંબંધ દિલના નથી હોતા, કેટલાક દિમાગના હોય છે, કેટલાક‘બાગ’ના હોય છે, તો કેટલાક ‘આગ’ના હોય છે, કેટલાક ‘નામ’ના હોય છે, તો કેટલાક‘કામ’ના હોય છે, કેટલાક ‘ભાવ’ના હોય છે, કેટલાક ‘અભાવ’ના હોય છે અને કેટલાક‘સ્વભાવ’ના હોય છે. ...વધુ વાંચો

19

તારાથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ છે જ નહીં!

‘પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોય હા, હોય છે. એ દરેક માટે જુદી જુદી હોય છે. હું તારા પ્રેમમાં એ મારી પ્રેમમાં પડવાની ઉંમર હતી. દરેક માણસ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેના માટે એ પ્રેમમાં પડવાની ઉંમર હોય છે. પ્રેમ ઉંમર જોઈને નથી થતો, પ્રેમ વાતાવરણને જોઈને નથી થતો, પ્રેમ કંઈ જ જોઈને નથી થતો, પ્રેમ બસ થઈ જતો હોય છે. મને તારી સાથે પ્રેમ તો વર્ષો પહેલાં થયો હતો, પણ હું હજુ તને પ્રેમ કરું છું. પહેલાં જેવો જ. હા, રીત કદાચ થોડી બદલાઈ હશે . ...વધુ વાંચો

20

તારે કોઈ વાત સમજવી છે કે નહીં

સમજ એટલે શું સમજની કોઈ વ્યાખ્યા ખરી કેટલી આવડત હોય તો માણસ સમજદાર ગણાય સમજણ ઉંમરથી અનુભવો માણસને સમજદાર બનાવે છે આ અને આવા બીજા સવાલ પૂછે તો દરેક માણસ પોતાની રીતે જવાબ આપે. તેનું કારણ એ છે કે દરેક માણસ પોતાના પૂરતો સમજુ હોય છે. સમજદારી વિશે સવાલો અને વિવાદો થતા રહે છે. તેનું કારણ એ હોય છે કે એક વ્યક્તિની સમજદારી બીજી વ્યક્તિ કરતાં જુદી હોય છે. ...વધુ વાંચો

21

આ વાત તારા અને મારા વચ્ચે જ રાખજે

દરેક માણસનાં પોતાનાં થોડાંક અંગત સિક્રેટ્સ હોય છે. દરેક વાત બધાને કહેવાની હોતી નથી. અમુક વાત કોઈને કહી શકાતી દરેકના દિલમાં દરરોજ એક ડાયરી લખાતી હોય છે. આ ડાયરીનાં પાનાં મોટા ભાગે બંધ જ રહેતાં હોય છે. વાત તો દરેકને કહેવી હોય છે, પણ વાત કરવી કોને કેટલી વાતો એવી હોય છે કે જે હોઠ સુધી આવીને અટકી જતી હોય છે રહેવા દે, નથી કહેવી કોઈ વાત. કોણ કેવો મતલબ કાઢશે, મારા વિશે શું માની બેસશે, મારી વાતનો મિસયુઝ કરશે તો આવા અનેક પ્રશ્નો આપણને મૂંઝવતા હોય છે. ...વધુ વાંચો

22

સફળ થઇ જવાથી તું સુખી થઇ જઇશ

તમને એવી ચોઇસ આપવામાં આવે કે તમારે સફળ થવું છે કે સુખી,તો તમે શું પસંદ કરો સફળતા માટે સુખનું કેટલું બલિદાન આપવું જોઈએ દરેક માણસને સફળ થવું છે. સફળ થવાની ઇચ્છા વાજબી પણ છે અને જરૂરી પણ છે. બધાને એક આગવી ઓળખ જોઈએ છે. બધાને જાણીતાં બની જવું છે. સેલિબ્રિટી સ્ટેટસ માટે માણસ કંઈ પણ કરે છે. મારા વિશે બધાને બધી ખબર હોવી જોઈએ. પોતાના વર્તુળમાં માણસ મોટો અને મોખરે થવાની મહેનત કરતો રહે છે. આપણને બધા ઓળખવા જોઈએ. બહાર નીકળીએ અને લોકો ઘેરી વળે. સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપલોડ કરીએ તો ફટાફટ લાઇક મળે. બધાને પોપ્યુલર થવું છે. ક્યારેય એવો વિચાર કર્યો છે કે આખું ગામ તમને ઓળખતું હોય અને ઘરે રાહ જોવાવાળું કોઈ ન હોય તો ...વધુ વાંચો

23

આખરે તારી જિંદગીનો મતલબ શું છે

જિંદગી એટલે શું આ જિંદગીનો કોઈ અર્થ ખરો આખરે જિંદગીમાં કરવાનું શું છે જિંદગી શું માત્ર ઉકેલવાની એક રમત જ છે જિંદગી સવાલો ખડા કરે અને આપણે જવાબો આપતા જવાના! શું આ જ જિંદગી છે જિંદગી સાથે કેટલી બધી ફિલોસોફી, કેટલી બધી માન્યતાઓ અને કેટલી બધી ધારણાઓ જોડાયેલી છે. જિંદગી માત્ર જીવવા માટે છે કે પછી કંઈક કરી છૂટવા માટે છે ...વધુ વાંચો

24

તારા પ્રત્યે એને લાગણી હતી ખરી

હવે સંબંધો અનલિમિટેડ થઈ ગયા છે. કેટલાં બધા કોન્ટેક્ટસ આપણા મોબાઇલમાં હોય છે. દુનિયાના ગમે તે છેડેથી તે વ્યક્તિ આપણને મેસેજ કરે છે. વર્તુળ એવડું મોટું થઈ ગયું છે કે આપણે પોતે જ તેમાં ભૂલા પડી જઈએ. એક સમયે મિત્રો બહુ થોડા હતા પણ મૈત્રી ગાઢ હતી. આજે મિત્રો અનેક છે પણ દોસ્તીને શોધવી પડે છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો