શીર્ષક:સરસ્વતીચંદ્ર વિજયરાય વૈદ્ય કહે છે તેમ પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિ કથા એટલે સરસ્વતીચંદ્ર પણ મારી નજરે સરસ્વતીચંદ્ર એટલે પ્રેમની સંકુચિત માનસિકતા ને વેરવિખેર કરી આ સમાજ ને સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણથી મુલવતી નવલકથા જેમાં પ્રેમી અને પ્રેમિકા ને જેટલી મિલનની આશા નથી તેટલી આશા સમાજના લોકોના હિત માટે ઘડાયેલી કલ્યાણ ગામ ની યોજના નો અમલ કરવાની છે આનાથી મોટુ સમાજ સેવા માં વિશ્વાસ ધરાવતું પ્રેમી યુગલ જે ત્યાગ ના મહાસાગરમાં ડૂબતું રહ્યું છે એવું ઉદાહરણ બીજા કયા સાહિત્યમાં મળે? લેખકની દ્રષ્ટિએ સરસ્વતીચંદ્ર:- મહાનવલ ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી આમ તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કુટુંબ વ્યવસ્થા પર નિબંધો લખતા હતા પરંતુ

નવા એપિસોડ્સ : : Every Friday

1

આસ્વાદ પર્વ - ભાગ ૧

શીર્ષક:સરસ્વતીચંદ્ર વિજયરાય વૈદ્ય કહે છે તેમ પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિ કથા એટલે સરસ્વતીચંદ્ર પણ મારી નજરે એટલે પ્રેમની સંકુચિત માનસિકતા ને વેરવિખેર કરી આ સમાજ ને સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણથી મુલવતી નવલકથા જેમાં પ્રેમી અને પ્રેમિકા ને જેટલી મિલનની આશા નથી તેટલી આશા સમાજના લોકોના હિત માટે ઘડાયેલી કલ્યાણ ગામ ની યોજના નો અમલ કરવાની છે આનાથી મોટુ સમાજ સેવા માં વિશ્વાસ ધરાવતું પ્રેમી યુગલ જે ત્યાગ ના મહાસાગરમાં ડૂબતું રહ્યું છે એવું ઉદાહરણ બીજા કયા સાહિત્યમાં મળે? લેખકની દ્રષ્ટિએ સરસ્વતીચંદ્ર:- મહાનવલ ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી આમ તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કુટુંબ વ્યવસ્થા પર નિબંધો લખતા હતા પરંતુ ...વધુ વાંચો

2

આસ્વાદ પર્વ - ભાગ ૨

શીર્ષક:કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ 'નમું તે શિક્ષકબ્રહ્મને!'પ્રસ્તાવના:- યુરોપના બે મહાન રાષ્ટ્રો ફ્રાન્સ અને જર્મની વચ્ચે ખૂંખાર યુદ્ધ થયું અને તેમાં જર્મની જીત્યું.જર્મનીના સેનાપતિને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો ત્યારે તે સેનાપતિ બોલ્યો કે,"ફ્રાન્સ હાર્યું નથી, ફ્રાન્સનો શિક્ષક હાર્યો છે.જર્મની જીત્યું નથી,જર્મનીનો શિક્ષક જીત્યો છે.આ જીત અમારી સેનાની નથી, આપણી શાળાઓ,વિદ્યાલયોમાં જે શિક્ષણ અપાય છે અને નાગરિકોનું ઘડતર થાય છે તે કામ જર્મનીમાં સારું થયું છે.તે ઉત્તમ કામ કરનાર જર્મનીના સાચા શિક્ષકો જ અભિનંદનના અધિકારી છે,અમે સૈનિકો નહિ!" લગભગ ભારતના તમામ સાહિત્ય ક્ષેત્રએ જેની જરૂર કરતાં વધારે અવગણના ...વધુ વાંચો

3

આસ્વાદ પર્વ - 3 - ઇતિહાસ નવી નજરે

'ઇતિહાસ' - શબ્દ સાંભળતા જ કેટલો કંટાળો આવી ગયો!પણ ના,તમે માનો છો એટલો પણ કંટાળાજનક વિષય નથી.આ એ જ છે જેને માનવજાતનો દસ્તાવેજ આપણને ધર્યો છે.શાળા અને મહાશાળામાં જે પદ્ધતિએ ઇતિહાસ ભણાવાય છે એ પદ્ધતિ કંટાળા જનક છે એ બેશક વાત છે. સાલવારી અને રાજાઓના વંશવેલાના ગૂંચવાળામાં આપણે ઇતિહાસને બાંધી દીધો છે ને ત્યાં બિચાળો ઇતિહાસ પોતાના ગૌરવ અને સન્માન માટે આપણી સામે ટગર ટગર જોયા કરે છે.ખરેખર ઇતિહાસ નવ્ય દ્રષ્ટિ આપનારો વિષય છે પણ આપણે ઇસવીસન અને આ રાજા પહેલો ને બીજો એમાં એવા ફસાયા છીએ કે મૂળ હેતુ ઇતિહાસનો મરી ગયો છે.આજના યુવાનો ઇતિહાસથી ...વધુ વાંચો

4

આસ્વાદ પર્વ - 4 - ચાલો, ચપરાસી બનીએ - તારક મહેતા

️ તારક મહેતાની અંદર રહેલો હાસ્યકાર ક્યાંય ખોવાઈ ગયો કે શું ? માર્ક ટ્વેઇનનું જાણીતું વિધાન છે કે, The of humour is sorrow itself, not joy. આ વિધાનની પુષ્ટિ અન્ય હાસ્યકારોની બાબતમાં તો અનેક વખત થઈ છે અને તારક મહેતાની આત્મકથા એક્શન રિપ્લેમાં પણ થઈ છે. એની આત્મકથામાં એમનો જીવનસંઘર્ષ સુપેરે પ્રગટ થાય છે પરંતુ કહી દેવું જોઈએ કે તા. મ. હાસ્ય કરુણામાંથી ઉપજે છે એમાં બહુ સહમત નહોતા. એની ઊંડાણપૂર્વકની વાત પછી કોઈક વખત. હું કોઈ વિવેચક નથી કે નથી કોઈ અવલોકનકાર પણ જ્યારે કોઈ પુસ્તક મારા હૃદયમાં અથવા તો મારી પાસે રહેલી થોડી ઘણી બુદ્ધિમાં એવો ભાવ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો