પ્રેમ - નફરત - ૧૧૨

(12)
  • 2.1k
  • 2
  • 1.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૨ રચનાએ બાળકને પડાવી નાખવાના પોતાના નિર્ણય પર પુન:વિચાર કરી જોયો એ પછી પણ એને લાગ્યું કે આ સંજોગોમાં બાળકને રહેવા દેવાનું યોગ્ય નથી. પોતે આરવ અને એના પરિવારથી છૂટી થવા માગે છે. એમણે અમારું જીવન દોહ્યલું બનાવી દીધું હતું. બાળપણ નિરાધાર સંતાન તરીકે જ વ્યતીત કરવું પડ્યું હતું. મનમાં બદલો લેવાની જે ધૂન હતી એ યુવાનીમાં પૂરી કરવામાં સફળ થઈ રહી છું. હવે મા પણ બાળક ના અવતરે એ માટે તૈયાર થઈ ગઈ છે. એ પણ સમજે છે કે લખમલભાઈના પરિવારે અમારા આધારને છીનવી લીધો હતો. એમનો વંશ આગળ વધારવો ના જોઈએ.મીતાબેન તૈયાર