અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૩)

(16)
  • 2.2k
  • 1.4k

ગતાંકથી.... દિવાકર વિશે ડેન્સી એ મોનિકા પાસેથી ઘણું બધું સાંભળ્યું હતું. હવે વાતચીત કરતા તેને લાગ્યું કે આ માણસ ઉપયોગી થઈ શકે તેમ છે. હવે તેની સાથે કોઈપણ જાતના સંકોચ વિના વાત કરી શકે છે. વાતો કરતા કરતા તેણે જણાવ્યું કે મારે કોઈ ઓફિસમાં કામ કરવાનું નથી પણ કોઈ એક સજ્જન માણસને ત્યાં કામ કરવાનું છે .એ સજ્જન નું મકાન કલકત્તાથી ઘણું દૂર આવેલું છે. એટલે પહેલા તો મને ના પાડવાનું મન થતું હતું પરંતુ પગાર મોટો અને કામ થોડું તથા સહેલું હોવાથી છેવટે મેં હા પાડી દીધી છે. હવે આગળ.. દીવાકરે કહ્યું : "કલકત્તાથી દૂર એટલે ક્યાં? ડેન્સી એ