પ્રારંભ - 36

(64)
  • 4.4k
  • 7
  • 2.7k

પ્રારંભ પ્રકરણ 36(આ પ્રકરણમાં સૂક્ષ્મજગતનાં ઘણાં રહસ્યોની વિસ્તાર પૂર્વક ચર્ચા કરેલી છે એટલે એકદમ શાંતિથી વાંચજો. વાર્તાની જેમ ઉતાવળથી ના વાંચશો. જે પણ આ પ્રકરણમાં લખેલું છે તે એકદમ સત્ય છે માત્ર કલ્પના નથી !) કેતન રામકૃષ્ણ હોટલમાં નિરંજન સ્વામી સાથે મૃત્યુ પછીના જીવન વિશે ચર્ચા કરી રહ્યો હતો. સ્વામીજીએ વિસ્તાર પૂર્વક મૃત્યુ પછી આત્માની ગતિ કેવી રીતે થતી હોય છે તેની ચર્ચા કરી. " સ્વામીજી આપની પાસેથી ઘણી બાબતો જાણવા મળી. મારા મનમાં કયા પ્રશ્નો છે એ તો આપ જાણી જ ગયા છો !! છતાં હું મારા પ્રશ્નો સ્પષ્ટ કરવા માગું છું. " કેતન હસીને બોલ્યો. " તારા બધા