અતૂટ બંધન - 25

  • 1.7k
  • 1k

(વૈદેહી અને શિખા આદિત્ય સાથે પાછા ઘરે ફરે છે. આદિત્ય વૈદેહી સાથે વાત કરવા પ્રયત્નો કરે છે પણ વૈદેહી એની સાથે વધુ વાત નથી કરતી. બીજી તરફ આનંદીબેન ગરિમાબેનને જણાવે છે કે વૈદેહી કરતાં સારી છોકરી સાર્થક માટે મળવી અશક્ય છે તો બંનેનાં લગ્નની વાત કરવી જોઈએ. જે સાંભળી ગરિમાબેન કંઈ જવાબ નથી આપતાં. ઉપરથી આસપાસની મહિલાઓ એમને વૈદેહી વિશે પૂછે છે તેથી તેઓ વધુ પરેશાન થઈ જાય છે. એ કૈંક વિચારી વૈદેહી પાસે જાય છે. હવે આગળ) શિખા એનાં રૂમમાં બેઠી હતી અને વારંવાર એનાં મોબાઈલ તરફ જોતી હતી. એવું લાગતું હતું કે જાણે એ કોઈનાં કોલની રાહ જોઈ