ત્રિકોણીય પ્રેમ - 12

  • 1.8k
  • 2
  • 1.1k

ભાગ….૧૨ (કનુ નામનો ભિખારી 'બાવાજી મહારાજ આશ્રમ' માં ભીખ માંગવા જાય છે અને ચંપાનંદ મહારાજ તેને સાન્યા પર ધ્યાન રાખવાનું કામ સોંપે છે. દસ દિવસ તો એમ જ વીતી જાય છે અને એક દિવસે.... હવે આગળ.....) કનુ દસ દિવસ સુધી સાન્યા પર ધ્યાન રાખી રાખીને અકળાઈ ગયો હતો.'કેવું કામ આપ્યું છે, આ મહારાજે.' એવામાં દસેક દિવસ બાદ સાન્યા ડિનરની તૈયારી કરીને, જમવાનું ડાઇનિંગ ટેબલ પર ગોઠવી રહી હતી. ત્યાં જ આઈપીએસ અશ્વિન સિંહ તેમને મળવા આવ્યા. સાન્યા અને સજજનભાઈ જમવા બેસવાની તૈયારી કરી અને ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને સજજનભાઈ અશ્વિન સરને જોઈ બોલ્યા કે, "આવો સાહેબ આવો, અમારી