વારસદાર - 88

(68)
  • 4.2k
  • 5
  • 2.6k

વારસદાર પ્રકરણ 88મંથને કેતાને બોલાવીને એના જમણા હાથના કાંડા ઉપર શિવની પ્રસાદી રૂપે મળેલા રુદ્રાક્ષને બાંધ્યો ત્યારે તો પતિની હાજરીમાં અદિતિ કંઈ ના બોલી પરંતુ કેતાના ગયા પછી અદિતિથી રહેવાયું નહીં. "તમે કેમ આજે કેતાને ઘરે બોલાવીને રુદ્રાક્ષ બાંધ્યો ? મને કંઈ સમજાયું નહીં. " અદિતિ બોલી. "તારે ખરેખર જાણવું છે ? હું જે કહું તે શ્રદ્ધાથી સાંભળજે. તને ખબર છે કે હું કદી ખોટું બોલતો નથી. " મંથન બોલ્યો" હું તમને ઓળખું છું. અને તમે જે પણ જવાબ આપશો એ સાચો જ હશે. મને કુતૂહલ છે એટલા માટે જ પૂછું છું. " અદિતિ બોલી. " અકસ્માત પછી તું કોમા