કોને ભૂલુંને કોને સમરુ રે - 121

  • 1.2k
  • 516

"ઠાકોરજી નથી થાવુ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.."ચંદ્રકાંતને શોક લાગી ગયો...મગજમા એમસી ચાગલા નાની પાલખીવાલા અને એવા ધુરંધર વકિલોના ખ્વાબ ચકનાચુર થઇ ગયા....ચંદ્રકાંતપાછા વળી ગયા. વીટીથી પચ્ચીસ પૈસાની કોફી પીધી અને મસ્જીદ બંદર ઉતરી ધનજી સ્ટ્રીટ પહોંચ્યાત્યારે જીતુ ઓળખી ગયો..."આવો ભાઇ ચંદ્રકાંત સંધવી...તમે સંધવી એટલે જૈન...?"જીતોની પાછળ નવકાર મંત્રની ફ્રેમ હતીમહાવીર સ્વામિનુ નાનકડુ મંદિર દુકાનમાં હતુ એ ચંદ્રકાંતે પહેલી મુલાકાતમાં જ જોયેલું…."જય જીનેન્દ્ર ભાઇ પણ હુ જૈન નથી કપોળ છું વૈષ્ણવ વાણીયા...""બોલો બોલો ભાઇ હવે શું કામ પડ્યુ એ વાત કરતા પહેલા તમારી ચા ...બાકી છે...""જીતુભાઇ કાં ઉકાળો અડધો કે કોફી અડધી ...ચા જીંદગીમા પીધી જ નથી...""તમે મારા કરતા