સંબંધની પરંપરા - 9

  • 2.6k
  • 1
  • 1.3k

મોહન અને મીરાં સીતા દાદીને પોતાની સાથે લઈ જવાની મથામણ કરતા હતા. હજી આ દ્રશ્ય આમ ચાલતું હતું અને સંવાદો રચાઈ રહ્યા હતા. એટલામાં મગનકાકા ત્યાં આવી પહોંચ્યા... આવી અને સીતાદાદીને કહે તમે કેટલા દિવસથી મીરુંના નામનું રટણ કરતાં હતાં ને....... તો જુઓ, તમારી મીરું તમને લેવા આવી પહોંચી. સીતા દાદી કહે ..."તમારી વાત સાચી મગનભાઈ, અમારું લાગણીઓનું સીધો જોડાણ છે. એટલે ,મારા યાદ કરવા માત્રથી એ અહીં આવી પહોંચી. પણ, ખરી વાત તો એ કે માત્ર મીરું નહીં... પણ, મીરુંના કહેવાથી મને મારો મોહન લેવા આવ્યો છે.....!" ભગવાને અમારા જેવા શિક્ષકોને કંઈ અમસ્તો જ માતાનો દરજ્જો થોડો