જીવન સાથી - 17

(28)
  • 5.4k
  • 4.1k

મોનિકા બેન પણ માં અંબેને ખૂબ માનતા હતા તેમણે તો બાધા પણ રાખી હતી કે, આન્યા તેમને પાછી મળી જશે તો તે માં અંબેના દરબારમાં તેને લઈને આવશે અને તેના હાથે માં અંબેને ચાંદીનું છત્ર ચઢાવશે. અને અચાનક તેમને પણ માં અંબેનો હુકમ થયો હોય તેમ તેમણે પણ ડૉ. વિરેન મહેતાને પોતાને અંબાજી લઈ જવા માટે ફોર્સ કર્યો અને વિરેન મહેતાને લઈને અંબાજી પહોંચ્યા. દર્શનાર્થીની લાઈનમાં મોનિકા બેન અને ડૉ. વિરેન મહેતા આગળ હતા અને તે જ લાઈનમાં તેનાથી થોડેક જ પાછળ ઉભા હતા આન્યા, દિપેન અને સંજુ. માં અંબેના નામની ધૂન ચાલી રહી હતી અને આખુંય વાતાવરણ માં અંબેના