પડદા પાછળના કલાકાર અજિત ડોવાલ: એક ઝલક

(15)
  • 8k
  • 2
  • 2.9k

પડદા પાછળના 'કલાકાર' અજિત ડોવાલ: એક ઝલક જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે છે છતાં પણ સન્માનીય છે -કોણ ? બાળકોના ઉખાણાં જેવા આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે -જાસૂસો.કોઈ પણ યુદ્ધ એ મેદાનથી મેજ સુધીની યાત્રા છે. સંઘર્ષની શરૂઆત મેદાન પર થાય છે તો અંત મંત્રણાના મેજ પર. યુદ્ધ દરમ્યાંન માનવીય દ્રષ્ટિકોણનો સદંતર અભાવ હિરોશિમા અને નાગાસાકીનું સર્જન ( હકીકતમાં તો વિસર્જન ) કરે છે. માત્ર શાંતિ અને ભાઈચારાના દીવાસ્વપ્નો ભારત પર ચીનનું આક્રમણ નોતરી લાવે છે .રાષ્ટ્રની સુરક્ષા માટે માનવતા કરતા સતર્કતા