લોકડાઉનમાં લોટરી !

  • 3.2k
  • 926

લોકડાઉનમાં લોટરી ! આમ તો રિટાયરમેન્ટ લેવાની ઉમર ૬૫ વર્ષ હોય છે પરંતુ મારે ૭૦ સુધી ખેંચવું પડ્યું હતું. ઠાકરશી પણ ૬૮ સુધી મિલમાં જતો હતો. ફક્ત વસરામ, કાનજી અને થોભણ ૬૫માં અથવા એ પહેલા નિવૃત થઈ ગયેલા. ઠીક છે ભાઈ, જેવું જેનું નસીબ અને જેવી જેની જરૂરિયાત. આમ તો જરૂરિયાતનું તાજવું પોતાના સંતાનોના સંસ્કાર ઉપર નિર્ભર કરે છે કે છોકરાઓ બાપાને ક્યાં સુધી ઢસરડા કરાવે રાખે છે. ક્યારેક અમુક માં-બાપ પણ હરખપદુડા હોય છે કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા હારું આખું જીવતર હોડમાં મૂકી દે અને મરે ત્યાં લગી ઢસરડા કર્યા જ કરે અને અંતે એ જ દીકરાઓ એમનું