શિકાર : પ્રકરણ 25

(220)
  • 5.8k
  • 6
  • 2.7k

સૂરજ ઉગતાની સાથે જ નિધિ જાગી. ઝડપથી ન્હાવા ધોવાનું પતાવી તેણીએ બેગમાંથી જે કપડા હાથમાં આવ્યા તે પહેર્યા. હોટેલ જવાહરના કેન્ટીનમાં જઈને ચા નાસ્તો કર્યો. આગળના દિવસે દર્શનની ઘણી તપાસ કરી પણ દર્શનનો કોઈ પત્તો મળ્યો નહિ. આજે ફરી એણીએ દર્શનને શોધવા જવાનું નક્કી કર્યું હતું. અને જો દર્શન ન મળે તો હવે અહીંથી પાછા જવું નથી. વિલી અંકલ જેમ સન્યાસ લઈ લેવો છે. જોકે એના નસીબ સારા હતા કે સમીરને કોઈએ ઉઠાવ્યો એટલે અનુપે નિધીનો શિકાર કરવાનો પ્રોગ્રામ મુલતવી રાખ્યો હતો એટલે એની પાછળ કોઈ અત્યારે હતું નહીં. એટલું જ નહી પણ જયારે નિધિ અમદાવાદ જવા નીકળી ત્યારે સામે વોચ