રુદ્ર ની પ્રેમકહાની - 8

(184)
  • 3.2k
  • 8
  • 1.9k

રત્નરાજ ની સાથે મળીને પંચરાજ ની સેનાએ પાતાળલોકનાં ત્રણેય રાજાઓને પરાસ્ત કરીને હેમ જ્વાળામુખીનો સુવર્ણ ભંડાર તો કબજે કરી જ લીધો.. પણ સાથે સાથે નિમ લોકો માટે એક સંધિ પણ તૈયાર કરી જે મુજબ નિમ લોકો ક્યારેય કુંભમેળામાં નહીં જઈ શકે એવું લખાણ કર્યા બાદ બીજી શરત મુજબ પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશ ને પણ મનુષ્યો એ બંધ કરી દીધો.. આ બાબતથી હેરાન પરેશાન નિમ લોકો ગુરુ ગેબીનાથ જોડે ગયાં. ગુરુ ગેબીનાથે પોતાની દિવ્ય શક્તિ વડે સૂર્યદંડ ને માં ભૈરવી નાં મંદિર પર સ્થાપિત કરી સૂર્ય પ્રકાશ ની સમસ્યા નો પ્રશ્ન ઉકેલી દીધો.