64 સમરહિલ - 58

(209)
  • 8.1k
  • 4
  • 6k

અત્યાર સુધીમાં આજે પહેલી વાર ઝુઝારને આ દુબળો-પાતળો, ફિક્કો આદમી મહાભેજાંબાજ હોવાનું અનુભવાયું હતું. ક્યો શંકરાચાર્ય, ક્યો શ્રીધર અને બખ્શાલી એટલે કઈ બલા એ કશું જ તેને સમજાયું ન હતું પણ બે વ્યક્તિ એકબીજાને મળ્યા વગર, બોલ્યા વગર વાત કરી શકે તેનો ચમત્કાર નિહાળીને એ સ્તબ્ધ થઈ ગયો હતો.