64 સમરહિલ - 28

(181)
  • 7.6k
  • 2
  • 5.9k

અલાદાદને કેમ ગેરસમજ થઈ? અલાદાદ તો ઢૂવા ભણી ભાગવા માટે જ છત્રી તરફ દોડયો હતો અને તેને આંતરવા માટે બીએસએફના જવાનો દોડે તે પણ સહજ હતું. પરંતુ એ જ વખતે છત્રીના ઓટલાને અઢેલીને દેહાતી પહેરવેશમાં બેઠેલો છપ્પન સફાળો ઊભો થયો એટલે અલાદાદે પોતાના ભણી દોડી રહેલા બે ભેગો આ ત્રીજો આદમી ય તેમની સાથેનો જ હોવાનું માની લીધું.