શિવાલી ભાગ 5

(58)
  • 3.6k
  • 4
  • 1.9k

ગૌરીબા તાવીજ લઈ ને પોતાના રૂમમાં આવી જાય છે. એ ફકીર શુ કહી ગયો? એને કેવી રીતે ખબર પડી કે કોઈ નથી ઇચ્છતું કે બાળક જન્મ લે? મને ખબર છે કે બાળકનું દુશ્મન કોણ છે? પણ આ ફકીર ની વાત કઈ અલગ છે.રાઘવભાઈ સવારમાં સવારમાં મંદિરમાં પંડિતજી પાસે પહોંચી જાય છે.ૐ નમઃ શિવાય પંડિતજી.ૐ નમઃ શિવાય રાઘવભાઈ. કેમ છો?પંડિતજી કઈ સારું નથી મને તમારી મદદ ની જરૂર છે.રાઘવભાઈ પંડિતજી ને રાતની આખી ઘટના કહી સંભળાવે છે. પંડિતજી એક ઉચ્ચ કોટિના બ્રાહ્મણ અને જ્ઞાની પુરુષ છે. એમના વડવાઓ જ્યાર થી આ મંદિર ની સ્થાપના થઈ ત્યાર થી તેની સેવાપૂજા કરતા હતા.