વીર વત્સલા - 20

(53)
  • 4k
  • 14
  • 1.7k

સરદારસિંહે જોયું કે વીરસિંહ વશરામના બાકીના ચાર સાથીઓને પકડીને લાવ્યો હતો. એના મોંથી “શાબાશ”ના ઉદગાર નીકળી ગયા. વશરામે જોયું કે પોતાના ચાર સાથી બંધક છે. બહુ ઝડપથી એણે પગલું લીધું. પોતાની તલવાર દુર્જેયસિંહના બાવડા પર સહેજ ઊંડો ઘસરકો થાય એ રીતે ફેરવી. દુર્જેયસિંહના મોંથી ચિચિયારી નીકળી ગઈ! રાજના ધણી દુર્જેયસિંહના ખભેથી નીકળતી લોહીની ધાર જોઈ સરદારસિંહ અને એના સાથીઓ કમકમી ગયા.