ટહુકો - 18

(18)
  • 3.9k
  • 1
  • 907

સુરતના સ્ટેશનથી થોડેક છેટે ન્યૂ લક્ષ્મી ટૉકીઝ આવેલી છે. અમે નાના હતા ત્યારે એ ફરીથી બંધાયેલી તેથી એનું નામ ન્યૂ લક્ષ્મી રાખવામાં આવેલું. આજે લગભગ અડધી સદી પછી એ મકાન સાવ જૂનું થઈ ગયું છે તોય એકે લોકો ‘ન્યૂ લક્ષ્મી ટૉકીઝ’ તરીકે જ ઓળખે છે. સન ૧૯૩૭માં જેની શરૂઆત થઈ તે નઈ તાલીમ આજે પણ नइ तालीम કહેવાય તેમાં રિવાજ સિવાય બીજું શું શું છે તે વિચારવા જેવું છે. ગાંધીજીનું જીવન નિત્ય વર્ધમાન હતું. ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ પુસ્તક લખ્યા પછી પણ તેઓ સતત વિકસતા રહ્યા, પરંતુ કેટલાક સજ્જ્નો ૧૯૦૯ પર જ અટકી ગયા અને લટકી ગયા !