વીર વત્સલા - 18

(52)
  • 3.7k
  • 3
  • 1.7k

સાંજે ચંદનસિંહ અને વીરસિંહ વગડા તરફ આવી રહ્યા હતા. રસ્તે ચંદનસિંહે વીણા પાસેથી જાણેલી અભય વિશેની બધી વાત વીરસિંહને કરી દીધી. આખા રસ્તે બન્ને ઘોડા રસ્તો ખૂંદી રહ્યા હતા કે પોતાની છાતી, એ વીરસિંહને સમજાયું નહીં. ભગવાનમાં બહુ વિશ્વાસ નહીં છતાં વીરસિંહે ઘડીક ઉપર જોયું, સાંજના આકાશના અજવાળાથી અંજાયેલી નજર સહેજ નીચે ઉતારી ત્યાં ટીંબા ઉપર રાહ જોઈ રહેલી બે સખીઓની આકૃતિઓ દેખાઈ.